SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ-સૂત્ર ૦ ૫૭ અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણ સહિત જે જે વિધિ કરવાનો હોય તે શ્રી જિનબિમ્બની આગળ કરવો. સંઘાચાર ભાષ્યમાં શ્રીકંદકની કથામાં કહ્યું છે કે :स्फुटं तदरि (रु) हद्बिम्बेष्वपि स्थापनाचार्यत्वादि तथा क्षमाश्रमणकैः कार्यो (केर्यादेः) विधिस्तत्पुरः અર્થ - અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણસહિત ઈરિયાવહિ વગેરે તે તે વિધિ શ્રી જિનબિંબની આગળ કરવો. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૦૭. (૧) ફિટ્ટાવંદન-સાધુએ સર્વ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓ તથા સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. (૨) છોભવંદન-સાધુએ વડીલ સાધુને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુઓને, સાધ્વીઓને કરવાનું છે. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૬૭. (૫) અર્થ-સંકલના હે ક્ષમાશ્રમણ ! આપને હું સુખ-શાતાની પૃચ્છા વડે તથા અતિચારોના પ્રતિક્રમણ વડે વંદન કરવાને ઇચ્છું છું. (તથા) હે ક્ષમાશ્રમણ આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મસ્તકાદિ પાંચ અંગો નમાવીને-પંચાંગ પ્રણિપાત વડે હું વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય પૂજ્યોને-વડીલોને વંદન કરવાનો આચાર જગતમાં સુપ્રસિદ્ધ છે. તેમાં પણ દેવ અને ગુરુને ખાસ વિધિ-પૂર્વક વંદન કરવામાં આવે છે, કારણ કે તેઓ વડીલોના પણ વડીલ અને પૂજ્યોના પણ પૂજય છે અને તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy