SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ યથાશક્તિ. (૬) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને ઊભા થઈને નીચે પ્રમાણે જાહેર કરવાની આજ્ઞા માગવી : ઇચ્છા. સામાયિક પાર્યું + તહત્તિ (વાક્ય પ્રમાણનો સ્વીકાર). સામાયિક પારવાની ક્રિયા (૭) પછી જમણો હાથ ચરવળા પર સ્થાપી નમુક્કાર (નમસ્કારમંત્ર)નો પાઠ એક વાર બોલી સામાઈયપારણ ગાહા (સામાઈયવય-જુત્તો)નો પાઠ બોલવો. સ્થાપનાચાર્યનો ઉત્થાપનવિધિ (૮) પછી જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ એક વાર બોલવો. જો ગુરુમહારાજના સ્થાપનાચાર્ય હોય તો ઉપર પ્રમાણે ઉત્થાપના કરવાની જરૂર નથી. સામાયિકની ક્રિયા એક કરતાં વધારે વા૨ ક૨વી હોય તો વગર પાર્યે ત્રણ વાર થઈ શકે. પરંતુ જ્યારે બીજું અથવા ત્રીજું સામાયિક લેવું હોય ત્યારે તે પાર્યા વિના ફરીથી ઉપર દર્શાવેલા વિધિ પ્રમાણે સામાયિક લેવું. પરંતુ તે વખતે સજ્ઝાય કરું ? ને બદલે સજ્ઝાયમાં છું તેમ બોલવું. ત્રીજું સામાયિક પૂરું થાય ત્યારે તેને પારવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ એટલે કે ચોથું સામાયિક લેવાની ક્રિયા ત્યાર પછી જ થઈ શકે. એ રીતે પુનઃ ત્રણ ત્રણ સામાયિક થઈ શકે છે. જ્યારે ત્રીજું સામાયિક પૂર્ણ થાય ત્યારે પારવાની વિધિ કર્યા પછી જ ચોથું સામાયિક લઈ શકાય છે. એમ વિધિ સમજવો + અહીં ગુરુ કહે કે આયારો ન મોત્તો [આચાર ન મૂકવો.] અથવા આયરો ન મોતવ્યો અર્થાત્ એ પ્રત્યે આદર ન મૂકવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy