SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ રીતે ચાંચોને બૂઠી બનાવવાનું કામ ખાસ રાત્રે બદામી રંગના આછાં અજવાળામાં કરવામાં આવે છે, જ્યારે મરઘીઓ કાંઈ જ જોઈ શકતી નથી. મરઘીની ચાંચનો નીચેનો ભાગ તોડી નાખવામાં આવે છે. આમાં જો કંઈ ભૂલ થાય તો એ મરઘી પછી આખી જિંદગી સુધી કાંઈ જ ખાઈ શકતી નથી, જ્યારે મરઘીની ચાંચ તોડવામાં આવે છે ત્યારે તેના ઘાના કારણે ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી તેને ભૂખ્યા રહેવું પડે છે. શું આવી ક્રૂરતાની અસર તે મરઘીનાં ઈંડાં ખાનાર ઉપર થાય નહિ ? મરઘીઓમાંથી હિંસકવૃત્તિ જન્માવે એવા પાંચ પ્રકારના ખોરાક બનાવવામાં આવે છે. 1. હાડકાંનુ ભોજન, 2. લોહીનું ભોજન, 3. મરઘીનાં ઉત્સર્જિત પદાર્થો, ઈંડાં, વિષ્ટા વગેરે. 4. માંસનું ભોજન અને, 5. વિશિષ્ટ ભોજન (Fish meal). શું આટલું જાણ્યા પછી પણ આપણે એમ કહીશું કે ઈંડાં એ શાકાહાર છે ? પહેલી વાત એ કે શાકાહારી ઈંડાં એ નામ જ ખોટું આપવામાં આવ્યું છે. ફલીનીકરણ થયેલાં ઈંડાંમાંથી બચ્યું પેદા થાય છે, તે જ તેનો હેતુ છે. પરંતુ ફલીનીકરણ થયા વગર ઈંડાંમાંથી એ રીતે બચ્ચાં પેદા થતાં નથી અને તે સંપૂર્ણપણે અખાદ્ય છે. મરઘીઓને સતત પીડા આપીને પ્રાપ્ત કરાતાં અને કારખાનામાં બનાવાતાં હોય તે રીતે સતત મેળવાતાં ઈંડાં ખરેખર આરોગ્ય માટે નુકશાનકારક છે તેથી સૌથી સારી વાત એ કે ઈંડાં કોઈએ ખાવાં જ નહિ. મરઘાનાં સંયોગ વિના જે ઈંડાં મેળવવામાં આવે છે, જે ફલીનીકરણ થયા વિનાનાં કહેવાય છે. તેમાં પણ જીવન તો હોય છે જ અર્થાત્ એ પણ સજીવ જ છે કારણ કે ઈંડાં મરઘીએ જ પેદા કરેલ છે અને મરઘીના લોહી તથા કોષો દ્વારા જ તે બનેલ છે, તેથી તેનો આહારમાં ઉપયોગ એ 100% માંસાહાર જ છે. મિ. ફિલિપ જે. સ્કેમ્બલ (Mr. Philip J. Scamble) નામના વિખ્યાત અમેરિકન વિજ્ઞાનીના કહેવા પ્રમાણે કોઈપણ ઈંડાં ક્યારેય નિર્જીવ હોતાં નથી. અમેરિકામાં મિશિગન (Michigan) યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy