SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૪ મુક્તિપંથે ચઢાવી શાશ્વત સુખના ભોક્તા બનાવવા માગે છે; તેથી જયાં સુધી ભૂલનો સંભવ છે, ત્યાં સુધી તેને માટે પ્રતિક્રમણ બતાવે એ સહજ છે. પ્રતિદિન ઉભય સંધ્યાએ પ્રતિક્રમણની ક્રિયા ચતુર્વિધ સંઘના જીવન સાથે વણી દેનાર અને વૈદ માવસ્યામ, ૩ળુ હોરૂ પતિવર્ષ | છ પ્રકારના આવશ્યકને વિશે પ્રતિદિવસ ઉઘુક્ત રહે, એવા પ્રકારની આજ્ઞા ફરમાવનાર શ્રીજૈનશાસન પોતાના અનુયાયીઓને મુક્તિમાર્ગની સાથે સીધો સંબંધ જોડી આપે છે, અને દુર્ગતિગમનના હેતુઓને મૂળમાંથી જ છેદી નાંખે છે. જેઓ પોતાના અનુયાયીઓને શુષ્ક અધ્યાત્મના નામે દોષો અને ભૂલોથી નિરંતર પાછા ફરવાનો માર્ગ નથી બતાવતા કે તે માટે કોઈ પણ વ્યવસ્થિત યોજના અથવા વિધાન નથી રચતા, તેઓ તત્ત્વજ્ઞાન કે આત્મધ્યાનના નામે બીજી ગમે તેટલી સાધનાઓ, ક્રિયાઓ કે પ્રક્રિયાઓ બતાવે, તો પણ મૂળ વિનાના વૃક્ષ જેવી કે પાયા વિનાના મહેલ જેવી સમજવી. જૈન શાસનમાં પ્રતિક્રમણ માટે મુખ્ય અને પ્રસિદ્ધ શબ્દ મિચ્છા પિ કુતિયું છે. તેથી કોઈ પણ કોઈ ભૂલ થતાંની સાથે જ તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં મને ક્ષમા કરો કે (વેરી સોરી)–હું દિલગીર છું, વગેરે શબ્દપ્રયોગ કરતાં ઘણો મોટો અર્થ–ભાવ રહેલો છે. નિર્યુક્તિકાર ભગવાન તેનું પદભંજન કરતાં કહે છે : મનથી અને કાયાથી નમ્ર બનીને દોષોને દૂર કરવા માટે મારાથી થયેલ દુષ્કતને હું પશ્ચાત્તાપ સહિત બાળી નાખું છું, અર્થાત્ મારી ભૂલથી, હું ફરી તેવી ભૂલ નહિ કરવાના અધ્યવસાયપૂર્વક પાછો ફરું છું. પ્રતિક્રમણ માટેનું આ સૂત્ર અને તેનું ઉચ્ચારણ તથા તેની અર્થગંભીરતા જૈન શાસનના પ્રણેતા પુરુષોની પરમ જ્ઞાનસંપન્નતા, પરમ શીલસંપન્નતા, પરમ કારુણ્યશીલતા તથા સર્વોત્કૃષ્ટ શાસનસ્થાપકતા સૂચવે છે. ચારિત્રનો પ્રાણ પ્રતિક્રમણ શ્રી જિનશાસનમાં સર્વનયસિદ્ધ આત્મવિકાસનો સાર ચારિત્ર છે, જ્ઞાન ભણવાનું પણ ચારિત્રવિકાસ માટે છે, અને શ્રદ્ધા સ્થિર કરવાની પણ ચારિત્રને દઢ કરવા માટે છે. જ્ઞાનથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી ચારિત્ર ઘડાય છે, અને ચારિત્રથી મોક્ષ મળે છે. જે જ્ઞાન શ્રદ્ધાને વધારનાર નથી પણ બગાડનાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy