________________
Compodium of Jainism - Part (II)
ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ બાદ જૈનો બે સમૂહમાં વહેંચાયા: શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયનાના સાધુઓ સફેદ કપડાં પહેરે છે જ્યારે દિગંબર સંપ્રદાયના સાધુઓ કપડાં પહેરતા નથી.
આ બે ભાગમાં વહેંચાવાની પ્રક્રિયા લગભગ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં શરૂ થઇ ચૂકી હતી. પ્રખ્યાત જૈનાચાર્ય શ્રુતકેવળી ભદ્રબાહુએ આગાહી કરી હતી કે મગધના રાજ્યમાં (હાલના સમયના બિહારમાં) ભયંકર દુષ્કાળ આવશે. દુષ્કાળની ખતરનાક અસરોથી બચવા માટે આચાર્ય ભદ્રબાહુએ તેમના ૧૨૦૦૦ સાધુ સમુદાય સાથે મગધના પાટનગર પાટલીપુત્રથી દક્ષિણ ભારતના શ્રવણ બેલગોડા (હાલના સમયના કર્ણાટક રાજ્યમાં) સ્થળાંતર કર્યું.
ચંદ્રગુપ્ત મૌર્ય ઈ.સ.પૂર્વે ૩૨૨-૨૯૮) જે તે સમયે મગધનો રાજા હતો અને આચાર્ય ભદ્રબાહુનો અનુયાયી હતો. તેણે પોતાની રાજગાદીનો ત્યાગ કર્યો. પોતાના સ્થાન ઉપર પોતાના પુત્ર બિંદુસારને બેસાડ્યો અને આચાર્ય ભદ્રબાહુના સમુદાયમાં એક સાધુ તરીકે જોડાઈને તેમની સાથે શ્રવણ બેલગોડા પ્રયાણ કર્યું. ચંદ્રગુપ્ત જે આચાર્ય ભદ્રબાહુના સમુદાયમાં સાધુ હતા તે ગુરુ ભદ્રબાહુના મૃત્યુ પછી ૧૨ વર્ષ સુધી જીવ્યા. ઈ.સ. પૂર્વે ૨૯૭માં જૈન પરંપરા મુજબ આકરા તપ કરીને અને સંલેખના કરીને ચંદ્રગુપ્ત શ્રવણબેલગોડાની પહાડી ઉપર જ કાળધર્મ પામ્યા. ભદ્રબાહુ- ચંદ્રગુપ્તની પરંપરા પુરાતત્વ વિભાગના દ્વારા તેમજ સાહિત્યિક પુરાવા દ્વારા અને શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરા દ્વારા સ્વીકારવામાં આવે છે.
જ્યારે આચાર્ય ભદ્રબાહુનો સમુદાય બાર વર્ષના દુષ્કાળ બાદ પાટલીપુત્ર પાછો આવ્યો ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ તેમની ગેરહાજરીમાં જૈન સંઘમાં બે
મહત્વના બદલાવ આવ્યા હતા.
*દુષ્કાળ સમયે નગ્નતાનો નિયમ હળવો કરીને સાધુઓને સફેદ કપડું મધફલક તરીકે ઓળખાતો પહેરવાની છૂટ આપવામાં આવી હતી જેથી તેઓ ગોધરી (તેમના ખોસા માટે, પોતાના બચાવ માટે નગરમાં રહી શકે. ભૂતકાળમાં નગ્નતાનો નિયમ શક્ય હતો કારણ કે સાધુઓ જંગલમાં રહેતા હતા અને તે નજીકના ગામડાઓમાં જે શહેરની બહાર હતા ત્યાંથી તેઓ ગોચરી મેળવી શકતા હતા.
• પવિત્ર શાસ્ત્રોની યાદ રાખેલી અવસ્થા (લખેલા પુસ્તકો ત્યારે હતા નહીં) જે તેમની ગેરહાજરીમાં પાટલીપુત્રની પરિષદમાં સ્વીકારવામાં ખાતી હતી. તેમાં અને તેઓએ પોતે જે શાસ્ત્રો યાદ રાખ્યા હતા તેમાં ફરક હતો.
આના પરિણામ સ્વરૂપ તે સાધુ સમુદાયે આ તફાવતોનો અસ્વીકાર કર્યો અને તેમણે એવી ઘોષણા કરી કે તેઓ જૈન આચારના સાચા અનુયાયીઓ છે. છેવટે ભગવાન નિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ
Page 101 of 307