SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ એ રીતે જિનેશ્વર ભગવંત સ્તવન, પૂજન, નમન, અનુધ્યાન વગેરે રૂપ ક્રિયાનું ફળ, જે સ્વર્ગ અને અપવર્ગ, તેને આપનારા ગણાય છે. અહીં જો કે પોતે કરેલ સ્તવાદિ ક્રિયા ફળ આપે છે, તો પણ સ્તવનીય-અવલંબનત્વ-સંબંધથી તે ક્રિયાના સ્વામી શ્રી જિનેશ્વર ભગવંત છે તેથી સ્તોતવ્ય એવા શ્રી જિનેશ્વર ભગવંતના નિમિત્તે જ સ્તવનાદિ કરનારને ફળનો લાભ થાય છે. અર્થાપત્તિ પણ એક પ્રબળ પ્રમાણ છે. તેથી સ્તુતિક્રિયાનું જે ફળ મળે છે, તેમાં ફળ આપનાર સ્તોતવ્ય શ્રી જિનાદિ છે એમ માનવું, એ પણ પ્રમાણસિદ્ધ છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવંતે દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકામાં સોળમી ઈશાનુગ્રહ-વિચાર દ્વાત્રિંશિકાની ટીકામાં પ્રસ્તુત વિષયને સંક્ષિપ્ત રીતે સમજાવેલ છે. (એનો ભાવાર્થ ઉપર મુજબ છે) (અવતરણ નીચે આપેલ છે.) ઈશાનુગ્રહ વિચાર દ્વાત્રિંશિકાના અંતિમ શ્લોકમાં તેઓ કહે છે કે :તેથી અનુગ્રહને માનતા સાધકોએ સ્વામી(શ્રી તીર્થંકર)ના ગુણો ઉપરના અનુરાગપૂર્વક પરમાનંદ વડે અનુષ્ઠાન કરવું જોઈએ. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં ૫રમાત્માને વ્રતસેવનાદિ અનુષ્ઠાનથી થતી મુક્તિના ઉપચારથી કર્તા કહ્યા છે. તે આ રીતે ઃ આ રીતે અપેક્ષાએ ઈશ્વકર્તૃત્વવાદ પણ સત્તર્કથી ઘટે છે, એમ શુદ્ધબુદ્ધિવાળા પરમાર્થીઓએ કહ્યું છે. તે આ રીતે ઃ १. आर्थ व्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तंत्रनीतितः ||७|| -ઈશાનુગ્રહ વિચાર દ્વાત્રિંશિકા, શ્લો. ૭, ૫. ૯૭ આ. देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाऽभिमता । स्ववनादि क्रियायाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालंबनत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकव्यवहारात् । -ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા, શ્લો. ૧૬ની ટીકા, ૫. ૯૯ અ. २. अनुष्ठानं ततः स्वामी गुणरागपुरस्सरम् । પરમાનન્વત: ાર્ય, મન્યમનૈનુપ્રમ્ રૂા Jain Education International -ઈશાનુગ્રહવિચાર દ્વાત્રિંશિકા, શ્લો. ૩૨, પૃ. ૧૦૧ આ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy