________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૯
સંપત્તિઓનો ઉત્કર્ષ (કલ્યાણ) કરનારા છે. કલ્યાણનો બીજો અર્થ આત્મહિત પણ થાય છે.
ચાહે, આવી પડેલી વિપત્તિઓને દૂર કરવી હોય, ચાહે સંપત્તિઓનો ઉત્કર્ષ કરવો હોય. બંનેના કારણભૂત શ્રી પાર્શ્વનાથ ભગવંત જ છે.
આ વિશ્વમાં વિદ્યમાન કોઈ પણ સંસારી જીવને અનુલક્ષીને વિચાર કરીએ તો કાં તો તે આવી પડેલી વિપત્તિ દૂર કરવા ચાહે છે અને જો તેને વર્તમાનમાં વિપત્તિ ન હોય તો ભવિષ્યમાં વિપત્તિ આવે નહીં તેની તેને ખેવના હોય છે અને સંપત્તિ (પછી ભલે તેની મનની માનેલી ગમે તે હોય) વૃદ્ધિ પામે અને આવેલી સંપત્તિ ટકી રહે એની પણ ઉત્કટ અભિલાષા હોય છે. તેથી તે સર્વ જીવોને અનુલક્ષીને ભગવંતનું “તાપમાવાસં' વિશેષણ અહીં મુકાયું છે.
પ્રથમ ગાથામાં મુકાયેલાં ત્રણ વિશેષણો “મયાપુ' “વિસવિનિHIR' અને “પંપના ઝાવા' પૈકી “મ્પયામુદ્દે વિશેષણ સ્વાર્થ સંપત્તિસૂચક છે, “
વિવિનિન્ના' વિશેષણ પરાર્થસંપત્તિસૂચક છે અને “નિવાિવાર' વિશેષણ ઉભય (સ્વાર્થ અને પરાર્થ એમ ઉભય) સંપત્તિસૂચક છે. विसहरफुलिंगमंतं
જે મંત્રમાં વિસર' અને “ત્નિ' મંત્રપદોનો પ્રયોગ થયો હોય તે મંત્ર અહીં વિવક્ષિત છે, જે અઢાર અક્ષરના માનવાળો છે.
આ મંત્રની સાધનાના ક્રમ, પ્રકારો તથા વિધિ માટે અનેક પૂર્વાચાર્યોએ સ્તોત્રો રચ્યાં છે. તેમ જ આ મંત્રનું માહાસ્ય દર્શાવનારાં પણ અનેક સ્તોત્રો રચાયાં છે, જેમાં મયર અથવા મિUT સ્તોત્ર મોખરે છે.
આ અઢાર અક્ષરના મંત્રને જુદાં જુદાં કાર્યો માટે જુદાં જુદાં મંત્રબીજોથી સમન્વિત કરી તે દ્વારા અભિપ્રેત ફલો સાધવાનો નિર્દેશ મળે છે. તદનુસાર અહીં પણ જે ફલો પ્રસ્તુત ગાથાના ત્રીજા અને ચોથા ચરણમાં દર્શાવાયાં છે તે માટે આ મંત્રને આદિમાં % $ી શ્રી મર્દ બીજોથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org