________________ From : "PARIND SHAH" <
[email protected]> મારા એક પૂજનીય કાકાએ વીજ-પત્ર (e-mail) દ્વારા મોકલેલ ગાયભેંસના દૂધ અંગેનો તમારો લેખ મેં વાંચ્યો. હું અહીં છેલ્લા દોઢ વર્ષથી આવ્યો છું ત્યારથી કંદમૂળ નહિ લેવાનો પ્રયત્ન કરું છું અને તેમાં હું મોટે ભાગે સફળ થયો છું. પરંતુ દૂધ અને દૂધની બનાવટોનો હું ઉપયોગ કરું છું.... મેં જે હકીકત વાંચી તે ભયંકર છે. મહેરબાની કરી તમે મને સમજાવશો કે રોજિંદા જીવનમાં તમે દૂધ અને દૂધની પેદાશોનો ત્યાગ કઈ રીતે કરી શકો છો ? પરિન્દ શાહ Date : Mon. 24 Aug, 1998 21:33:14 EDT From : hkmehta1 @juno.com (Haresh Mehta) મારું નામ રિદ્ધિ મહેતા છે અને 16 વર્ષની છું. હું હમણાં જ કૉલંબિયા એસ.સી.ના બોસ્ટન એમ. એ. થી આવી છું. તમે જે માહિતી આપી એથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. તે તમારા અભિપ્રાયના કારણે નહિ પણ તમે કરેલ માનવકસાઈની વાતથી. કૉલંબિયામાં શ્રી ચિત્રભાનુજીનાં પ્રવચનો સાંભળ્યા પછી 97ના મે મહિનાથી મેં ઈંડાં અને પનીર તેમાં નાખવામાં આવતા પદાર્થોના કારણે ખાવાનાં બંધ કર્યા છે. હું જે ભૂલી ગઈ હતી તે યાદ કરાવવા તેની માહિતી આપવા બદલ તમારો આભાર માનું છું. રિદ્ધિ Date : Tue. 21 Apr., 1998 18:25:27 EDT From : Instyplano <
[email protected]> જય જિનેન્દ્ર ! મારું નામ અતુલ ખારા છે. હું અહીં ડલ્લાસ (ટેક્સાસ)માં ઉત્તર ટેક્સાસના જૈન સમાજનો ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં બૉર્ડનો સભ્ય છું. સૌ પ્રથમ જીવદયામાં પ્રસિદ્ધ થયેલ આપના વિગતવાર સંશોધન લેખ બદલ આભાર. ડેરી પેદાશોનો ઉપયોગ બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં તમારો લેખ ઘણા જૈનોને મદદ કરશે એ વાતની મને ખાત્રી છે.