Book Title: Vachanamrut 0180
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330300/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 180 દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષણ - અમરવરના આનંદનો અનુભવ - ઇશ્વરી નિયમનનો ભંગ - ‘આ કાળમાં મોક્ષ નો સ્યાદ્વાદ - સ્યાદ્વાદવાણીની સિદ્ધિ - અમૃતની સચોડી નાળિયેરી - આનો સંગ થયા પછી નિર્ભય રહેતાં શીખવું મુંબઈ, માગશર સુદ 4, સોમ, 1947 પરમ પૂજ્ય શ્રી, ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્ય અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. 'મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડો તો સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઇચ્છે છે, તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઇશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ? રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે, એક ‘તુંહિ તૃહિ’ મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય.” " આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.” આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.” “આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય.” " આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મોક્ષે ન જ જાય ? ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું, આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા ? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો : આ કાળમાં 1 મુનિ દીપચંદજી. Page #2 -------------------------------------------------------------------------- ________________ કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આપ્યો, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં ? ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી ન મુકાય. આમાં પણ ઘણા ભેદ છે; પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તો એ જૈનના શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો; ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે, પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં. છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે ? વિ. રાયચંદ