SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં સૂત્ર ૪૩૩ ઉત્થાપનિકા-છંદ જાણવા માટે અક્ષરગણ કે માત્રાગણનો મેળ કેવી રીતે બેસે છે તે દર્શાવનારી રીતિ. ગાહ-આ પ્રાકૃત આદિ ભાષાનો અતિ પ્રાચીન છંદ છે અને તે જૈન આગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા' છંદ કહે છે. ૧ સર્વ ગાતાઓના સોળ અંશ અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો. સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાત એટલે દીર્ધાન્ત કરવા. છઠ્ઠો પર નભ ગણ એટલે જગણ (ાડા) અથવા લઘુ અક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો ગણ ગણ રહિત કરવો. ગાહાના બીજા અર્થમાં છઠ્ઠો અંશ લઘુ હોવો જોઈએ. ગાહાના ઓછામાં ઓછા ત્રણ લઘુ તો હોવી જ જોઈએ. ગાહાના આ લક્ષણને ધ્યાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે વિભાગો જણાય છે પરંતુ પાછળના છંદશાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ સ્થાપ્યું છે. પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ “ગાહા'નું લક્ષણ છે. ગાહા બોલવા અંગે છંદશાસ્ત્રીઓનું સૂચન એવું છે કે-પહેલું પાદ હંસની પેઠે ધીમે બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું. ૨. મર્યેવ સંસ્કૃતરાષા; Tથાતિ | છંદોનુશાસન. પૃ. ૧૨૮ ૨. ઢi વી (f) હંસવું, વિણ fસદસ વિર નાગા | તી(ત) 13 વર તુ (7) लिअं अहि-वरलुलिअं चउत्थए गाहा । પ્રાકૃતપિંગલ. સૂત્ર-૬ Jain Education Interfational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy