________________
‘અરિહંત ચેઇયાણં સૂત્ર૭૪૭૧ પ્રથમ “વંદન', પછી “પૂજન', પછી “સત્કાર' અને છેવટે સન્માન' એ ક્રમ પણ સુસંગત છે, કારણ કે એ જ ક્રમે ભાવ-શુદ્ધિ થતાં છેવટે “સમાધિ' સુધી પહોંચી શકાય છે.
આ સૂત્રમાં “કાયોત્સર્ગ'ની સિદ્ધિ માટે જે પાંચ સાધનો બતાવવામાં આવ્યાં છે, તે અત્યંત મહત્ત્વનાં છે. તેમાં “શ્રદ્ધાને શાસ્ત્રકારોએ ‘ઉદકપ્રસાદક મણિ'ની ઉપમા આપી છે. જેમ સરોવરમાં નાખેલો ઉદક-પ્રસાદક મણિ તેમાં રહેલા સર્વ કચરાને દૂર કરી નાખી નિર્મલતાને ઉત્પન્ન કરે છે, તેમ “શ્રદ્ધા પણ સાધકના ચિત્તમાં રહેલા સંશય, વિપર્યય આદિ દોષોને દૂર કરીને તેને તદ્દન નિર્મળ બનાવી દે છે. સાચું જ કહ્યું છે કે-“શ્રદ્ધા એ જ સકલ સુખનું મૂળ છે, જો શ્રદ્ધા નથી તો બાકીનું બધું ધૂળ છે.” “મેધા’ને શાસ્ત્રકારોએ ઉત્તમ ઔષધ સાથે સરખાવી છે. જેમ કોઈ જીર્ણ રોગીને અનેક ઔષધો કરતાં કરતાં એક ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેનો ગુણ ઘણો જણાય. પછી તે અન્ય ઔષધ લેવા ચાહતો નથી, પણ તે જ ઔષધનું સેવન વારંવાર કરે છે. તે જ મુજબ “શ્રદ્ધાથી નિર્મળ (પટુ) થયેલી બુદ્ધિ પાપનો પરિહાર કરીને શ્રી જિનેશ્વરદેવ-પ્રણીત પવિત્ર શ્રતનો આશ્રય નિરંતર ગ્રહણ કરે છે. “વૃતિ'ને શાસ્ત્રકારોએ રાંકને મળેલા રત્નની ઉપમા આપી છે. એક માણસ તદ્દન નિર્ધન છે અને ઘણી મહેનત-મજૂરી કરે છે, ત્યારે માંડમાંડ પોતાનું પેટ ભરી શકે છે. આવા માણસને જો એકાએક ભારે કિંમતનું રત્ન મળી જાય તો તે વખતે તેના મનમાં કેવો હર્ષ-કેવો સંતોષ થાય છે? “હાશ, આજથી મારું દરિદ્રપણું ગયું.” એવા વિચારથી તે પરમ સંતોષ અનુભવે છે. આ જ રીતે પરમ “શ્રદ્ધા” અને “નિર્મળ બુદ્ધિ વડે ઉત્પન્ન થયેલી “વૃતિ તેના હૃદયમાં એક એવી તાકાત ઉત્પન્ન કરે છે કે જેના બલ વડે તે આગળનો માર્ગ સરળતાથી કાપી શકે છે. “ધારણાને શાસ્ત્રકારોએ સાચા મોતીની માલાને પરોવવાની સાથે સરખાવી છે. જેમ સાચા મોતીની માલામાં એક પછી એક મણકા સૂત્ર વડે પરોવાતા જાય છે, તેમ “ધારણા” વડે એક પછી એક ધ્યેયના વિચારો સ્મૃતિ-પટમાં અંકિત થતા જાય છે. “અનુપ્રેક્ષા'ને શાસ્ત્રકારોએ “અનલ' એટલે અગ્નિની ઉપમા આપી છે. જેમ અનલ સુવર્ણમાં રહેલા સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ “અનુપ્રેક્ષા'રૂપી અમલ આત્મા રૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org