________________
Compodium of Jainism - Part (II)
H.6 સાધુ કુરગુડુ
જૂના સમયમાં ધનદત્ત નામનો ખૂબ જ ધાર્મિક વૃતિનો વેપારી હતો. તેનો દીકરો પણ તેના જેવો જ ધાર્મિક હતો. એ ગામમાં એક દિવસ મોટા આચાર્ય ધર્મઘોષસૂરિ પધાર્યા. ધનદત્ત અને તેનો દીકરો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યની વાતોથી ધનદત્તના દીકરાએ તેમના શિષ્ય બનવાનું નક્કી કર્યું. બધું જ છોડીને યુવાન સાધુ બની ગયો. આચાર્ય આ જુવાન જૈન સાધુમાં રહેલી અગાધ શક્તિને ઓળખી ગયા. તેને કલાગુરુ એવું નામ આપ્યું. ત્યાંની ગ્રામ્ય ભાષામાં તેને કુરગડુ(ઘડો ભરીને ભાત ખાનારા) કહેવા લાગ્યા.
કુરગડુએ બધા પવિત્ર ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને તેના સારને યોગ્ય રીતે પુસ્તકરૂપે ઉતાર્યા.માનવ જીવનમાં કર્મની સત્તા મહત્વનો ભાગ ભજવે છે એ તેને સાચા અર્થમાં સમજાઈ ગયું. તેથી તે ઉચ્ચ જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાધુના તમામ ગુણો તેમનામાં જોવા મળતા, પણ એક મૂંઝવણ તેમને કાયમ સતાવતી. તે ભૂખ્યા ન રહી શકતા અને તેથી તે ઉપવાસ કરી ન શકતા. દિવસમાં એકવાર તો ખાવા જોઈએ જ. પર્યુષણ પર્વના દિવસમાં તે એકાદ ઉપવાસ પણ ન કરી શકતા. તે પોતે પોતાની જાતને ઉપવાસ ન કરી શકવા બદલ ઠપકો આપ્યા જ કરે. આ બધું પોતાના કોઈ કર્મનો જ ઉદય હોય તેમ લાગતુ. અન્ય સાધુ ઉપવાસ કરે તો તેમની સેવા તે ઉત્તમ રીતે કરતા અને મનમાં વિચારતા કે કોક દિવસ પોતે પણ આ પ્રમાણે ઉપવાસ કરી શકશે.
એકવાર ચોમાસામાં એવો બનાવ બન્યો કે તેમની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. ચોમાસામાં જૈન સાધુ પ્રવાસ ન કરતા એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણ પણ આ દિવસોમાં જ આવે. તે સમયે આચાર્ય ધર્મઘોષસૂરિ પોતાના કુરગડુ સહિત અનેક શિષ્યો સાથે શહેરમાં હતા. ઘણા શિષ્યો લાંબા ઉપવાસ કરતા. કોઈ તો મહિનાના ઉપવાસ કરતા. પોતે એક પણ ઉપવાસ કરી નથી શકતા તેનું કુરગડુને ખૂબ જ દુઃખ હતું. સંવત્સરીના દિવસે તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. મનમાં પસ્તાવો કરતા રહ્યા, ઉપવાસ કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, પણ બપોર થતાં થતાં તો તીવ્ર ભૂખથી પીડાવા લાગ્યા અને તેમને લાગ્યું કે હવે ભૂખ્યા નહીં રહેવાય. મનમાં પસ્તાવો કરતા રહ્યા એવા તે કેવા પોતાના ગાઢા ચીકણા કર્મો છે કે એક ઉપવાસ પણ ન કરી શકાય? ખચકાટ સાથે તેમણે ગુરુ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી. ગુરુએ ખૂબ જ સમજાવ્યા. કુરગડુએ કહ્યું કે હું પણ ઉપવાસ કરવા ઈચ્છું છું અને મારી ઉપવાસ નહીં કરી શકવાની શક્તિને કારણે હું પણ ઘણું દુખ અનુભવું છું. ગુરુને તેના ભાગ્ય પર દયા આવી અને ગોચરી માટે જવાની રજા આપી.
કુરગડુ જે કાંઈ મળ્યું તે વહોરીને પાછા આવ્યા. આવીને નમ્રપણે સાધુના નિયમ પ્રમાણે ગુરુને ગોચરી બતાવી અને વાપરવાની આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી બીજા સાધુઓ તેની ટીકા કરવા લાગ્યા કે સંવત્સરીના દિવસે પણ પોતે ખાઈ રહ્યા છે અને મોટું કર્મ બાંધી રહ્યા છે. બીજા
Page 219 of 307