SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પંચિંદિય-સૂત્ર ૦ ૪૭ ૩. કાય-ગુપ્તિ-કાયાનો પ્રશસ્ત નિગ્રહ. આગમાનુસારે કાયચેષ્ટાનું નિયમન કરવું તે. ધ્યાન મનોગુપ્તિમાં મદદરૂપ છે, મૌન વચન-ગુપ્તિમાં મદદરૂપ છે અને સ્થાન કે આસન કાય-ગુપ્તિમાં મદદરૂપ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટ પ્રવચન-માતા છે. ગુરુ:-આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં ગુરુનું લક્ષણ નીચે મુજબ જણાવ્યું છે ઃ महाव्रतधरा धीराः, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८ ॥ મહાવ્રતધારી, ધીર (ઉપસર્ગોને તથા પરીષહોને ધીરજથી સહન કરનારા), ભિક્ષા ઉપર જ જીવનારા, સામાયિકમાં (સમભાવમાં) રહેલા અને ધર્મનો ઉપદેશ કરનારા ગુરુ મનાયેલા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને ઉપરની વ્યાખ્યા લાગુ પડે છે. જગતના અન્ય ધર્મોએ પણ ગુરુપદને ખૂબ મહત્ત્વ આપેલું છે. (૫) અર્થ-સંકલના પાંચ ઇંદ્રિયોના વિષયોને, જીત નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા; વળી પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. (૬) સૂત્ર-પરિચય ધર્મના આ૨ાધન માટે થતી ક્રિયા કે થતું અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન કહેવાય છે. આવું ધર્માનુષ્ઠાન ગુરુની સામે, ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞા-પૂર્વક અને ગુરુનો વિનય જાળવીને ક૨વામાં આવે, તો શીઘ્ર ફલદાયી થાય છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy