SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મનના દસ દોષો વિવેક નો-ત્તિ, નામસ્થી -મ-નિયાત્થિી ! संसय-रोस अविणओ, अबहुमाणए दोसा भाणियव्वा ॥ (૧) અવિવેક દોષ-સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે. (૨) યશકીર્તિ દોષ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ-સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભ-વાંછા દોષ છે. (૪) ગર્વ દોષ-અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. (૫) ભય દોષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દોષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ-સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે. (૯) અવિનય દોષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ-ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy