________________
Compodium of Jainism – Part (II)
આ આગમ એક સમજદાર વ્યક્તિએ બીમારીના વિવિધ તબક્કામાં લેવા જોઈતા વ્રતનુ વર્ણન કરે છે. અને કેવી રીતે મરણ પથારીએ બ્રહ્માંડના દરેક જીવોને ક્ષમા યાચના કરવી જોઈએ તેનું વર્ણન કરે છે.
E.2.6.2.5.3 ભક્ત પ્રતિજ્ઞા (ભત્ત પરિણણા)*
આ આગમ ઉપવાસની પ્રક્રિયાનું અને મરણ પથારીએ શું ચિંતન કરવું જોઈએ તેનું વર્ણન કરે છે.
E.2.6.2.5.4 સંસ્તારક (સંથારાગ)*
આ આગમ પોતાની ઇચ્છા મુજબ અને ગૌરવ સાથે સંથારાની પ્રક્રિયાનું વર્ણન કરે છે.
E.2.6.2.5.5 તંદૂલનૈનાલિક
આ આગમ ગર્ભાવસ્થાની સ્થિતિનું વર્ણન કરે છે અને મનુષ્ય શરીર વિશે જ્ઞાન આપે છે. E.2.6.2.5.6 ચંદ્ર વૈદ્યક
આ આગમ ધ્યાનનું વર્ણન કરે છે.
E.2.6.2.5.7 દેવેન્દ્ર સ્તવ*
આ આગમ દેવલોકમાં રહેતા દેવોના નામ, તેમની સત્તા અને તેમના નિવાસસ્થાનનું વર્ણન કરે છે. તે ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓનું પણ વર્ણન કરે છે.
E.2.6.2.5.8 ગણિત વિદ્યા
આ આગમ હસ્તરેખા શાસ્ત્રનું અને તે ભવિષ્ય (નિમિત્ત) ની આગાહી કરવા માટે કેવી રીતે ઉપયોગી છે તેનું વર્ણન કરે છે.
E.2.6.2.5.9 મહા પ્રત્યાખ્યાન*
આ આગમ ખરાબ પાપોને કેવી રીતે સંપૂર્ણપણે છોડી દેવા અને કરેલા પાપો માટે કેવી રીતે પ્રાયશ્ચિત કરવું તેનું વર્ણન કરે છે.
E.2.6.2.5.10 વીરસ્તવ*
આ આગમ ભગવાન મહાવીરની પ્રાર્થનાઓનું વર્ણન કરે છે.
Page 127 of 307