SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ‘બ્રૂયતે કૃત્તિ શ્રુતિઃ’ અર્થાત્ જે સંભળાય છે, જે સાંભળવા યોગ્ય હોય છે, તે ‘શ્રુતિ-શ્રુત’ કહેવાય છે. ‘શ્રુતિ’ એટલે વેદ, ‘શ્રુતિ’ એટલે કાન અને ‘શ્રુતિ’ એટલે શાસ્ત્ર; પરંતુ અહીં તે શાસ્ત્રના અર્થમાં વપરાયેલ છે. તેમાં જે ‘એક' એટલે અદ્વિતીય સારરૂપે વર્ણવાયેલ છે, તે ‘મ્રુત્યુંસાર'. આ પદની સંસ્કૃત છાયા ‘શુદ્ધેશ્તારમ્’ એવી કરવામાં આવે તો તેનો અર્થ પવિત્રતાના અદ્વિતીય સારરૂપ કે શ્રેષ્ઠ સત્ત્વરૂપ થાય. ‘શુક્ષ્’ એટલે શોધવું, મલ-શોધન કરવું. તે પરથી ‘શુચિ’-શબ્દ પવિત્રતાના અર્થમાં વપરાય છે. તે દ્રવ્ય-શુચિ અને ‘ભાવ-શુચિ' એમ બે પ્રકારની છે. તેમાં નાવું, ધોવું ને સ્વચ્છ રહેવું, એ ‘દ્રવ્યશુચિ અથવા બાહ્યશુચિ' છે અને અંતરમાંથી કષાયરૂપ કચરો બહાર કાઢી નાખવો અથવા અસત્યાદિ દોષોને દૂર કરવા, તે ‘ભાવ-શુચિ' અથવા ‘આંતરિક શુચિ' છે. અહીં બીજા પ્રકારની ‘ભાવ-શુચિ' અભિપ્રેત છે. ‘એક’-શબ્દ અહીં ઉત્તમ કે શ્રેષ્ઠના અર્થમાં વપરાયેલો છે. ‘સાર’ એટલે નિચોડ કે સત્ત્વ. જ્યારે કોઈ પણ વસ્તુમાંથી ફાલતુ-નકામા પદાર્થને દૂર કરીને તેનો વિશિષ્ટ ગુણવાળો ભાગ જ એકત્ર કરવામાં આવે છે, ત્યારે તેનો નિચોડ લીધો. કહેવાય છે, અથવા તેનું સત્ત્વ કાઢ્યું કે અર્ક કાઢ્યો કહેવાય છે. દેખીતી રીતે જ આ વસ્તુ તેના મૂલ-દ્રવ્ય કરતાં તેના સમૂહના સારરૂપ હોઈ વધારે ગુણવાળી હોય છે, એટલે ચડિયાતી ગણાય છે અને તેથી તેનું મૂલ્ય પણ અધિક હોય છે. જેમ ગળો કરતાં ગળોનું સત્ત્વ અનેકગણું વધારે ગુણકારક હોય છે અને ગુલાબ કરતાં ગુલાબનું અત્તર અનેકગણું વિશેષ સુવાસિત હોય છે, તેમ પવિત્રતા કરતાં પવિત્રતાનો ‘સાર’ અનેકગણો ચડિયાતો લેખાય છે. વળી આવો ‘સાર' જ્યારે ઉત્તમ પ્રકારે ખેંચેલો હોય, ત્યારે તેનું મૂલ્યાંકન અધિકાધિક થાય છે, એટલે કે પવિત્રતાનો ઉત્તમ ‘સાર’ એ પવિત્રતાની પરાકાષ્ઠા છે. આ પદ વં”નું વિશેષણ છે. સવ્વ-[ર્વે]-સર્વે, બધા, અશેષ. સુર-વિધ-ચંદ્રા-[પુર-વૃન્દ્ર-વદ્યા:]-દેવતાઓના સમૂહ વડે-વંદન કરવાને યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy