________________
Compodium of Jainism – Part (II)
સાધુ બન્યા પછી ઋષભદેવ ઘણા સ્થળોએ ફર્યા. ખોરાક પાણીની પરવા કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થામાં સતત રહેવા લાગ્યા. પણ એમના અનુયાયીઓ સાધુ જીવન કેમ પસાર કરવું તે જાણતા નહોતા. વળી તેઓ ઋષભદેવની જેમ ઉપવાસ વગેરે કરી નહોતા શકતા. તેઓ સંસારમાં પાછા ફરવા નહોતા ઈચ્છતા. પાસેના જંગલમાંથી ફળફળાદી લાવીને ખાતા અને પોતાની સમજ પ્રમાણે જીવવા લાગ્યા. થોડા સમય બાદ ઋષભદેવને તેમને દયનીય પરિસ્થિતિ ધ્યાનમાં આવી. જૈન સાધુ જાતે ફળફળાદી તોડીને વાપરી ન શકે. પણ સમાજના લોકોના ઘેરથી ખોરાક લાવી ને વાપરી શકે. તેથી સાધુએ કેમ જીવવું તે તેમણે શીખવ્યું.
અનેક વર્ષોની ઉગ્ર ધ્યાન તપશ્ચર્યા અને સત્ય પ્રાપ્તિની સાધનાને અંતે ઋષભદેવ ને ફાગણ વદ ૧૧ ના દિવસે વડના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જે આખરી પરમ સિદ્ધિ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કહેવાય છે. સામાન્ય માનવીને સાચા રસ્તે વાળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની ધર્મ વ્યવસ્થા શરૂ કરી જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા નો સમાવેશ થાય છે.
રાજા ભરતનો પુત્ર ઋષભસેન મુખ્ય વડીલ સાધુ અને બ્રાહ્મી તથા સુંદરી સાધ્વી સમુદાયની વડી સાધ્વી બન્યાં. ધર્મતીર્થના સ્થાપક તરીકે ઋષભદેવ હાલના અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર હોઈ તેઓ આદિનાથ (આદિ એટલે પહેલા અને નાથ એટલે ઈશ્વર) કહેવાય છે.
સંન્યસ્ત જીવન દરમિયાન ભગવાન ઋષભદેવે સાંસારિક - શ્રાવક જીવન ઉદાર અને નૈતિક રીતે જીવતા શીખવ્યું. જૈન ધર્મમાં જાણીતા વરસીતપ તરીકે ઓળખાતી આશરે 400 દિવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ભગવાન ઋષભદેવને થયેલા ઉપવાસની યાદમાં કરાય છે. શ્રાવક કે સામાન્ય માનવી માટે પંચમહાવ્રતધારી સાધુને શુદ્ધ ગોચરી વહોરાવવી એ ઉમદા કર્તવ્ય છે. આ પ્રમાણે આપણે સંન્યાસી જીવન ન સ્વીકારી શકીએ તો સાધુને ખોરાક વહોરાવીને આપણે તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરી શકીએ. આપણા શાસ્ત્રોમાં શ્રેયાંસના આ દાનધર્મની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે.
વિશેષતા:
રાજા નાભિરાયા અને રાણી મરૂદેવાના પુત્ર.
ત્રીજા આરાના અંતમાં જન્મ થયો. આ કાળના પ્રથમ તીર્થંકર.
૧૦૦ પુત્રો, સૌથી મોટા પુત્રો ભરત અને બાહુબલી. બે પુત્રીઓ બ્રાહ્મી(લિપિ) અને સુંદરી (ગણિત). શ્રેયાંશકુમારે વર્ષિતપના પારણા શેરડીના રસથી કરાવ્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા.
Page 172 of 307