SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ જય વીયરાય” સૂત્ર૪૪૯ વીતરાગતા' છે, ત્યાં વિજય છે; અને જ્યાં “સરાગતા' છે, ત્યાં પરાજય છે. આ સંસારમાં પુરુષોત્તમપણું પ્રાપ્ત કરવાને માટે અથવા સકલ કર્મમાંથી મુક્ત થવા માટે અથવા તો અનિર્વચનીય સુખની પ્રાપ્તિ કરવા માટે “વીતરાગતા' સિવાય અન્ય કોઈ ઉપાય નથી અને તેથી જ “વીતરાગ”ને તથા “વીતરાગતાને વંદન કરવામાં આવે છે. વળી એવા રાગ-દ્વેષ રહિત મહાપુરુષ જ જગતના સાચા ગુરુ હોઈને-જગતને સાચું જ્ઞાન આપનાર હોઈને તેમને “પરમગુરુ' તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. આ રીતે સૂત્રનો પ્રારંભ દેવ અને ગુરુ પ્રત્યેની અમિત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યો છે. ત્યાર પછી શ્રી અરિહંતદેવના મહાન ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે જણાવ્યું છે કે રોડમ તુદ પમાવો મયવં !' હે ભગવન્! તમારા પ્રભાવથી, તમારા શાસનના પ્રભાવથી, તમારા પ્રવચનમાં તમે જે સત્ય સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે, તેના બળથી મારી હવે પછી જણાવેલી ભાવનાઓ સફળ થજો. ભવ-નિર્વેદ આ ભાવનાઓની યાદીમાં પ્રથમ અભિલાષા મ-નિબ્લેમ એટલે ભવ-નિર્વેદ કરવામાં આવી છે, કારણ કે તેના સિવાય ચિત્ત-સમાધિ અથવા વીતરાગતા પ્રગટ થતી નથી. યોગદર્શનકારે પણ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કેતીસંવેપાનામા.'—જેને તીવ્ર “સંવેગ’ તીવ્ર “ભવ-નિર્વેદ ઉત્પન્ન થાય છે, તેને જલદી સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે મુખ્ય અભિલાષા ભવનિર્વેદ કરવી તે અમૃતાનુષ્ઠાનનો પ્રયત્ન છે અને તેથી સર્વથા પ્રશસ્ત છે. જે નર-નારીને “ભવ-નિર્વેદ' થતો નથી, તે મોક્ષના માર્ગનું અનુસરણ કરી શકતા નથી. તે માટે શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે યોગ્ય જ કહ્યું છે કે “ર દિ મવનિર્વિઘો મોક્ષા યતને ' “ભવ-નિર્વેદ' શબ્દથી અહીં સાંસારિક સુખો પ્રત્યેનો અણગમો, કામ-ભોગો પ્રત્યેની વિરક્તિ અને ફરી ફરીને જન્મ ન લેવો પડે તે જાતની પ્રવૃત્તિ કરવા તરફનું દઢ વલણ પ્રદર્શિત થાય છે. માર્ગાનુસારિતા ભવ-નિર્વેદ પછી “માર્ગાનુસારિતા' એટલે મોક્ષની સ્થિતિએ Jain Educhlipi? R ational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy