SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) 1.14 અભયકુમાર અને ચોર રોહિણેય મહાવીર સ્વામીના સમયમાં લોહખુર નામનો ચોર હતો. રાજગૃહી નગરમાં વૈમાગીરી પર્વતની ખૂબ દૂર દૂરની ગુફામાં તે રહેતો હતો. તે પોતાના ધંધામાં ખુબ જ પાવરધો હતો. ચોરી કર્યા પછી પાછળ કોઈ નિશાન છોડતો નહીં. તે અને તેની પત્ની રોહિણીને રોહિણેય નામનો દીકરો હતો. તે જેમ મોટો થતો ગયો તેમ તે પણ તેના પિતાનો ધંધો શીખી ગયો અને ઘરફોડ ચોરીમાં હોશિયાર બની ગયો. ચબરાકપણું અને ચતુરાઇમાં તે તેના પિતા કરતાં પણ સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં હોય તો તેને ઓળખવો પણ અઘરો પડતો. કોઈ તેનો પીછો કરે તો તે ક્યાંય ભાગી જતો. એ સુખી અને સમૃદ્ધ માણસોને લૂંટતો અને કોઈ અજાણી જગ્યાએ ખજાનો છુપાવી દેતો. તેણે પ્રાપ્ત કરેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણા બધા તેનો ઉપકાર માનતા અને તેનાથી ખુશ રહેતા.અને રાજ્ય સરકારને રોહિણેયને પકડવામાં મદદ ન કરતા. લોહખુર હવે ઘરડો થયો હતો. તેને પોતાની જિંદગીનો અંત નજીક દેખાતો હતો. મરણ પથારીએ પડેલા લોહખુરે રોહિણેયને બોલાવીને કહ્યું કે આપણા ધંધામાં તારી હોશિયારી અને બાહોશ જોઇને મને ખૂબ જ સંતોષ થાય છે. પોતે પોતાની જિંદગીમાં સફળ થયો હોવાથી તેણે તેના દીકરાને શિખામણ આપી કે ક્યારેય મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળવા ન જઈશ કારણ કે તેમની વાતો આપણા ધંધાની વિરુદ્ધની હોય છે. રહિય પિતાને વચન આપ્યું કે હું તમારી શિખામણ બરાબર પાળીશ. લોહખુરના મરણ પછી રોહિણ પોતાનું ચોરીનો ધંધો એટલો વિસ્તારી દીધો કે સુખી માણસોને જો તેઓ ક્યાંક બહારગામ જાય તો પોતાની સંપત્તિની સલામતી ન લાગતી. તેઓ સતત ભયથી ફફડતા રહેતા કે આપણી ગેરહાજરીમાં રોહિણેય આપણા ઘરેથી દર-દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી જશે. કેટલાક લોકો રોહિણેયની ચોરીથી બચવા માટે રક્ષણ મેળવવા રાજા શ્રેણિક પાસે ગયા. મોટા મોટા પોલીસ અધિકારી પણ કંઈ ન કરી શક્યા. તેથી રાજાએ પોતાના બાહોશ મુખ્યમંત્રી અભય કુમારને રોહિણેયને પકડવાનું શ્રમ સોંપ્યું. એકવાર રોહિણેય છાનો છુપાતો જગૃહી તરફ જતો હતો ત્યાં રસ્તામાં મહાવીર સ્વામીનું સમવસરણ આવતું હતું. તેને મહાવીર સ્વામીના ઉપદેશ નહી સાંભળવો તેવી પિતાની શિખામણ યાદ આવી. તેણે તેના કાન પર હાથ દાબી દીધો. એ જ વખતે તેનો પગ અણીદાર કાંટા પર પડ્યો, અને કાંટો પગમાં ઊંડે સુધી ખૂટી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઇ લેવા પડ્યા આટલા સમય દરમ્યાન તેણે ભગવાન માનવીનો નીચે જણાવેલ ઉપદેશ સાંભળ્યો. “બધી જ જિંદગીમાં માનવ જીવન ઉત્તમ છે. માણસ તરીકે જ મુક્તિ મેળવી શકાય. કોઈપણ માણસ જાત, ધર્મ કે રંગના ભેદભાવ વિના મોક્ષ મેળવી શકે છે. સારા કાર્યોથી માણસ સ્વર્ગ મેળવી શકે છે. જ્યાં જીવનના તમામ સુખો મળે છે.” Page 254 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy