________________
Compodium of Jainism – Part (II)
J.1 વ્રજકુમાર
તુંબીવન શહેરમાં ધનગીરી નામનો પૈસાદાર બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામે સુંદર પત્ની હતી. તેઓ ખૂબ જ આનંદી જીવતાં હતાં, સુનંદા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એણે એક સુંદર સ્વપ્ન જોયું હતું. તેના વિદ્વાન પતિને તેણે સ્વપ્નની વાત કરી. તેના પતિએ કહ્યું કે તું સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપશે.
એક દિવસ સિંહગીરી નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા. ધનગીરી અને તેની પત્ની સુનંદા તેમનું વ્યાખ્યાન સાંભળવા નિયમિતપણે જતા. આચાર્યનો ઉપદેશ સાંભળી ને ધનગીરીનો આત્મા જાગૃત થઈ ગયો અને તેને સંપત્તિ, કુટુંબ તથા જગતના તમામ સુખોમાંથી રસ ઊડી ગયો. તેને સંસાર છોડીને સાધુ થવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે પોતાના પતિને સાથે જ રહીને જિંદગી વિતાવીએ તેમ સમજાવ્યું. આપણને જ્યારે બાળક આવવાનું છે તો આપણે બંને સાથે જ બાળકનો ઉછેર કરીએ. પણ ધનગીરી કોઈ હિસાબે પોતાનો નિર્ણય છોડવા તૈયાર ન હતા. તેણે પોતાના કુટુંબને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. સુનંદા ધર્મિષ્ઠ વેપારી ધનપાલની દીકરી હતી તેથી તેને ધર્મમાં ઊંડી સમજ હતી, તેથી તેણે ધનગીરીનો નિર્ણય સ્વીકારી લીધો. પોતે એક સદગુણી માણસની પત્ની હતી તેમાં પોતાની જાતને આશ્વાસન આપ્યું.
થોડા સમય બાદ સુનંદાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ જ હસમુખો હોવાથી સૌને વહાલો હતો. જોતા વેત જ સૌને ગમી જતો. સુનંદાએ તેના જન્મ પ્રસંગની આનંદથી ઉજવણી કરી. દીકરાને ઉછેરવાનું સુખ તેને મળ્યું પણ લાંબો સમય ન ટક્યું. એકવાર પાડોશમાંથી મળવા આવેલી સ્ત્રીઓ તેના પતિ વિશે વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, “જો ધનગીરીએ દીક્ષા ન લીધી હોત તો પુત્ર જન્મની ઉજવણી ધામધૂમથી કરી હોત.” બાળક નાનું હોય તો પણ દીક્ષા શબ્દ સાંભળતા વિચારમાં પડી ગયો. એને એમ લાગ્યું કે દીક્ષા શબ્દ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. વિચાર કરતા કરતા એકાએક તેને તેનો પાછલો ભવ યાદ આવ્યો. એને સમજાયું કે તે સાચા આધ્યાત્મિક માર્ગ પર છે. તેણે નક્કી કર્યું કે મને માનવ અવતાર મળ્યો છે તો એનો હું મારા આત્માના ઉદ્ધાર માટે પૂરેપૂરો ઉપયોગ કરીશ. એ પણ એના પિતાની જેમ સાધુ થશે. પોતાની માતા તેને દીક્ષા નહીં લેવા દે એ પણ તેને સમજાઈ ગયું, કારણ કે એ જ એનું સર્વસ્વ હતો, તેથી માતાની આજ્ઞા મેળવવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યો.
અને તેણે એવું નક્કી કર્યું કે, માતા તેને મનથી હા નહીં પાડે તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરો કે તેનાથી કંટાળીને તેને જવા દે. તે પારણાંમાં સૂતો નાનો બાળક હતો અને એ વિચારવા લાગ્યો, "હું સતત રડયા જ કરીશ તો મારાથી કંટાળી જશે અને છુટકારો મેળવવા પ્રયત્ન કરશે.” તેણે પોતાનો વિચાર બીજી જ પળે અમલમાં મૂક્યો. તેણે જોરથી રડવાનું શરૂ કર્યું. તેની માતાએ આવીને તેને શાંત કરવા માંડ્યો પણ તે શાંત ન થયો. તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા, તે તેને વૈદ પાસે
Page 259 of 307