________________
Compodium of Jainism – Part (II)
છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સૂચવ્યું કે તમારા બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જ જો નક્કી કરવાનું હોય તો બિનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરી બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સહમત થયા.
બંનેએ દ્વન્દ્વ યુદ્ધનાં નિયમો જાણ્યા અને કબૂલ કર્યા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે અનેક જાતના શસ્ત્રોથી બાહુબલીને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તે વિચારવા લાગ્યો. જો તે હારી જશે તો આખા વિશ્વ પર રાજ્ય કરવાની તેની મહત્વાકાંક્ષા પૂર્ણ નહીં થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને દ્વન્દ્વ યુદ્ધનાં નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે, લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલી બચી ગયા.
દ્વન્દ્વ યુદ્ધનાં નિયમોના ભંગ બદલ બાહુબલી ખૂબજ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઈને છૂંદી નાખવાનો વિચાર આવ્યો. તે હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઈને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા.
*
બાહુબલી ગુસ્સામાં આવીને મૂકો ઉગામવામાં જતા હતા ત્યાં જ મનમાં વિચાર આવ્યો, “ અરે! હુ આ શું કરું છું? હું ગાંડો તો નથી થઈ ગયો ને, જે રાજ્ય મારા પિતાશ્રીએ છોડી દીધું અને મારા બાકીના ભાઈઓ એ જતું કર્યું તેને માટે હું મોટા ભાઈને મારવા તૈયાર થયો છું?” ભાઈના ભયાનક મૃત્યુના વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠ્યા. તે જ ક્ષણે તેમણે વિચાર બદલ્યો. માન આપવા લાયક ભાઈને મારવાના ખરાબ ફળના વિચારે મારવા માટે ઊંચી થયેલી મુઠ્ઠી નીચે કરવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી લીધા. (સાધુ દીક્ષા સમયે લોચ કરે તેમ) અને સર્વસ્વનો ત્યાગ કરીને પોતાની જાતે સાધુ થયા.
જ
પણ હજુ બાહુબલીનું અહમ અને અભિમાન ગયા ન હતા. જો તેઓ ભગવાન પાસે જાય તો તેમનાથી પહેલા તેમના ૯૮ નાના ભાઈઓ જે સાધુ થયા છે તેમને નમસ્કાર કરવા પડે. જે તેમને તેમના અભિમાનના કારણે મંજૂર ન હતું. તેઓએ વિચાર કર્યો કે પોતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જો ભગવાન પાસે જાય તો પછી કોઈને પણ નમસ્કાર ન કરવા પડે. તેથી બાહુબલી પોતાની જાતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા જ્યાં ઊભા હતા ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે ધ્યાનમાં એવા ઊંડા ઊતરી ગયા કે કેટલો સમય પસાર થઈ ગયો તે પણ તેમને ખબર ન પડી. ભોંય પરના વેલાઓ તેમના પગ પર ચડવા લાગ્યા. આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું પણ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ કારણકે અભિમાન છોડ્યા વગર કેવળ જ્ઞાન થાય નહીં. તેમને સાચા રસ્તે લાવવા માટે આખરે ભગવાન ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યા. તેઓએ જોયું તો બાહુબલી એક ખડક જેવા અચળ ઉભા ઉભા ધ્યાન કરી રહ્યા છે. બંને બહેનોએ શાંતિથી
Page 204 of 307