SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) K.૩ દિગંબર અને શ્વેતાંબર પરંપરાના મહાન આચાર્યો આચાર્ય કુંદ કુંદ દ્વારા લખાયેલ મહાન લખાણો જે લગભગ ૨૦૦૦ વર્ષ જૂના છે, જેને તમામ દિગંબર તેમજ અન્ય ઘણા જૈનો દ્વારા આદરણીય મનાય છે. આચાર્ય પુષ્પદંત અને ભૂતબલી દ્વારા લિખિત ષટખંડઆગમ દિગંબર દ્વારા સ્વીકૃત સૌથી પ્રાચીન (૫૦-૮૦AD) શાસ્ત્રોમાંથી એક છે. આચાર્ય ઉમાસ્વાતી દ્વારા લિખિત તત્વાર્થ-સૂત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બંને મુખ્ય પરંપરાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર જે રાજા વિક્રમાદિત્યના સમયમાં થયા હતા અને તેમણે જૈન ધર્મના ઘણા પાસાઓ વિશે લખ્યું હતું. તેમનું સંમતિતર્ક એક સિદ્ધ ગ્રંથ માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં પણ વિદ્વાનો દ્વારા ઉત્સાહપૂર્વક તેનો અભ્યાસ કરવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ-સ્વામી ૫ મી કે ૬ઠ્ઠી સદીમાં, અને આચાર્ય ગુણધરના કષાય-પાહુડા, આગમના સંકલન પછી લખાયેલી કેટલીક મુખ્ય કૃતિઓ છે, સાથે જ આચાર્ય હરિભદ્રસૂરીનું ષડદર્શન સમુચ્ચય અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય ૮ મી સદીમાં લખાયેલું છે. તે સમય સુધીમાં, મૂર્તિ પૂજા નિશ્ચિતપણે સ્થાપિત થઈ ગઈ હતી, અને ઘણા મંદિરો સ્થાપવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિએ મૂર્તિઓને સાચવવા અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવા માટે કુશળ લોકોની મદદની જરૂર હતી. શ્વેતાંબર સંપ્રદાયમાં, આ યતિ તરીકે ઓળખાતા સાધુઓનો ઉદય થયો. તેઓ મંદિરોમાં રહેતા હતા અને તેથી ચૈત્યવાસી તરીકે ઓળખાયા. તેઓ સમૃદ્ધિમાં રહેતા હતા અને જીવનની તમામ સુખ-સુવિધાઓનો લાભ લેતા હતો. હરિભદ્રસૂરીએ તેમના અતિરેકની પ્રથમ ટીકા કરી હતી. જો કે, તે પછી પણ આ પ્રથા ચાલુ જ રહી. આ સમયગાળા પછી મહાપુરાણ દિગંબર આચાર્ય જિનસેન દ્વારા(૭૭૦-૮૫૦) અને ત્રિષષ્ટિ શલાકાપુરુષ હેમચંદ્રાચાર્ય (૧૦૮૮-૧૧૭૩) દ્વારા લખવામાં આવ્યા. આ બંને કૃતિઓ વિશાળ છે અને તીર્થંકરો અને અન્ય પ્રખ્યાત હસ્તીઓના જીવન સાથે સંકળાયેલી છે. આ સમયગાળા દરમિયાન,વર્ધમાનસૂરી દ્વારા ૧૧મી સદીમાં અતિરેકને ઘટાડવા માટે નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમના અનુગામીઓ જિનેશ્વરસૂરી અને જિનદત્ત-સૂરીએ પ્રયાસ ચાલુ રાખ્યો હતો. ત્યાર બાદ, જે દાદા ગુરુદેવ તરીકે જાણીતા છે, તેમણે લગભગ ૧૧૫૦ માં ખડતર ગચ્છ (શુદ્ધ સંપ્રદાય) ની સ્થાપના કરી હતી. જોકે, યતીઓની અતિરેકતા આનથી પણ બચી ગઈ હોવાનું જણાય છે. હીરવિજયસુરી ૧૬ મી સદીના જાણીતા આચાર્ય હતા. તેમણે મુગલ બાદશાહ અકબરને પણ Page 296 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy