SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચરબી હોય છે. કેટલાક શાકાહારીઓમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું હોય છે કારણ કે તેઓ તેમના ખોરાકમાં સંતૃપ્ત ચરબીવાળો આહાર વધુ લે છે. તેથી જો કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું કરવું હોય તો સંતૃપ્ત ચરબીવાળો આહાર સંપૂર્ણ બંધ કરવો જોઈએ. બીજાં વનસ્પતિ તેલોમાં મોટે ભાગે અસંતૃપ્ત ચરબી હોય છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને પ્રકારની ચરબી કેલરિ સંગ્રહ કરવાનાં માધ્યમો છે. તેથી સૌએ પોતાના આહારમાં અસંતૃપ્ત ચરબીવાળા આહારનો પણ સૌથી ઓછો ઉપયોગ કરવો જોઈએ. તળ્યા વગરનો અને કોઈપણ જાતના તેલ વગરનો શુદ્ધ શાકાહાર એ તંદુરસ્ત આહાર છે. આવો આહાર કરનારને કોલેસ્ટેરોલની કોઈ તકલીફ થતી નથી. વિટામીન બી-12 : ઉત્તમ કક્ષાના લોહી તથા ચેતાતંત્ર (જ્ઞાનતંતુ) માટે વિટામીન બી-12 જરૂરી છે. અલબત્ત, દરેકને આખા દિવસ દરમ્યાન ફક્ત બે માઈક્રોગ્રામ વિટામીન બી-12 જોઈતું હોય છે. વિટામીન બી-12 વનસ્પતિ કે બીજા કોઈ પ્રાણી બનાવતાં નથી. પરંતું આપણા પાચનતંત્રમાં રહેલા બેક્ટેરિયા – જીવાણુંઓ જ તે પેદા કરે છે. મનુષ્યના પાચનતંત્રમાં રહેલ બેક્ટેરીયા વિટામીન બી-12 ઉત્પન્ન કરે છે પરંતુ કોઈ કારણે મનુષ્ય એનો ઉપયોગ કરી શકતો નથી. જ્યારે ગાય-ભેંસના પાચનતંત્રમાં તેના બેક્ટેરીયા વિટામીન બી-12 બનાવે છે અને તેને પોતાના શરીરમાં શોષણ પણ કરે છે. આથી ડેરી પેદાશોમાં વિટામીન બી-12 જોવા મળે છે. જો તમે સંપૂર્ણ શાકાહારી (Vegan) અર્થાત્ દૂધ, દહીં, ઘી સહિતના કોઈપણ પ્રાણિજ પદાર્થનો ઉપયોગ કરતા ન હો તો તમને વિટામીન બી-12 પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી. જો તમે વિટામીન બી-12 માટે પ્રાણિજ પદાર્થો દૂધ, દહીં, ઘી લેવાનું નક્કી કરો તો તે સાથે તમારા ખોરાકમાં મોટા પ્રમાણમાં કોલેસ્ટેરોલ અને ચરબી પણ આવશે.
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy