________________
Compodium of Jainism – Part (II)
• માથે કે કપાળે હાથ દઈને દુઃખભરી મુદ્રામાં બેસવું કે પછી બરાબર જમીન સાફ કર્યા
વગર તેની પર ચાલવું.
• સુઈ જવું કે નિષ્ક્રિય રહેવું.
•
કારણ વગર બીજા પાસેથી કોઈ પ્રકારની સેવા લેવી.
સામાયિક આવશ્યક વખતે બોલવામાં આવતા અમુક સૂત્રો આ પ્રમાણે છે:
પંચિંદિય સૂત્ર અથવા ગુરુ સ્થાપના સૂત્ર, ઇરિયાવહિયં સૂત્ર કે માફી માંગવા માટેનું સૂત્ર, કરેમિ સંતે સૂત્ર અથવા સામાયિકનું વ્રત લેવું વગેરે.
D.4.2.2 ચવિસનો તીર્થંકરની ભક્તિ ભરેલી પ્રાર્થના
-
ચŚવિસન્થોનો અર્થ છે ચોવીસ તીર્થંકર પરમાત્માઓના ગુણોની ભક્તિ કરવી. આ આદરણીય પ્રાર્થના ૨૪ તીર્થંકર ભગવાનના ગુણો જેવા કે રાગ અને દ્વેષથી મુક્તિ એટલે કે વીતરાગત્વને યાદ કરવા થાય છે. આ ગુણો મેળવવા પ્રયત્ન કરવાથી આપણે કષાયોથી દૂર થઈ શકીએ છે. લોગસ્સ સૂત્રનો જાપ કરવાથી આપણે ચોવીસ તીર્થંકર ભગવાનનોને નમસ્કાર કરી શકીએ છીએ, આથી તેને ચતુર્વિશાંતિ સ્તવ કહે છે. લોગસ્સ સૂત્રનો શ્રદ્ધાથી જાપ કરવાથી આપણે પણ તીર્થંકર ભગવાન જેવા ગુણોને મેળવીએ છીએ, આપણી શ્રદ્ધાને શુદ્ધ કરીએ છીએ અને સમ્યગ દર્શન મેળવીએ છીએ. જેમની પાસે સમ્યગ દર્શન હોય તે છેવટે મોક્ષ મેળવે છે.
ભક્તિભરી પ્રાર્થનાના પ્રકારો:
ભક્તિ ભરી પ્રાર્થનાના પણ બે પ્રકારો છે
. દ્રવ્ય
ભાવ
તીર્થંકર ભગવાનની પ્રતિમાના શુદ્ધ દ્રવ્યો જેવા કે ચોખા અને પુષ્પથી પૂજા કરવી તે બાહ્ય સ્તુતિ કે દ્રવ્ય સ્તુતિ છે અને તીર્થંકર ભગવાનના આંતરિક ગુણધર્મોની પ્રશંસા કરવી આંતરિક ભક્તિ કે ભાવ સ્તુતિ છે. ચŚવિસન્થો અથવા ચતુર્વિશાંતિ સ્તવમાં બોલવામાં આવતું મુખ્ય સૂત્ર લોગસ્સ સૂત્ર છે જેમાં ૨૪ તીર્થંકરના નામથી તેમની ભક્તિ કરવામાં આવે છે.
D.4.2.3 વંદના - સાધુઓનો આદર
જૈન શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની વંદનાનો ઉલ્લેખ મળે છે .
જો આપણે કોઈ સાધુને રસ્તામાં અથવા બીજી કોઈ જગ્યાએ મળીએ તો આપણે માથું નમાવીને કહીએ છીએ કે 'મન્થએણ વંદામિ' અથવા 'નમામસામી વંદામિ' જેનો અર્થ થાય છે કે હું તમને નમન કરું છું
Page 49 of 307