________________
Compodium of Jainism – Part (II)
સાધુઓ ધૃણાની દ્રષ્ટિથી જોઈ રહ્યા કે જાણે તે સાધુ બનવાને લાયક નથી. કુરગડુ ચૂપચાપ બધું સાંભળી રહે છે અને એક ખૂણામાં જઈને ગોચરી વાપરવા બેસી જાય છે. કેટલાક તપસ્વી સાધુ તિરસ્કારથી તેમના પાત્રમાં થૂંક્યા તો પણ સમતા રાખી તેમના તપથી પ્રશંસા કરવા લાગ્યા.
કુરગડુ પોતાની આ અશક્તિથી દુઃખી થાય છે અને તેને માટે તે પોતાના કોઈક જન્મના કર્મનો દોષ ગણે છે, પોતાના આત્માના ગુણોથી પોતે વાકેફ છે એટલે તે સમજે છે કે આ કર્મો પણ એક દિવસ પૂરા થઈ જશે. તેમણે મનમાં દૃઢ નિર્ધાર કર્યો કે મારે આ જીવનમાં જ મારા કર્મ ખપાવી દેવા છે. શરીરની અને મનની કમજોરીના દુખને પાર કરીને તેઓ આત્માના વિચારમાં લીન થઈ ગયા અને ધીમે ધીમે તેમના કર્મોનો ક્ષય થવા લાગ્યો. ભોજન લેતા લેતા જ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે કોઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્વર્ગના દેવો તેને વંદન કરવા પધારે છે. સ્વર્ગના દેવોને આવતા બીજા સાધુએ જોયા ત્યારે તેઓ એમ માનવા લાગ્યા કે અમારી આકરી તપશ્ચર્યાને બિરદાવવા આવી રહ્યા છે. પણ તેઓ તો કુરગડુ પાસે ગયા, અને તેમને વંદન કરવા લાગ્યા. સર્વ સાધુ સમુદાય મૂંઝવણમાં મુકાઈ ગયો. પોતે આટલી આકરી તપશ્ચર્યા કરી છે તો અમને તેનું કોઈ જ ફળ નહીં, અને તે કુરગડુ કંઈ જ કરતા નથી છતાં દેવો વંદન કરે અને એમને પૂર્ણ જ્ઞાન મળે! આવી મૂંઝવણ અનુભવતા તેઓ આચાર્ય ધર્મઘોષસુરી પાસે શું બન્યું તે જાણવા ગયા. આચાર્યએ કહ્યું કે તમને બધાને તમારી આકરી તપશ્ચર્યાનું અભિમાન હતું અને કુરગડુને ઉપવાસ નહીં કરી શકવાને કારણે બિનજરૂરી ઉતારી પાડતા હતા. પણ આ બધું પાછલા કોઈ કર્મનું જ પરિણામ છે એમ તે સમજતા હતા. ક્ષમા ગુણ હોવાને કારણે બધું જ સહન કરી લેતા હતા. વર્તમાન જીવનમાં ઉદયમાં આવેલા કર્મ ખપાવવા, તે આત્માને જાગૃત કરવા જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તમે બધાએ કુરગડુને ખોટી રીતે મૂલવ્યાં છે. પોતાના પૂર્વના કર્મોનો કોઈપણ પ્રકારનું બંધન વધાર્યા વગર નાશ કરવામાં તેઓને આ સમતા મદદરૂપ બની. તેઓ ધર્મના હાર્દને સમજયા છે. પૂર્વના સંચિત કર્મો તેમની તપસ્યામાં બાધારૂપ બન્યા હતા. તેઓને તે અંગે દુઃખ હતું. ઉદયમાં આવેલ કર્મોને નિષ્ઠાપૂર્વકના પશ્ચાતાપથી ખપાવ્યા છે. તે કર્મો બદલ દિલગીર હોવા છતાં તે કર્મોની અસર તરફ તેઓ સમતાવાળા હતા. ઉદયમાં આવેલા કર્મોને વધાવીને તેઓને સમ્યગદર્શન પ્રાપ્ત થયું અને આખરે નવા કર્મો ન બાંધતા અને જૂના કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ન
બોધ: બધા જ સાધુઓ સમજી ગયા કે સાચું જ્ઞાન મેળવવા પોતાનું બિનજરૂરી મિથ્યાઅભિમાન નડતરરૂપ હતું. આચાર્ય એ પણ સમજાવ્યું કે આત્માને શારીરિક સ્થિતિ કે પ્રવૃત્તિ જોડે કાંઈ લેવાદેવા નથી. શરીર તો બાંધેલા કર્મોને ભોગવવા માટે મળેલું છે. કર્મના સાચા સ્વભાવને જાણવા માટે કેવળ એક સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે અસરકારક સાધન છે. આત્માનુ સાચું સ્વરૂપ સમજી લેવું એ ધર્મનો સાર છે, અને તે જ એકમાત્ર આ જીવનમાં કરવા યોગ્ય છે. કોઈ સંયમ કે પ્રાયશ્ચિત ન કરી શકતા હોય અથવા ધર્મના સિદ્ધાંતો
ન
Page 220 of 307