________________
પ્રાણીઓ દ્વારા મુક્ત કરાતા તરંગો/આંદલનો સંબંધી વૈશ્વિક સિદ્ધાંત/નિયમ કે ‘તમે જેવું આપશો તેવું જ પ્રાપ્ત કરશો'થી તેની જાતને મુક્ત/અલિપ્ત રાખી શકતો નથી.
કોઈપણ પ્રાણીને મારી નાખવા માટે પહેલાં તમારે નિર્દય/કઠોર બનવું પડે છે, ત્યાર પછી જ તમે તેને મારી શકો છો. જ્યારે તે અજ્ઞાનવશ કોઈપાપ કર્મ કરે છે, ત્યારે તે પોતાના જ સદ્ગુણનો નાશ કરે છે અને પોતાની જાતને ધિક્કારવાના બિંદુ સુધી પહોંચી જાય છે. જો મનુષ્યને પોતાની જાત પ્રત્યે જ આદરમાન ન હોય તો તેણે અન્ય જીવંત પ્રાણી પ્રત્યે આદરમાન ક્યાંથી હોય ? આ રીતે હિંસા સતત થતી રહે છે અને હિંસા
તથા ધિક્કારનું વિષચક્ર સતત ચાલુ રહે છે.
ફક્ત સ્વાદને ખાતર જ માંસાહાર કરવો એ જીવન પ્રત્યેની પીડા/દુઃખ અને ત્રાસ છે એવો વિચાર પણ કોઈ કરતું નથી ! જીવન કે જે પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકાતું નથી. પ્રબળ જીજીવિષા સાથેનું જીવન ખૂબજ કિંમતી છે. પૃથ્વી ઉપર દરેક જીવને પોતાની નિયતિ દિવ્યતા પ્રગટ કરવા માટે યોગ્ય સમય જોઈએ છે, અને અકાળ મૃત્યુ જીવનના કુદરતી આવિર્ભાવના ચક્રને ખંડિત કરે છે. તત્ત્વજ્ઞાની પ્લુટોએ કહ્યું છે કે, ‘આપણે ફક્ત આપણી જીભડીના સ્વાદને ખાતર, આ વિશ્વમાં આનંદ મેળવવા જન્મેલ આત્માની જિંદગી અને સમય લઈ લઈએ છીએ.’
ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે કે જો તમે પ્રાણીઓને મારતા નથી તો પછી વનસ્પતિને કેમ મારો છો ? જૈન વિચારધારા આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપે છે. મૂળભૂત રીતે આ સમગ્ર બ્રહ્માંડમાં ફક્ત બે પ્રકારના પદાર્થો છે. 1. સજીવ અને 2. નિર્જીવ
સજીવ દા. ત. મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, સૂક્ષ્મ હાલતા ચાલતા જીવો, વનસ્પતિ ઝાડ વગેરે, હવા, અગ્નિ, પાણી, પૃથ્વી. નિર્જીવ પદાર્થો દા. ત. ટેબલ, ખુરશી, મકાન, ગાડી, મોટર, મશીન વગેરે. જ્યાં