Book Title: Vijay Bhadraguptasuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249138/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ કરર શાસનપ્રભાવકે નમી પડે છે. શાસ્ત્રના ઊંડા અભ્યાસી, સિદ્ધતિમાં પારંગત પંડિત, પ્રાયશ્ચિત્તવિધિમાં વટવૃક્ષ સમા વડીલ, વૈયાવચ્ચમાં વિનમ્ર સાધુ પૂજ્યશ્રી ચાર દાયકા ઉપરને દીક્ષા પર્યાય ભેગવી આજે અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં મગ્ન હોય છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીઘયુષ્ય બક્ષે એવી ભાવભીની પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના ! (સંકલન : પૂ. મુનિરાજ શ્રી જ્યસુંદરવિજયજી મહારાજ.) પ્રખર પ્રવચનકાર અને લોકપ્રિય ધર્મગ્રંથોના રચયિતા પૂ. આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરિત મણિભાઈ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય) મહારાજની વિરાગ-વાણી સ્પશી જતાં દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં. ૨૦૦૭ના મહા સુદ ૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં. ૧૯૮ના શ્રાવણ સુદ ૧૦ને દિવસે જન્મેલા મૂળચંદ સં. ૨૦૦૭ના પિષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા. બંને બંદુમુનિઓની સંયમયાત્રા પૂ. ગુરુવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણના ઊંડા જ્ઞાતા બન્યા. ૪૫ આગમના સટક અધ્યયન ઉપરાંત ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને કાવ્યસાહિત્યને અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય વરેલું હતું. મુનિજીવનમાં એને ખૂબ વિકાસ થતો ચાલે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથે સાથે સાહિત્યસર્જનની કુશળતા અને તપસ્તાના ગુણો પણ વિકાસ પામ્યા. ‘મહાપંથને યાત્રી” નામના પુસ્તકથી વીસ વરસની ઉંમરે આરંભાયેલી તેઓશ્રીની લેખનયાત્રા આજે સોએક જેટલાં પુસ્તકનું સર્જન કરીને અવિરત-અપ્રમત્ત ચાલી રહી છે. પૂજ્યશ્રીએ “જ્ઞાનસાર', પ્રશમરતિ” જેવા ગ્રંથ પર તવજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, “જેન રામાયણ' જેવી સુદીર્ઘ કથા તેમ જ વાર્તાઓ, કાવ્યો આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્યું છે. પૂજશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજ ઇત્યાદિ ભાષાઓમાં કરી છે. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી રહી છે. “અરિહંત” નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચને તથા કથાસાહિત્ય પીરસાઈ રહ્યું છે. પૂજ્યશ્રીને પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ, સંઘશાસન માટે બહુજનહિતાય-બહુજનસુખાય વિવિધ પ્રવૃત્તિઓ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ 23 કરવી એ તેઓશ્રીના જીવનના આદરણીય પાસાં છે. વિશેષ કરીને, નાનાં બાળકે અને ઊગતી પેઢી માટે સંસ્કારસિંચનની પ્રવૃત્તિઓ કરવામાં તેઓશ્રીને વિશેષ રુચિ છે. પ્રવચને, વાર્તાલાપ, શિબિરો, જપ-ધ્યાન-અનુષ્કાનાં આયોજન દ્વારા તેઓશ્રી આવતી પેઢીને અમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આધ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાયાત્રા દ્વારા પૂજ્યશ્રીના વરદ હસ્તે ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં છે. યોગ્યતાનુસાર ગણિ–પંન્યાસપદ પ્રાપ્ત કરીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના શુભ દિને પૂ. ગુરુદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે કેલ્હાપુર મુકામે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યા ત્યારથી પૂજ્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. એવા એ પરમ પ્રભાવક, સમર્થ સાહિત્કાર સૂરિવરને શાસનદેવ સ્વસ્થ દીર્ધાયુ દ્વારા શાસનપ્રભાવના માટે સદા સજજ રહેવાનું સામર્થ્ય બક્ષે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિ કોટિ વંદના ! કર્મસાહિત્ય' નિર્માણના સહયોગી, ધ્યાનયોગની અનુભૂતિના સાધક પૂ. આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ પરમ શાસનપ્રભાવક ગુરુભગવંત આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ઝીલીને તેઓશ્રીના પનોતા પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ શિષ્ય-પ્રશિષ્ય વિદ્વાને એ “કર્મ સાહિત્યના નિર્માણનું કાર્ય આરંભ્ય, તેમાં પૂ. મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયો હતો. પિતાનું નામ ચીમનલાલ ઝવેરી અને માતાનું નામ મેતીકેરબેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનમગુણ ફતેહગંદ હતું. ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ તેમની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વ્યતાનુસાર તેઓશ્રીને સં. ૨૦૩૨માં ગણિપદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે કેલ્હાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં 4-2-7 કિ. મી. જેટલા અંતરે રહેલાં ગામેતમાં પણ જે જિનમંદિર હોય છે એટલે આવવા-જવાને વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા દિવસે જ રહેવાનું હોય તે પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરને જુહારતા. તેઓશ્રી 2010_04