SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૧૨) પ્રશ્ન : જે જે લક્ષણોપેત હોય તે તે દેવાધિષ્ઠત હોય તેવાં દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે? ઉત્તર : હા. ભગવતી સૂત્રના ૧૪મા શતકના ૮મા ઉદ્દેશામાં શ્રી ગૌતમગણધરના નીચે મુજબના પ્રશ્ન કે હે ભગવંત ! આ સાલ વૃક્ષનો જીવ અહીંથી કાળ કરીને કયાં ઉત્પન્ન થશે ? ના ઉત્તરમાં ભગવંત શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું છે કે હે ગૌતમ ! તે સાલ વૃક્ષનો જીવ આ જ રાજગૃહનગરમાં સાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, પ્રધાન, જેની સેવા સફળ થાય તેવો, જેનું દેવ વડે સાન્નિધ્ય કરાયું છે તેવો થશે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે લક્ષણોપેત વસ્તુઓ દેવાધિષ્ઠિત હોય છે. (૧૩) પ્રશ્ન : ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં છે તે વાત સત્ય છે ? ઉત્તર : હા. ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામીએ સૌથી પહેલાં અર્થથી ૧૪ પૂર્વો દર્શાવ્યાં છે. તે પછી જ અંગો દર્શાવ્યાં છે. તેથી જ તેને પૂર્વ કહેવામાં આવે છે. તે ચૌદ પૂર્વો પૈકી દશમા પૂર્વ વિદ્યાપ્રવાદમાં તે ભગવંતે અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં છે. (૧૪) પ્રશ્ન : તે પછી નમિUT પાસ વિસર મંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી જ ગણાય ને ? १. एस णं भंते सालरुक्खे उपहाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पच्चायाहिति, से णं तत्थ अच्चिय वंदिय पूईय सक्कारिय सम्माणिए दिव्वे सच्चे सच्चेबाए सन्निहियपाडिहरे लाउल्लोइयमहिए यावि भविस्सह...! ભ. સૂ. ૧૪ શ. ૮ ઉ. પૃ. ૬૫ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy