SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વેચવામાં આવે છે, તે જ રીતે આ પણ વેચાય છે અને એ સાફ કરીને, કાપીને વરખ બનાવવામાં વપરાય છે. એક ગાય-બળદનું આંતરડું લગભગ 540 ઈંચ લાંબું અને ત્રણ ઈંચની ગોળાઈવાળું હોય છે. તે કાપતાં 540"×10” નું ચામડું થાય છે. તેના 9”×10” ના કુલ 60 ટૂકડા થાય છે. આવા 171 ટૂકડાની એક પુસ્તિકા બનાવવામાં આવે છે. પછી એ આંતરડાંનાં ચામડાંની વચ્ચે ચાંદીની નાની નાની ટૂકડીઓ મૂકને એ પુસ્તિકાને જાડા ચામડાવડે બાંધવામાં આવે છે. અહીં ફરીવાર ગાય-બળદના ચામડાનો ઉપયોગ થાય છે. ત્યારપછી કારીગરો એ પુસ્તકને સતત આખો દિવસ જાડા નાના હથોડાવડે ટીપ્પા કરે છે ત્યારે 3” x 5” ના એકદમ પાતળા વરખ તૈયાર થાય છે. ચામડું અને ગાય-બળદનાં આંતરડાંની ચામડી અત્યંત નરમ હોવાથી, હથોડા વડે સતત આખો દિવસ અથવા 8 કલાક સુધી, જ્યાં સુધી ચાંદીના ટૂકડાનું અપેક્ષિત જાડાઈવાળા વરખમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી ટીપવામાં ટકી શકે છે. અને જ્યારે વરખ તૈયાર થઈ જાય છે ત્યારે તેને કાળજી પૂર્વક લઈને ઝીણા કાગળના ટૂકડાઓ વચ્ચે મૂકી મીઠાઈવાળાઓને વેચી દેવામાં આવે છે. 160 વરખનું વજન લગભગ 10 ગ્રામ થાય છે અને તેની કિંમત લગભગ 200 રૂપિયા થાય છે. 171 ટૂકડાની એક પુસ્તિકા બનાવવામાં ત્રણ ગાય-બળદનાં આંતરડાંનો ઉપયોગ થાય છે અને એક પુસ્તિકામાં લગભગ 160 વરખ તૈયાર થાય છે. બાકીના વરખ બરાબર નહિ હોવાથી ઉપયોગમાં આવતા નથી. આ રીતે આખા વર્ષમાં લગભગ 300 દિવસ દરમ્યાન એક પુસ્તિકામાં 48000 વરખ તૈયાર થાય છે અર્થાત્ એક ગાય- બળદના આંતરડાથી વર્ષે 16000 વરખ તૈયાર થાય છે. ગાય-બળદના આંતરડાંની પુસ્તિકાની ઉપરનું ચામડું પણ કાં તો ગાયબળદનું અથવા વાછરડાંનું હોય છે અને તેમાં લગભગ 232 ચો. ઈંચ ચામડું વપરાય છે. એક ગાય-બળદનું ચામડું લગભગ 18 ચો. ફૂટ
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy