________________
Compodium of Jainism – Part (II)
જકાત લે છે.
આ સાંભળીને વિમલ શાહ પાછા ફર્યા. પોતાની જાતને પુછ્યું, “એક દિવસ મારા પોતાનો વંશજ પણ મેં બંધાવેલા મંદિર માટે જકાત લેશે તો શું થશે?” આ વિચાર માત્રથી તે કંપી ઉઠયા. તેમણે મનોમન નક્કી કર્યું કે આવા સંજોગોમાં બાળક ન હોય તે જ સારુ. તેઓ ઉપર ગયા અને પત્નીને આ બનાવની જાણ કરી. પત્ની પતિના વિચારો સાથે સંમત થઈ. અડધી રાત્રે જ્યારે દેવીએ આવીને તેમને શું જોઇએ છે તેવું પૂછ્યું તો શ્રીદેવીએ તેઓને હવે બાળક નથી જ જોઇતું તેમ જણાવ્યું, વિમલાએ પોતાને કૂવામાં જ અનુભવ થયો હતો તે વર્ણવ્યો અને કહ્યું આ જ કારણે તેઓ નિઃસંતાન રહેવા ઈચ્છે છે.
J 3.2 વસ્તુપાલ અને તેજપાલ
ગુજરાતના રાજા વીર ધવલના દરબારમાં વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઈઓ હતા. તેજપાલ સૈન્યનો ખૂબ જ જાણીતો સૈનિક હતો. બંને ભાઇઓએ પોતાના પરાક્રમ અને નિષ્ઠાથી નામના મેળવી હતી. તેઓ રાજાને દુશ્મનોને જીતવા માટે તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હતા. તેજપાલની પત્ની અનુપમા દેવી ખૂબ ડાહી અને બાહોશ સ્ત્રી હતી. તે હંમેશા તેના પતિને કુટુંબની વાતોમાં મદદરૂપ થતી. તે ધાર્મિક પ્રકૃતિની અને દયાળુ સ્વભાવની હતી.
તેજપાલ હંમેશા તેની વાત માનતો હતો. એકવાર બન્ને ભાઈઓનું કુટુંબ તથા બીજા ઘણા બધા યાત્રાએ નીકળ્યા. તેઓ એક નાના ગામમાં આવ્યા. યાત્રાળુઓ માટે આ રસ્તો સલામત ન હતો. ચોર ડાકુ અવારનવાર ત્યાં ત્રાટકતા હતા. પોતાને પણ રસ્તામાં ચોર ડાકુ મળી જાય તો? એવા વિચારોથી પ્રેરાઈને બંને ભાઈઓએ પોતાની સાથેની સંપત્તિને ક્યાંક છુપાવવા અથવા ક્યાંક દાટી દેવાનું વિચાર્યું. યોગ્ય સ્થળે તેઓએ ખોદવાનું શરુ કર્યું. તો તેમના આશ્ચર્ય વચ્ચે જમીન માંથી જવેરાત તથા સોનાના સિક્કા ભરેલા ચરુ મળ્યા. આ મળેલા ધનનું શું કરવું તે તેઓને સમજાયું નહીં.
બંને ભાઈઓએ માઉન્ટ આબુ પર મંદિરો બંધાવાનું નક્કી કર્યું. તે મંદિરો લૂણીગ વસહીના મંદિરો તરીકે ઓળખાય છે. તીર્થંકર ભગવાન નેમિનાથના સમવસરણની રચના પણ ત્યાં કરવામાં આવી છે. તેજપાલે બંને ભાઈઓની પત્નીઓની યાદગીરી માટે સુંદર ગોખલા બનાવવાનું નક્કી કર્યું. આ ગોખલા ‘દેરાણી-જેઠાણીના ગોખલા' તરીકે ઓળખાય છે. ૫૨ દેવ કુલીકા(બાવન જિનાલય) પણ મુખ્ય દેરાસરની આજુબાજુ બનાવવામાં આવી જેમાં તીર્થંકરની મૂર્તિ રાખવામાં આવી છે. માઉન્ટ આબુ પર આરસ પહોંચાડવા માટે હાથીનો ઉપયોગ થતો. મંદિર બાંધવામાં હાથીઓનો મહત્વનો ફાળો હતો તે બતાવવા મંદિરના પરિસરમાં હસ્તિશાળા બાંધવામાં આવી હતી.
તેમણે ઘણા મંદિરો બંધાવ્યા પણ હાલમાં ફક્ત દેલવાડાના દેરા (મંદિરો) અને ગિરનાર પરનાં
Page 270 of 307