SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ-કંદ સ્તુતિ ૦૪૭૫ પદi-[પ્રથમ-પ્રથમ, પહેલા, આદિ. નિર્વ [fi ]-જિનેન્દ્રને, જિનવરને, જિન-શ્રેષ્ઠને. કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વધારી જેઓ ઈન્દ્રની સમાન છે, એટલે કે શ્રેષ્ઠ છે, તે જિનેન્દ્ર'. સંક્તિ-[ક્તિ]-શાંતિજિનને, સોળમા તીર્થંકર “શ્રી શાંતિનાથને. જેઓ શાંતિને સિદ્ધ કરીને તેના નાથ બન્યા છે, તે “શાંતિનાથ', અથવા શાંતિનો જ ઉપદેશ આપે છે, તે “શાંતિનાથ'. અથવા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વ ઉપદ્રવોની શાંતિ થઈ, તેથી જે “શાંતિનાથ' કે શાંતિજિન” કહેવાય છે, તેમને. _ 'जा ओ असिवोवसमो, गब्भगए तेण संतिजिणो' (આ.નિ.) જેઓ ગર્ભમાં હતા ત્યારે અશિવ-ઉપદ્રવ ઉપશાંત થયો હતો, તેથી તે શાંતિજિન(કહેવાયા.) તો-[તત:]-ત્યાર પછી. નિપાં-મિનિન]-નેમિજિનને. નેમિનાથને, બાવીસમાં તીર્થકર “શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને. નેમિ' એટલે ચક્રની ધારા. જેઓ “અરિષ્ટ'-અશુભનો નાશ કરવામાં ચક્રની ધારા-સમાન છે, તે નેમિનાથ. અથવા જેમની માતાએ સ્વપ્નમાં રત્નજડિત(રિઝરત્નમય) ચક્ર-ધારા જોઈ હતી, તેથી તે અરિષ્ટનેમિ કહેવાયા છે. અમંગલ-પરિવાર માટે “રિષ્ટ' શબ્દની પૂર્વે “અકાર લગાડેલ છે. તેઓ યાદવકુલમાં જન્મીને મોક્ષે પધાર્યા હતા, તેથી યદુકુલતિલક,” યદુકુલ-ભૂષણ' કે “યદુકુલ-નંદન' પણ કહેવાય છે. મુforદ્ર મુિનીન્દ્રF]-મુનીન્દ્રને, મુનિઓના ઇન્દ્રને, તીર્થકરને. મુનિ' એટલે સંત, સાધુ, યતિ કે ઋષિ. મુનિઓમાં જેઓ ઇંદ્ર-સમાન છે, તે મુનીન્દ્ર. શ્રી તીર્થકર ભગવાન મુનિઓમાં સર્વશ્રેષ્ઠ હોવાથી “મુનીન્દ્ર' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy