SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) આચાર્ય ધર્મ ૨૪ બુદ્ધિલિંગ ૨૦ મદ્રગુપ્તસુરી ૩૯ દેવ ૧૪ શ્રીગુપ્ત સુરી ૧૫ ધર્મસેન ૧૬ નપુસ્વામી 39 કોષ્ટક E.1-C શ્વેતામ્બર પરંપરા મુજબ દસ-પૂર્વી આચાર્યની પરંપરા (કે જેમણે ૧૧ અંગ અને ૧૦ પૂર્વનું જ્ઞાન હોય છે) તે આચાર્ય વજ્રના મૃત્યુ બાદ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ. તેમનું મૃત્યુ વિક્રમ સંવત ૧૧૪ એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણના ૫૮૪ વર્ષ બાદ થયું હતું. પરંતુ દિગંબર પરંપરા મુજબ ધર્મસેન છેલ્લા દસ-પૂર્વી હતા. જે ભગવાન મહાવીરના નિર્વાણના ૩૪૫ વર્ષ બાદ થઈ ગયા. આચાર્ય વજ્ર બાદ આચાર્ય રક્ષિત કે જેમને સાડા નવ પૂર્વનું જ્ઞાન હતું તે ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. અનુયાયીઓને ધ્યાનમાં રાખીને અને તેમની જુદી-જુદી વિશેષતાઓ જેવી કે તેમનું બુદ્ધિચાતુર્ય, સમજવાની શક્તિ, યાદ રાખવાની શક્તિ વગેરેને ધ્યાનમાં રાખીને તેમણે આગમના ચાર ભાગ કે ચાર દ્રષ્ટિકોણ (અનુયોગ) બનાવ્યા. તેમના સમય સુધી આગમ સૂત્રના દરેક કાર્યને દરેક દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવતો હતો. E.1.5 જૈન સંપ્રદાયો અને તેમનો ટૂંકો ઇતિહાસ ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, પુરુષ અને સ્ત્રી, પુરોહિત કે પૂજારી, છૂત કે અછૂત, સર્વગુણ કક્ષાના લોકો ભગવાન મહાવીરના સંઘમાં જોડાયા હતા. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે, આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે દરેક પુરુષ અને સ્ત્રી સમાન છે અને દરેક વ્યક્તિઓ ઉચ્ચ તથા નીચના ભેદ વગરની છે. ઘણી સ્ત્રીઓ ભગવાન મહાવીરના પંથને અનુસરીને સંસાર છોડી અનંત સત્ય અને શાશ્વત સુખની શોધમાં નીકળી પડી. જૈન ધર્મનું નોંધપાત્ર યોગદાન જો કોઈ હોય તો એ છે કે, સમાજના ચારેય વર્ગમાં વર્ણ ભેદ દૂર કરીને સમાનતા સ્થાપી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉપરાંત સમાજના અછૂતોને પણ ભગવાન મહાવીરે તેમના અનુયાયી બનાવ્યા. ભગવાન મહાવીરે તેમના અનુયાયીઓને ચાર સમૂહમાં ગોઠવ્યા: સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સામાજિક વર્ગ જૈન ચતુર્વિધ સંઘથી ઓળખાયો. ચોમાસાના ચાર મહિનાને બાદ કરતાં સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ૩૦ દિવસથી વધારે દિવસ રહી શકતા નથી. તેઓ ઉઘાડા પગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વાહન વ્યવહારનો ઉપયોગ કરતા નથી. સાધુ મુનિઓ સ્ત્રીઓને તેમ જ સાધ્વીઓને સ્પર્શ કરતા નથી તે જ પ્રમાણે સાધ્વીઓ પણ સાધુને કે પુરુષોને સ્પર્શ કરતા નથી અને સાધુ તેમજ સાધ્વીઓ રાત્રિભોજન ત્યાગ કરે છે. Page 100 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy