SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રમોદા ચિત્રભાનુ 12. પ્રાણિજ પદાર્થોના દુરુપયોગની હકીકતો અને તેના વિકલ્પો આ લેખમાં આપેલી માહિતી તમને સજીવ પ્રાણીઓના રોજિંદા શોષણ અને પીડાને ઓછી કરવામાં મદદ કરશે. (અમેરિકનોની અપેક્ષાએ) મોટા ભાગે જ્યારે લોકો શાકાહાર શરૂ કરે છે ત્યારે ઈંડાં અને દૂધનું પ્રમાણ વધારી દે છે. રુંવાટીવાળાં વસ્ત્રો, ચામડાંની ચીજો, ઊનનાં ગરમ વસ્ત્રો અને ડેરી ઉદ્યોગને ટેકો આપવા દ્વારા પ્રાણીઓનું જે સ્થૂળ શોષણ થાય છે તેનો ઘણા શાકાહારીઓ અનુભવ કરતા નથી. અહીં એવી કેટલીક હકીકતો અને વિકલ્પો તમને જણાવવામાં આવે છે. આ માહિતી જૈન મેડિટેશન સેન્ટર, ન્યૂયોર્ક તરફથી સંકલિત કરવામાં આવી છે. હિંસાની વાસ્તવિકતા : આજે ફેક્ટરી ફાર્મિંગ, એ અત્યંત અમાનવીય / નિંદનીય પરિસ્થિતિમાં ચોપગાં પશુઓ અને પક્ષીઓનો એક માત્ર ઉત્પાદનના મશીન તરીકે ઉપયોગ કરી, આધુનિક મશીનો દ્વારા ચોક્કસ પ્રકારના ધ્યેયની પૂર્તિ કરવા માટેની પ્રજોત્પતિની ઉછેર કરવાની પ્રક્રિયા છે. તેના પરિણામે પ્રાણીઓને તણાવ, રોગ, પીડા અને દુઃખ ઉત્પન્ન થયા વગર રહેતાં નથી. ગાય-ભેંસ : ગાય-ભેંસ એ કુદરતી ગરીબડાં પ્રાણીઓ છે, જે આજે હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓનાં ઈંજેક્શનો અને અન્ય દવાઓ દ્વારા માત્ર વાછરડાં-વાછરડી, પાડા-પાડી સ્વરૂપ માંસ અને દૂધના મશીન સ્વરૂપમાં ફેરવાઈ ગયાં છે. જ્યારે તે ગાય-ભેંસ, વાછરડા-વાછરડી, પાડા-પાડી સ્વરૂપ માંસ અને દૂધનું પૂરતું ઉત્પાદન કરી શકતાં નથી ત્યારે તે જ ગાય-ભેંસને છોવટે કતલખાનાની ભયંકર યાતના સહન કરવી પડે છે.
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy