________________
Compodium of Jainism - Part (II)
સત્ય સમજાયું અને ગુસ્સો તથા અભિમાનને કારણે થયેલું નુકસાન યાદ આવ્યું. તેણે મહાવીર સ્વામીને ખૂબ જ આદર સાથે માથું નમાવ્યું.
ચંડકૌશિક શાંતિથી પોતાના દરમાં જતો રહ્યો. લોકોએ જાણ્યું કે ચંડકૌશિક હવે કોઇને નુકસાન કરે તેવો નથી રહ્યો. તેઓ જિજ્ઞાસાથી પ્રેરાઈને તેને જોવા આવ્યા. તેને શાંતિથી પડેલો જોયો. કેટલાક તો તેને દૂધ તથા ખોરાક આપીને તેની પૂજા કરવા લાગ્યા, જેના સગાઓને તેણે મારી નાખ્યા હતા તેઓ હજુ પણ તેના પર ગુસ્સે થયા હતા, અને પથ્થર તથા લાકડી વડે તેને મારતા હતા. લોહી, ખોરાક તથા દૂધ ને કારણે ત્યાં કીડીઓ ઉભરાઈ છતાં ચંડકૌશિક ગુસ્સે થયા વિના, હાલ્યા ચાલ્યા વિના એમ જ શાંત પડી રહ્યો. થોડા દિવસ બાદ તે મરણ પામ્યો. જાત ઉપરના તથા ક્રોધ પરના કાબુ ને કારણે તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તે સ્વર્ગમાં ગયો.
બોધ : ભય, તિરસ્કાર અને અહમ એ અન્ય પ્રત્યે નહીં પણ પોતાના પ્રત્યે ની હિંસા છે. પોતાના પાછલા ભવમાં કરેલા ગુસ્સા અને અભિમાનનો હુબહુ ચિતાર ચંડકૌશિક ના વર્તમાન જીવનમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે તેને જે આત્મજ્ઞાન કરાવ્યું તેનાથી તેને પોતાની ભૂલ સમજાઈ અને પોતાના કાર્યો માટે પસ્તાવો થયો. તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તેને સ્વર્ગ તરફ દોરી ગયા. આ વાર્તામાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ગુસ્સો ત્યજીને શાંત રહેવું જોઈએ. ગભરાયા વગર તેના તરફ સમ્યક વલણ દાખવવું જોઈએ.
Page 226 of 307