________________
Compodium of Jainism – Part (II)
નિર્માણ કર્યું અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક કલાકાર પાસે આગવી સૂજ અને અસામાન્ય શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબંબ છબી બનાવી શકતો. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગૂઠાને જોઈને દીવાલ પર તેનું નખશીખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલ્લદિને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે અહી ખરેખર મારી બહેન મલ્લી જ ઊભી છે હમણાં તેની જોડે વાતો કરશે એટલે એને બે હાથ તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જોયું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની જીણામા જીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી? ખરેખર ક્લાકારમા રહેલી આગવી આવડત અને તેની અસામાન્ય શક્તિથી ચિત્ર બન્યું હતું. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો. ભવિષ્યમાં થનારો તેનો દુરુપયોગ અટકાવવા માટે તેના જમણા હાથનો અંગુઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખૂબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં ફરવા લાગ્યો.
ગુસ્સે ભરાયેલો કલાકાર હસ્તિનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું. પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેંટ આપ્યું. જે રાજા આગલા ભવમાં મલ્લીનો મિત્ર હતો. રાજા તે ચિત્ર જોઈ ખૂબ પ્રસન્ન થયા અને કુમારી મલ્લીના પ્રેમમાં પડી ગયાં. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિચિયાના રાજા અને તેણે લગ્નનું ઋણ મોં, એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, શ્રી કાંપીલ્યપૂર અને શ્રાવસ્તીના રાજાઓ પણ કુમારી મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ન સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા અને કુમારી મલલીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાને બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છ રાજાઓની શક્તિ સામે હિંમત હારી ગયા. તેણે પોતાના શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજ્યના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો.
રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઈન્દ્રિય ના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયો છે. તેણે પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એકબીજા માટે ઉંડા પ્રેમ ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. કુમારી મલ્લીએ નક્કી કર્યું કે, આ પ્રશ્ન પોતાની લીધે ઉભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિંત થવા કહ્યું અને પોતે આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું.
મહેલના મોટા ઓરડા ને છ બારણા હતા. દરેક બારણા પાછળ ખુબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણામાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે ઓરડામાં દરેક જણ મોટા ઓરડામાં શું
Page 167 of 307