SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા 2600 ચો. ઈંચ હોય છે. એટલે એક ગાય-બળદના ચામડામાંથી આવા ચામડાના 10 પાઉચ બને છે. સામાન્ય રીતે એક કિલોગ્રામ મીઠાઈ ઉપર 4 ચાંદીના વરખ વપરાય છે અને એક ગાય-બળદના આંતરડાં દ્વારા લગભગ 4000 કિલોગ્રામ મીઠાઈ માટેના ચાંદીના વરખ તૈયાર થાય છે. સામાન્ય આકારણી (સર્વે) કરતાં જાણવા મળ્યું છે કે ભારતના એક મધ્યમવર્ગીય 4 વ્યક્તિઓના કુટુંબ દીઠ વર્ષે લગભગ 100 કિલોગ્રામ મીઠાઈ વપરાય આ રીતે જો સરેરાશ 4 વ્યક્તિનું એ મધ્યમવર્ગીય ભારતીય કુટુંબ વર્ષે 100 કિલોગ્રામ મીઠાઈ 40 વર્ષ સુધી વાપરે તો તેમાં વપરાયેલ ચાંદીના વરખ બનાવવા માટે ત્રણ ગાય-બળદનાં આંતરડાં અને એક ગાય-બળદનાં ચામડાંનો દશમો ભાગ વપરાય છે. ફક્ત ભારતમાં જ આ રીતે વરખ બનાવવામાં આવે છે તેવું નથી. જર્મનીમાં નાના નાના ઉદ્યોગકારો પણ સોનાના વરખ બનાવે છે જેની જાડાઈ 1/100000 મિલિમીટર હોય છે અને તે શોભા માટે તથા યંત્રોમાં વપરાતી ઈલેક્ટ્રિક સરકીટોના લેમિનેશન માટે વપરાય છે. યહુદી લોકો પણ એ જ કામ માટે અને ખાસ કરીને આહારમાં, ભારતની માફક જ સોનાના વરખનો ઉપયોગ કરે છે. ભારતમાં જે દર વર્ષે 275 ટન ચાંદીના વરખ વપરાય છે તે તૈયાર કરવા માટે દર વર્ષે 516000 ગાય-બળદનાં આંતરડાં અને 17200 વાછરડાઓનાં ચામડાં વપરાય છે. તેથી આપણે એવી વૈકલ્પિક પદ્ધતિથી શોધી કાઢવી જોઈએ કે જેમાં ગાય-બળદનાં આંતરડાં જેવા હિંસક પદાર્થોના ઉપયોગ વગર પણ ચાંદીના વરખ તૈયાર કરી શકાય. તા. ક. જાપાનમાં બનાવવામાં આવેલ કૃત્રિમ કાગળ જેના સામાન્ય રીતે કાતર જેવા સાધન સિવાય બે ટૂકડા થઈ શકતા નથી, તેના
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy