SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતાં પ્રાણીઓ ઉપર અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી. તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા શ્રી તીર્થકર ભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસાર રૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. સારાંશ કે-જો તેઓ રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્ય ચિંતામણિ સમાન તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિના પ્રભાવે સ્તુતિકારોને જે અભિલષિત ફલની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો તેઓ જ છે. પસીયંતુ પદનું વિવેચન કરતાં લ. વિ. જણાવે છે કે આ પસીયંતુ પદ પ્રાર્થના છે કે નહીં ? જો પ્રાર્થના હોય તો આ ઠીક નથી, આશંસા સ્વરૂપ હોવાથી. હવે જો એમ કહો કે આ પ્રાર્થના નથી તો આનો ઉપન્યાસ નિપ્રયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન કહેવામાં આવે તો વંદનસૂત્ર (લોગસ્સ સૂત્ર) અચારુ ઠરે; કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપન્યાસ થયેલો ગણાય. અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ? આનું સમાધાન કરતાં શ્રી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-આ પ્રાર્થના નથી. કારણ કે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો પ્રાર્થનીય પુરુષમાં અપ્રસાદની સૂચક છે; કારણ કે સંસારમાં એવું જોવાય છે કે જે અપ્રસન્ન હોય તેના પ્રતિ પ્રસન્નતાની પ્રાર્થના કરવામાં આવે. જે અપ્રસન્ન જ ન હોય તેની પ્રસન્નતા માટે પ્રાર્થના કેવી ? અથવા ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. એમ કહેવામાં આવે તો પણ તેમાં પૂર્વોક્ત કારણથી જ બાધ આવે. અને આમ બન્ને રીતે તેમાં અવીતરાગતા જ સાબિત થાય. અને તેમ થવાથી સ્તુતિધર્મનો વ્યતિક્રમ થાય. વગર વિચાર્યું બોલવાથી ભગવાનમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ-ન્યાયથી સુલભ બને. (અર્થપત્તિનો અર્થ છે કે જાડો દેવદત્ત દિવસે નથી ખાતો અર્થાત્ રાત્રે ખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy