________________
Compodium of Jainism – Part (II)
બની રહ્યું છે તે જોઇ શકે પણ બીજા ઓરડામાં ન જોઈ શકે. રાજકુમારીએ પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. માથાનો ઉપરનો ભાગ ખુલતો હતો. મોટા ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું અને દાસીઓ ને દિવસમાં બે વખત મોના ઉપરના ભાગથી ખોરાક નાખવાનું કહેવામાં આવ્યું અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો. પછી કુમારી એ પોતાના પિતાને જણાવ્યું કે છ એ રાજાઓ મને મળવા ભલે આવે દરેક રાજાને તેમના નક્કી કરેલા ઓરડામાં બેસાડવામાં આવે. તેમણે કાચમાંથી કુમારી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. કુમારી મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઉભી રહી ગઇ. તેણે પૂતળાનું મોં ખોલી નાખ્યું જેથી અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડું દબાવીને ઉભા રહ્યા. કુમારીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી. તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. કુમારી મલ્લીએ સમજાયું કે કુદરતી રીતે ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહીના માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, “આવા સડેલા શરીરની તમને માયા છે? ખરેખર તો જે શાશ્વત છે તેની શોધ કરો. રાજકુમારી મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાથે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને અધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તેઓ સહસ્રામ્ વનમાં આત્મજ્ઞાન માટે પહોંચી ગયા. આકરી તપશ્ચર્યા દ્વારા તેમણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
જૈન ધર્મના તેઓ ૧૯ માં તીર્થંકર થયા. ગામે-ગામે ફરીને સૌને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશિખરના પર્વત પર મોક્ષ પામ્યા.
શ્વેતાંબર જૈન પંથ એમ માને છે કે તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. બાકીના તીર્થંકરો પુરુષ હતા. તીર્થંકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે, નહીં કે તેમના સ્થૂળ શરીરને. માટે તમામ તિર્થંકરોની પ્રતિમાઓનું ભૌતિક દેખાવ એકસરખો સ્ત્રી-પુરુષના ભેદ રહિત નો હોય છે.
આ શરીર આત્માને ધારણ કરનાર પાત્ર છે. જન્મ-મરણના ફેરામાંથી જેને મુક્તિ નથી મળી તેવા આત્માઓ મૃત્યુ બાદ બીજા શરીરમાં વાસ કરે છે. આ શરીર જે ચામડી, હાડકા અને માંસનું બનેલું છે તે તો નાશવંત છે. શારીરિક દર્ય ણક અને છેતરામણ છે. રાજકુમારીએ મલીએ આ વાત પોતાના પુતળા અને ખોરાક દ્વારા સમજાવી. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એ જ માનવજીવનનું હાર્દ છે. જીવનની ભૌતિક દ્રષ્ટિથી ઉપર લઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવી જોઈએ એ થકી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ.
Page 168 of 307