Page #1
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
સમર્થ વિદ્વાન, વાદકુશળ, પ્રખર પ્રભાવી અને પરમ ઉપકારી
આચાર્યશ્રી વિજયસેનસૂરિજી મહારાજ
આચાર્ય વિજ્યસેનસૂરિ તપાગચ્છ શ્રમણપરંપરાના એક પ્રબળ પ્રભાવી આચાર્ય હતા. તેઓ વિદ્વાન અને બાદમાં સમર્થ હતા. તેમના હસ્તે જૈનશાસનની પ્રભાવનાને વિસ્તારના વિવિધ કાર્યો થયાં હતાં. શ્રી વિજયસેનસૂરિ હીરવિજ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તેમના દીક્ષાદાતા શ્રી હીરવિજયસૂરિના ગુરુ શ્રી વિજયદેવસૂરિ હતા.
શ્રી વિજયસેનસૂરિનો જન્મ વિ. સં. ૧૬૦૪માં ફાગણ સુદિ પૂનમના, નાડલાઈ (મારવાડ)માં થયું હતું. તેમના પિતાનું નામ કર્માશાહ અને માતાનું નામ કેડમદે હતું. અને તેમનું પિતાનું નામ જયસિંહ હતું. પિતા કર્માશાહ વિ. સં. ૧૮૧૧માં શ્રી વિજયદાનસૂરિના હસ્તે દીક્ષા અંગીકાર કરી, શ્રી હીરવિજ્યસૂરિના શિષ્ય બની, મુનિ કમલવિજય નામ ધારણ કર્યું હતું. માતા કેડલદેની ભાવના પણ દીક્ષા લેવાની હતી, પરંતુ પુત્ર જયસિંહને હજુ આઠ વર્ષ પણ પૂરાં થયાં ન હઈ પિતાના ભાઈ જયતેને ત્યાં પાલી શહેર બે વર્ષ રહ્યાં, અને વિ. સં. ૧૯૧૩માં, સુરતમાં, શ્રી વિજયદાનસૂરિ પાસે તેઓએ અને પુત્ર જયસિંહે દીક્ષા ગ્રહણ કરી. તેઓનાં નામ અનુક્રમે સાધ્વી કલ્યાણશ્રીજી અને મુનિ જ્યવિમલ રાખવામાં આવ્યાં. મુનિ જયવિમલને શ્રી હીરવિજયસૂરિના શિષ્ય બનાવી શ્રી વિજ્યદાનસૂરિએ થડા સમય બાદ પાટણ, તેમના ગુરુ પાસે મોકલ્યા. મુનિ જ્યવિમલે ગુરુ પાસે રહી વ્યાકરણ, કેશ, સાહિત્ય, દ, ન્યાય અને જિનાગને ઊંડો અભ્યાસ કર્યો. ગુરુદેવે વિ. સં. ૧૯૨૬માં ખંભાતમાં તેમને પંન્યાસપદ આપ્યું, અને સં. ૧૯૨૮માં, અમદાવાદના અહમદપરામાં શ્રેષ્ઠિ મૂળા શેઠે કરેલ ઉત્સવમાં આચાર્યપદ આપી, તેમનું નામ આચાર્ય વિજયસેનસૂરિ રાખ્યું.
આચાર્ય વિજયસેનસૂરિમાં તેમના સમર્થ ગુરુ શ્રી હીરવિજ્યસૂરિના ઘણા ગુણ ઊતર્યા હતા. લગભગ તેઓશ્રી પિતાના ગુરુ જેટલા જ સમર્થ અને પ્રભાવી હતા. વિ. સં. ૧૯૩૨માં સુરતના ચાતુર્માસમાં તેમણે દિગંબર ભટ્ટારકને વાદમાં હરાવ્યા હતા. શ્રી હીરવિજયસૂરિ જ્યારે અકબર બાદશાહના નિમંત્રણથી ફતેહપુર સીકી ગયા ત્યારે ત્યાં આજુબાજુમાં ચારેક વર્ષની સ્થિરતા દરમ્યાન શ્રી વિજયસેનસૂરિએ ગચ્છની જવાબદારી સંભાળી લીધી હતી, અને ગુજરાતમાં રહી સારી એવી શાસનેન્નતિ કરી હતી. જ્યારે શ્રી હીરવિજયસૂરિ ગુજરાત તરફ આવવા નીકળ્યા ત્યારે તેમણે બાદશાહને તેના અતિ આગ્રહથી વચન આપ્યું હતું કે, “હું ગુજરાત જઈને મારા પટ્ટશિષ્ય વિજ્યસેનસૂરિને મેકલી.” આ વાતને ત્રણેક વર્ષ થતાં અકબર બાદશાહે શ્રી હીરવિજયસૂરિને લખી જણાવ્યું કે, “હવે તમે તમારા પટ્ટધર શ્રી વિજ્યસેનસૂરિને લાહોર મેકલે.”
શ્રી વિજયસેનસૂરિએ વિ. સં. ૧૯૪૯માં ગુરુની આજ્ઞા થતાં રાધનપુરથી વિહાર કરી પાટણ, આબુ સિરોહી, રાણકપુર, નાડલાઈ, વૈરાટનગર, મહીંમનગર, લુધિયાણા થઈ લાહોર પધાર્યા હતા. અકબર બાદશાહ શ્રી વિજયસેનસૂરિની વિદ્વત્તાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના ઉપદેશથી જીવદયાનાં કેટલાંક વધુ ફરમાને જાહેર કર્યા, જેવાં કે, ગાય, બળદ, પાડાને ભેંશની
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંતો 317 હિંસા (કલ) કરવી નહીં; અપુત્રીયાનું દ્રવ્ય લેવું નહીં, ગુલામ તરીકે કેઈને પકડવા - રાખવા નહીં. એક પ્રસંગે શ્રી વિજયસેનસૂરિએ રાજસભામાં ઈશ્વર, સૂર્ય અને ગંગા નદી પ્રત્યેની જેની માન્યતાને સિદ્ધ કરી બતાવી ઈતર વર્ગની મુરાદને નિષ્ફળ બનાવવા સાથે સૌને અતીવ પ્રભાવિત કર્યા હતા. બાદશાહ અકબરે ત્યારે તેમને “સવાઈ હીર'નું બિરુદ આપ્યું હતું. શ્રી વિજ્યસેનસૂરિએ ત્રણેક વર્ષ લાહોર અને આસપાસ વિચરી, વિ. સં. ૧૬પરમાં ગુરુદેવ હીરવિજયસૂરિના નરમ થ્યના સમાચાર જાણી ગુજરાત તરફ વિહાર કર્યો. પાટણ ચાતુર્માસ હતા ત્યાં જ ઉનાથી ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર જાણું અત્યંત આઘાત અનુભવ્યું. ત્યાર પછી ગચ્છનાયકપદની જવાબદારી આચાર્ય શ્રી વિજ્યસેનસૂરિએ સંભાળી હતી. શ્રી વિજયસેનસૂરિના હસ્તે કાવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત, પાટણ આદિ અનેક ગ્રામ-નગરમાં લગભગ ચાર લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી. આ ઉપરાંત તારંગા, શંખેશ્વર, શત્રુજ્ય, પંચાસર, રાણકપુર, આરાસણ આદિ તીર્થસ્થાનના જિનાલને જીર્ણોદ્ધાર પણ તેઓશ્રીએ કરાવ્યું હતું. તેમણે “સુમતિ રાસ અને સૂક્તાવલી ગ્રંથ અને ઉલ્લેબ સાંપડે છે. શ્રી વિજયસેનસૂરિ વિ. સં. ૧૯૭૧માં ખંભાત પાસેના અકબરપુરમાં, 67 વર્ષની વયે, 58 વર્ષને દીક્ષા પર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા હતા. બાદશાહ જહાંગીર પાસેથી “જહાગીરી મહાતપા”નું બિરૂદ મેળવનાર, પ્રભાવશાળી સંઘનાયક, મહાન તપસ્વી આચાર્યશ્રી વિજયદેવસૂરિ મહારાજ આચાર્ય વિજયદેવસૂરિ સમર્થ વિદ્વાન, મહાન તપસ્વી પરમ પ્રભાવક જૈનાચાર્ય હતા. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ અંતર્ગત જે “વિજ્યદેવસૂર સંઘ” આજે પ્રસિદ્ધ છે તે તેમના નામને જ દ્યોતક છે. શ્રી વિજયદેવસૂરિના ગુરુ શ્રી વિજયસેનસૂરિ અને દાદાગુરુ શ્રી હીરવિજયસૂરિ હતા. આ ત્રણે સમર્થ આચાર્યોએ તેમના સમયના મેગલ સમ્રાટ અકબર. જહાંગીર અને શાહજહાંને પ્રતિબધી ભારતવર્ષમાં જીવદયા પ્રવર્તાવવાનું મહાન કાર્ય કર્યું હતું. શ્રી વિજયદેવસૂરિનો જન્મ “ઉકેશ' જાતિના મહાજન પરિવારમાં વિ. સં. ૧૯૩૪માં ઈડરમાં થયો હતો. તેમના પિતાનું નામ થીરા અને માતાનું નામ રૂપાદેવી હતું. અને તેમનું પિતાનું નામ વાસુદેવકુમાર હતું. વાસુદેવનાં માતાપિતા ધાર્મિક વિચારનાં હતાં, એટલે વાસુદેવને બાળપણથી ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. બાળ વાસુદેવનું મને ઉત્તરોત્તર ત્યાગ તરફ ઢળતું ગયું અને એક દિવસ, 10 વર્ષની બાલ્યવયમાં જ ત્યાગમાર્ગે જવાને સંકલ્પ કર્યો. માતા રૂપાદેવી પણ દીક્ષા લેવા તત્પર બન્યાં. બંનેની દીક્ષા અમદાવાદ - હાજા પટેલની પિળમાં શ્રી વિશેનસૂરિના વરદ હસ્તે વિ. સં. ૧૯૪૩માં સમ્પન્ન થઈ. બાળ વાસુદેવનું નામ મુનિશ્રી વિદ્યાવિજય રાખવામાં આવ્યું. નામ પ્રમાણે તેઓ વિદ્યાનું ઉપાર્જન કરવા તત્પર થયા. તેમની યોગ્યતાથી પ્રભાવિત 2010_04