Book Title: Vidyavijayjimuni
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાસનપ્રભાવક લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો હતે. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી. પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધે. ૯૦ થાણાને એક જ અવાજ હતું કે આચાર્ય પદ સ્વીકારે. પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહતા. ઉપરાંત, તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન-સન્માન આપવા તત્પર છતાં તેઓશ્રી એ માન-સન્માનથી નિસ્પૃહી રહેવા માટે સભા-સમારંભમાં પણ જતા નહીં. પણ, સન્માન, ઉપાધિઓ, સભ્યપદે તેઓશ્રી પાછળ દોડતાં. જેમાં જુદી જુદી સેસાયટીએ તેમને સભ્યપદ મેકલ્યાં હતાં, તેમ જુદી જુદી ડિગ્રીએ પણ મોકલી હતી, જેમ કે – M. N. G. s. (Washington). M. A. S. ( Bombay), M. A. M. S. ( Delhi), M.O. G. (Ahmedabad), M. I. S. C. A. ( Calcutta ). આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અધી યાત્રા વટાવી ત્યાં લકે ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકે ખડે પગે સેવાસુશ્રષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ને દિવસે ઊંઝા મુકામે પિતાની જીવનલીલા સંકેલી લીધી. દર વર્ષના અલ્પાયુમાં અને અધી સદીથી પણ અધિક રીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચત્કાર થયાના દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કેટ કેટિ વંદના ! (સંકલનઃ પ્રબુદ્ધજીવન, પૂ. ગણિવર શ્રી હેમચંદ્રસાગરજીના ગ્રંથરત્ન પૂજ્ય ગુરુદેવ’ આદિના આધારે સાભાર.) શાસનદીપક : વ્યાખ્યાતૃ ચૂડામણિ : પૂજય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના શિષ્યરત્ન શાસનપ્રભાવક, શાસનદીપક, વ્યાખ્યાત ચૂડામણિ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ અજોડ શક્તિના ધારક હતા. દીક્ષિત થયા પહેલાં પણ તેમના મનમાં ધર્મના સિદ્ધાંતે જાણવાની, તેને પ્રચાર કરવાની ભાવના ઊભરાતી હતી, જેનાગમાં રહેલા સિદ્ધાંતને જાણવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન હોવું જરૂરી હતું. તે માટે તેઓ બનારસ પાઠશાળામાં ભણવા ગયા. સિદ્ધહેમ, અષ્ટાધ્યાયી, ન્યાય, કાવ્ય આદિ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત વિદ્યાઓને અભ્યાસ કર્યો. પુરુષાર્થ શક્તિને કેળવ્યા વગર સુષુપ્ત પ્રતિભાશક્તિને વિકાસ અશક્ય છે એવું માનનારા બેચરદાસે પૂ. શ્રી વિજ્યધર્મસૂરિજીના સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ અને વકતૃત્વ કળાની શક્તિ વિકસાવી. પ્રાંતે કલકત્તા શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિદ્યાવિજ્યજી નામે ઘોષિત થયા. સુદીર્ઘ આંખો, પ્રભાવશાળી કાન, લાંબી ભુજાઓ, આડમના ચંદ્ર જે ભાલપ્રદેશ, મનમોહક મુખારવિંદ અને મધુર વાણી - આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદગુણેને ઉમેરે થયે. પ્રભાવશાળી વકતૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણની ઓજસ્વિતાના ગુણેથી આપતા મુનિવર હજારો-લાખ ભાવિકજનના હૈયામાં વસી જનારા વિરલ વ્યક્તિ હતા. - સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જેનશાસનને ય જયકાર પ્રવર્તાવ્યું. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વસ્તૃત્વ લાખ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકેને એ વાણીપ્રવાહ અને ઉત્સાહ પ્રેસ્તો અને સંયમમાર્ગો પદાર્પણ કરવા પ્રેર. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રત્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશમાં વિચારીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન ! (સંકલન : પ્રતિષ્ઠા” સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું “ગુણરત્ન સંવત્સર” નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીમતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સંમતિલકવિજયજી મહારાજ એક સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, દૂધમાં રહેલા પાણીને હંસ ભિન્ન કરે છે, તેવી રીતે જીવ તપ વડે કર્મરૂપી મેલથી આત્માને ભિન્ન કરે છે. જેમ દાવાનલ વિના જંગલને બાળી શકાતું નથી, જેમ મેઘ વિના દાવાનલ એલવી શકાતું નથી, જેમ પવન વિના મેઘને વીંખી શકાતા નથી, તેમ તપ વિના કર્મનાં બંધને છેદી શકાતાં નથી. પણ કલિકાલમાં કઠેર તપ દુર્લભ છે, અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી સમિતિલકવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા ગુણરત્ન સંવત્સર’ તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કેઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાને વાસે મળ્યો હતે. જૈનસંધમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય 2010_04