SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષી-પ્રાણીઓ-ગાય-ભેંસ-મરઘી-ડુક્કર વગેરેનાં માંસ તથા મચ્છી અને દરિયાઈ જળચરોનો આહાર કરતા નથી પણ ઈંડાં અને દૂધ, દહીં, માખણ વગેરે અને દૂધની પેદાશો ખાય છે. (કેટલાક અમેરિકન પોતાને શાકાહારી કહેવડાવે છે પણ મરઘી અને મચ્છી ખાય છે, તેઓ આ વ્યાખ્યા પ્રમાણે શાકાહારી નથી.) Lacto-vegetarian : પશુ-પક્ષીઓનાં માંસ, ઈંડાં, ઈંડાની બનાવટો, મચ્છી અને દરિયાઈ જળચરોનો આહાર કરતા નથી પણ દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરે છે. Vegan : સંપૂર્ણ શાકાહારી, બધા જ પ્રકારના પ્રાણિજ પદાર્થોનો ત્યાગ કરે છે, માંસ, મચ્છી, દરિયાઈ જળચરો, ઈંડાં, ઈંડાંની બનાવટો, દૂધ, દહીં, ઘી, માખણ તથા ડેરી પેદાશો અને મધ વગેરે બધી જ વસ્તુઓનો ત્યાગ કરે છે. વધુમાં તેઓ ચામડા, ઊન, રેશમ અને બીજી પ્રાણિજ વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. આપણે શાકાહાર અંગેના નૈતિક, કુદરત/પર્યાવરણ તથા આરોગ્ય સંબંધી દૃષ્ટિકોણ જોયા. હવે આપણે શાકાહાર અંગેનો આધ્યાત્મિક/ધાર્મિક દૃષ્ટિકોણ જોઈએ. પ્રાચીન કાળથી કરવામાં આવતા શાસ્ત્રોના અધ્યયન અને સંશોધનોએ એક જ વાત પ્રગટ કરી છે કે બધા જ પ્રાણીઓ જીવવાને ઈચ્છે છે, બધાં જ સુખી થવાને ઈચ્છે છે. કોઈને પણ મૃત્યુ ગમતું નથી, કોઈપણ દુઃખી થવાની ઈચ્છા કરતું નથી. પરંતુ મનુષ્ય તેના આનંદ અને સુખને ખાતર, તેના લોભ અને તેને સંતોષવાની ઉત્કટ ઈચ્છાને કારણે દરેક વસ્તુ અને પ્રાણીનો શિકાર કરીને, હિંસા કરીને, પાંજરે પૂરીને અથવા તો મુક્ત રીતે હાલતાં ચાલતાં અજાણ્યાં પ્રાણીઓના પ્રાણ હરી લઈને, હિંસક કાર્યો દ્વારા બેરહમ ઉપયોગ કરે છે. આ રીતે તે ફક્ત જીવતા પ્રાણીઓનો જ દુરુપયોગ કરતો નથી પણ તેની જાતનો જ દુરુપયોગ કરે છે કારણ કે એ પોતે પણ એક જીવંત પ્રાણી છે અને જીવંત
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy