SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ નમો ભુ ખં-સૂત્ર ૩૧૫ શક્રસ્તવ એ નામ ગણનામ-ગુણનિષ્પન્ન નામ સમજવું. (લ. વિ. પ્ર. ભાગ. પૃ. ૬૪ પા. નો.) ઇષ્ટસિદ્ધિનું મૂળ ઉપાસના છે, ઉપાસનાનું મૂળ શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો વિકાસ કરનારું સાધન ચૈત્યવંદન છે. એટલે ઈષ્ટસિદ્ધિ માટે ચેત્યવંદનનું આલંબન અતિ અગત્યનું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-દરેક શ્રાવકે પ્રતિદિન ત્રણ વાર ચૈત્યવંદન કરવું જોઈએ. એક તો પ્રાતઃકાલમાં, બીજું મધ્યાહ્ન-ભોજન કરતાં પહેલાં અને ત્રીજું નિદ્રાધીન થતાં પહેલાં. આ રીતે ત્રણ વાર ચૈત્યવંદન કરવાથી આત્માના અધ્યવસાયો ઘણા જ નિર્મલ થાય છે, જેનું અંતિમ પરિણામ ભવ-બંધનના છુટકારામાં આવે છે. ઉત્તરાધ્યયનસૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં સ્તવસ્તુતિ-મંગલને સ્પષ્ટ રીતે સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનારા કહ્યા છે. એટલે તેની ઉપયોગિતા નિર્વિવાદ સિદ્ધ છે. સામાયિકની ક્રિયામાં જેમ “કરેમિ ભંતે પ્રધાન સૂત્ર છે, તેમ ચૈત્યવંદનની ક્રિયામાં શક્ર-સ્તવ અથવા “નમો યૂ ણં' પ્રધાન સૂત્ર છે, તેથી જ નિગ્રંથ-પ્રવચનમાં કહેવાયું છે કે સૌથયાર્થ વં-ચૈત્યવંદન શકસ્તવાદિવાળું હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ લલિતવિસ્તરામાં આ સૂત્ર પર ન્યાય-પૂર્ણ વિશદ વ્યાખ્યા રચેલી છે કે જેનું વાચન કરવાથી બૌદ્ધમત તરફ ઢળેલા કવિ-કુંજર શ્રીસિદ્ધર્ષિગણિ પુનઃ જૈનમાન્યતામાં સ્થિર થયા હતા. એ વૃત્તિ પોતાને માટે રચી હોવાનું કથન શ્રી સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચા-કથાના પ્રસ્તાવમાં આ પ્રમાણે કરેલું છે : नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । અર્થ નિતિ ચેન, વૃત્તિનૈનિતવિતરા (સિદ્ધષિ) તે શ્રેષ્ઠ સૂરિ શ્રી હરિભદ્રને નમસ્કાર હો કે જેમણે મારા માટે લલિતવિસ્તરા નામની નમો © ણે આદિ સૂત્રની વૃત્તિ-ટીકા બનાવી. આ સૂત્ર નવ સંપદા અને તેત્રીસ આલાપોમાં વહેંચાયેલું છે. તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે સ્વોપજ્ઞ યોગશાસ્ત્રની વૃત્તિમાં (પૃ. ૨૧૬માં) નીચેનું પ્રમાણ આપ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy