Page #1
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ વિનિર્મિત તારંગાતીર્થ
PRATAPI દ્વિતીય
"rowwwwwwwwwwwy
अमदावा
શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧.
કરી કરી છે
Page #2
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ વિનિર્મિત તારંગાતીર્થ
પ્રકાશક
શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧.
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ વિનિર્મિત
તારંગાતીર્થ
પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૫૩ : ઈ. સ. ૧૯૯૭
નકલ : ૧૦૦૦
ગ્રંથઆયોજન
શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
પ્રકાશક
કામદાર નવીનચંદ્ર મણિલાલ
જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧.
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન જૈન તીર્થોની પરિચય પુસ્તિકામાળાના મણકારૂપે, પહેલાની પુસ્તિકાઓની જેમ, પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપેલી તારંગાના સુપ્રસિદ્ધ અને મહાન અજિતનાથ ચૈત્યનું તેના ઐતિહાસિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સવિવરણ કલાદર્શન કરાવતી પુસ્તિકા આ સાથે પ્રકાશિત થઈ રહી છે. પુસ્તિકાને મુદ્રિત રૂપે પ્રગટ કરવામાં આગળની જેમ જ શ્રી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદના કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહ્યો છે.
શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ વિ. સં. ૨૦૫૩
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
PH
12V
SENW
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ વિનિર્મિત તારંગાતીર્થ
જૈનોને પર્વતીય સ્થળો પર તીર્થધામો સ્થાપવામાં અત્યંત રુચિ હતી. પૂર્વ ભારત સ્થિત મગધમાં અહતુ પાર્શ્વની નિર્વાણ ભૂમિ સમ્મદ શૈલ કે સમેત શિખર, મધ્યપ્રદેશમાં સોનાગિરિ, કર્ણાટકમાં શ્રવણબેલગોળ (શ્રમણ-બેલગોળ), કોપ્પણ, અને હુમ્બચ, તથા પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં ઉજ્જયન્તગિરિ (ગિરનાર) તેમ જ શત્રુંજયગિરિ (શેત્રુજો), અને રાજસ્થાનમાં અર્બુદગિરિ કિંવા આબૂ પર્વત એવં જાબાલિપુર(જાલોર)નો કાંચનગિરિ પ્રસિદ્ધ છે. એ જ પર્વતીય તીર્થોની શ્રેણીમાં ઉત્તર ગુજરાતમાં અડાવલા(અરવલિ)ની ટેકરીઓમાં આવેલા તારંગાના જિન અજિતનાથના તીર્થને મૂકી શકાય.
તારંગા જવા માટે રેલ રસ્તે મહેસાણાથી જતી તારંગા લાઈન અથવા મોટર રસ્તે મહેસાણાથી સડકને માર્ગે જઈ શકાય છે. ટીંબા ગામ પાસે ખંડેર કિલ્લા પછીની ટેકરીઓની વચ્ચે મધ્યકાલીન તારંગાનો, પહેલા મોઢા આગળના પ્રાકારમાં અજિતનાથનો શ્વેતામ્બર સંપ્રદાયનો મંદિર સમૂહ, અને પછી તરત જ પાછળ તેની પશ્ચિમે જરા ઊંચાણમાં દિગમ્બર સપ્રદાયના અધિકારનું નાનાં નાનાં જિનાલયોનું ઝૂમખું આવી રહ્યું છે. | ‘તારંગા’ અભિધાનની વ્યુત્પત્તિ અને ઇતિહાસ વિષે એકદમ સ્પષ્ટતા નથી. વર્તમાને અસ્તિત્વમાન જૈન મંદિરોથી વિશેષ પ્રાચીન એવી કોઈ મહાયાનિક બૌદ્ધ સમ્પ્રદાયની નાની બૌદ્ધ ગુફાઓમાં એકમાં આઠમા શતકના અન્ત યા નવમી શતીના પ્રારંભે મૂકી શકાય તેવી બૌદ્ધદેવી તારા ભગવતીની ઉપાસ્ય મૂર્તિ છે. શ્વેતામ્બર સમ્પ્રદાયના બૃહદ્ગચ્છીય આચાર્ય સોમપ્રભના મહારાષ્ટ્ર પ્રાકૃતમાં નિબદ્ધ જિનધર્મપ્રતિબોધ અંતર્ગત વેણી-વત્સરાજ નામના રાજાએ અહીં તારાદેવીની સ્થાપના કરેલી અને ત્યાં આગળ ‘તારાઉર' એટલે કે તારાપુર નામનું ગામ વસેલું,
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
એવું કથન મળે છે. આ કોઈ બહુ મોટી વસાહત–નગરી જેવડી–હોવાનો સંભવ ન હોતાં તેનું વ્યવહારમાં નામ “તારાગ્રામ' અને તેના પરથી અપભ્રંશ “તારાગામ', ‘તારાગાંવ' જેવું થઈ ‘તારંગા' બન્યું હોય તેવો સંભવ છે. અહીંના (અને સાથે જ આબૂના) મધ્યકાળના અભિલેખોમાં તેનાં તારંગક, તારણદુર્ગ, તારણગઢ જેવાં અભિધાનો પ્રાપ્ત થાય છે, જે વિષે અહીં આગળ ઉપર નિર્દેશ થશે.
પરંતુ તારાપુર વસ્યા પહેલાં અહીં કોઈ જૈન સ્થાન હોવાનો સંભવ નહીંવત્ છે. દિગમ્બરેતર સંપ્રદાયના, સંભવત: દાક્ષિણાય, જૈન કર્તા જટાસિંહનન્દીના વરાંગચરિત (પ્રાય: ૭મી શતી) નામના જૈન પૌરાણિક ગ્રન્થમાં આનર્તપુર અને સરસ્વતી વચ્ચે મણિમાન પર્વત અને રાજા વરાગે બંધાવેલા જિનાલયનો ઉલ્લેખ આવે છે. આ મણિમાન પર્વત તે જ મધ્યકાળનો તારંગપર્વત હોવાનું સૂચન થયું છે. અલબત્ત અહીંથી મળતી જૈન પ્રાચીન વસ્તુઓના પુરાવાઓમાંના કોઈ જ ૧૧મી સદી પૂર્વના નથી. અહીં દિગમ્બર અધિકાર નીચેના મંદિરની પાછળની પહાડીમાં એક દરીન્કુદરતી ગુફા આવેલી છે, જેમાં (અચલ સંપ્રદાયના) જૈન મુનિઓ ધ્યાન કરતા હોવાની પરંપરા છે.
તારંગા સંબંધ આજુબાજુનાં પ્રાચીન સ્થાનોની વિગતો દેવાનું અહીં સન્દર્ભગત ન હોઈ હવે મુખ્ય વાત પર આવીએ. જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અનુસાર તારંગાનું અજિતનાથનું શ્વેતામ્બર સંપ્રદાયનું મહાચૈત્ય સોલંકીસમ્રાટ ગૂર્જરેશ્વર કુમારપાળના આદેશથી દંડનાયક અભયદ દ્વારા વિનિર્મિત બનેલું. તેનો નિર્માણકાળ પશ્ચાત્કાલીન વીરવંશાવલી અંતર્ગત સં ૧૨૨૧ / ઈ. સ. ૧૧૬૫ જણાવ્યો છે તે શૈલીગત પ્રમાણોથી તથ્યપૂર્ણ જણાય છે. રાજગચ્છીય પ્રભાચન્દ્રના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર આ પ્રાસાદ રાજાના ગુરુ આચાર્ય હેમચંદ્રના ઉપદેશાત્મક સૂચનથી અને રાજાદેશથી બંધાયેલો. ત્યાં અપાયેલી અનુશ્રુતિ અનુસાર રાજાએ (ઈસ્વી ૧૧૫૦થી પૂર્વેકરેલા) શાકંભરિ-વિજય વખતે જિન અજિતનાથનું આયતન બાંધવાનો જે નિશ્ચય કરેલો તેનું સ્મરણ થતાં તેણે આ મંદિર બંધાવેલું. મંદિરનું કદ જોતાં તેને બંધાતાં પાંચેક વર્ષ તો સહેજે લાગ્યા હશે. પ્રાંગણમાં એક દેરીમાં સુરક્ષિત સ્તભ પર કુમારપાળના શાસનના અંતિમ વર્ષનો લેખ છે. મંદિરનો મૂળ પ્રશસ્તિ લેખ ઉપલબ્ધ નથી. આ મંદિરમાંથી મંત્રીશ્વર વસ્તુપાલે સં. ૧૨૮૫ / ઈસ. ૧૨૨૯માં ખત્તક સમેત ભરાવેલી પ્રતિમાઓના બે લેખ પ્રાપ્ત થયા છે, જેની પ્રતિષ્ઠા એમના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેન સૂરિએ કરેલી. વસ્તુપાળ તેજપાળના સમકાલીન વરહુડિયા કુટુંબના દેલવાડાની લૂણસહીની દેવકુલિકાના સં૧૨૯૬ના પ્રશસ્તિ-લેખ મુજબ એમના તરફથી પણ અહીં જિનબિંબ સહિત ખત્તક બનેલો, જે ઈસ્વી
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
૧૨૪૦થી થોડાં વર્ષ પૂર્વે બન્યો હશે. ત્યારબાદ સં. ૧૩૦૪ અને સં. ૧૩૦૫ / ઈસ. ૧૨૪૮ અને ૧૨૪૯માં અહીં રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરાના ભુવનચન્દ્રસૂરિએ અજિતનાથનાં બે બિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. આજે તો અલબત્ત લેખો જ અવશિષ્ટ રહ્યા છે, મૂળ બિંબો નષ્ટ થઈ ચૂકયાં છે.
૧૫મા શતકના મધ્ય ભાગમાં રચાયેલા રત્નમંડનગણિકૃત ઉપદેશતરંગિણી તથા સુકૃતસાગર ગ્રન્થોની નોંધને આધારે માલવમંત્રી પૃથ્વીપર(પેથડ) પુત્ર ઝાંઝણ અહીં તપાગચ્છીય ધર્મઘોષ સંગાથે પ્રાય: ઈસ્વી ૧૨૬૪માં સંઘ સહિત યાત્રાર્થે આવેલા અને ૧૩મા શતકના અન્તભાગે ખરતરગચ્છીય તૃતીય જિનચન્દ્રસૂરિ પણ સંઘ સહિત વંદના દેવા આવી ગયેલા. આમ તારંગાની ૧૩માં શતકમાં તીર્થરૂપે ખ્યાતિ બની ચૂકેલી.
કુમારપાળના અનુગામી અજયપાળે, પૂર્વે પોતાને ગાદીવારસરૂપે બાતલ કરવાની સલાહ આપનાર મંત્રીઓ (મહામાત્ય કપર્દી, મંત્રી આમ્રભટ્ટ) અને હેમચન્દ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચન્દ્રને ક્રૂરતાપૂર્વક મારી નખાવ્યા; અને કુમારપાળે તેમ જ તેના પૂર્વોકત મંત્રીઓએ કરાવેલ જિનાલયોના ઉત્થાપન કરાવેલા. તેમાંથી તારંગાના મહાનું જિનાલયને કેવી રીતે યુકિતપૂર્વક પાટણના શ્રેષ્ઠી આભડ વસાહ દ્વારા બચાવી લેવામાં આવ્યું તે સંબંધની હકીકત નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબન્ધચિંતામણિ (સં. ૧૩૬૫ / ઈ. સ. ૧૩૦૫) અને પછીના કેટલાક પ્રબન્ધોમાં નોંધાયેલી છે.
પરંતુ ૧૪મા શતકના પ્રારંભે થયેલા મુસ્લિમ આક્રમણ સમયે અને અણહિલપત્તન પરના મુસ્લિમ આક્રમણ અને શાસન દરમિયાન ગુજરાતના મોટા ભાગના બ્રાહ્મણીય અને જૈન મંદિરો ખંડિત થયાં અને કેટલાંયેનો ધરમૂળથી વિનાશ કરવામાં આવ્યો, જે સપાટામાંથી તારંગાનું આ ચૈત્ય બચી શકેલું નહીં. એ સંબંધની નોંધ ૧૫મા સૈકાના પ્રથમ ચરણમાં તપાગચ્છીય મુનિસુંદરસૂરિના જિનસ્તોત્રરત્નકોશ અન્તર્ગત “શ્રીતારણદુર્ગાલંકાર શ્રીઅજિતસ્વામીસ્તોત્ર'માં લેવામાં આવી છે.
ત્યાં કહ્યા મુજબ પ્લેચ્છો દ્વારા થયેલા ભંગ પશ્ચાત્ ઈડરના સંઘાધિપતિ સાધુ ગોવિંદે આરાસણના આરસનું નૂતન બિંબ ઘડાવી તેમાં પુન: પ્રતિષ્ઠા કરાવેલી. સોમસુંદરસૂરિના પ્રશિષ્ય પ્રતિષ્ઠા સોમના સોમસૌભાગ્ય કાવ્ય (સં. ૧પ૪ | ઈસ. ૧૪૬૮) અનુસાર ગોવિંદ શ્રેષ્ઠીએ સોમસુંદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવેલી, જે હકીકતની સંક્ષિપ્તરૂપે નોંધ સોમચારિત્રગણીના ગુરગણરત્નાકરકાવ્ય(સં. ૧૫૪૧
ઈ. સ. ૧૪૮૫)માં પણ મળે છે. ગોવિંદનું નામ દેતાં મૂળ બિંબના ઘસાઈ ગયેલા લેખ અનુસાર પ્રતિષ્ઠા-વર્ષ સં. ૧૪૭૯ | ઈસ. ૧૪૨૩ હતું. ૧૫મા શતકના આરંભે અમદાવાદના સુલતાન અહમદશાહના ઝવેરી ગુણરાજે સોમસુંદરસૂરિ સાથે તીર્થયાત્રાઓ કરેલી, તેમાં તારંગાનો પણ સમાવેશ હતો. ઉપર્યુક્ત ગોવિંદ શ્રેષ્ઠીએ મંદિરમાં થયેલા નુકસાનને પણ દુરસ્ત કરાવ્યું હશે. એમણે
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
ત્યાં નવ ભારપટ્ટ (ભારોટો) ચઢાવ્યાની નોંધ પણ સોમસૌભાગ્યકાવ્યમાં લેવાઈ છે. ૧૭મા સૈકામાં આવતાં દેવાલયના જૂના બાંધકામને ટેકણોથી મજબૂત કરવાનો પ્રયત્ન સં. ૧૬૮૨ થી ૧૬૮૮ (ઈસ્વી ૧૬૨૬ થી ૧૬૩૨) વચ્ચેના વર્ષમાં થયેલો, જેનો યશ અંચલગચ્છીય કલ્યાણસાગરસૂરિ
સ્વવિરચિત રાસમાં જામનગર/કચ્છના શ્રેષ્ઠી બંધુઓ વર્ધમાન સાહ અને પદમસી સાહને આપે છે; પણ તપાગચ્છીય પટ્ટાવલીની નોંધ અનુસાર ઉદ્ધાર હીરવિજયસૂરિશિષ્ય વિજયસેનસૂરિના ઉપદેશથી થયેલો.
આટલો, ઉપલબ્ધ સાધનોથી પ્રાપ્ત થતો, ઈતિહાસ જોયા પછી હવે મુખ્ય મંદિરના સ્વરૂપના આકલન અને તેની કલાના વિવેચન પ્રતિ વળીએ. મંદિરના પ્રાંગણમાં ૧૯મા શતકમાં બંધાયેલ નાનાં નાનાં મંદિરોમાં અષ્ટાપદ, નન્દીશ્વર, સહસ્ત્રકૂટ, આદિની સ્થાપનાઓ છે; પણ તે સૌ કૃતિઓ કાળની તેમ જ કલાની દષ્ટિએ મહત્ત્વની ન હોઈ હવે મૂળ વિશાળ મંદિરનું સવિગત અવલોકન કરીશું.
પૂર્વાભિમુખ આ મંદિરને, ભદ્રવ્યાસે લગભગ ૭૪ ફીટ જેટલો પહોળો અને ૧૨૫-૧૩૦ ફીટ જેટલી ઊંચાઈ ધરાવતો મૂલપ્રાસાદ, તેની સાથે જોડેલો ગૂઢમંડપ, અને ગૂઢમંડપ સાથે છચોકી જડેલી છે. કંઈક અંશે શત્રુંજય પરના વાભટ્ટ મંત્રીએ કરાવેલ આદિનાથના મંદિર જેવો તળચ્છન્દ ધરાવનાર આ (અંદર પ્રદક્ષિણાવાળો) સમગ્ર પ્રાસાદ તેનાથી પણ વિશાળ કદનો છે. ચિત્ર ૧માં સમગ્ર મંદિરનું વાયવ્ય ખૂણામાંથી, ચિત્ર રમાં દક્ષિણ દિશાથી, અને ચિત્ર ૩માં ઈશાન ખૂણાથી દર્શન થાય છે; જ્યારે ચિત્ર ૪માં પૂર્વ તરફના મોરાના ઉપલા ભાગમાં મંડપની સંવરણા અને શિખરનું દશ્ય જોવા મળે છે.
મંદિરના ઉદયમાં પીઠ અને પર વેદીબંધ, અધ:જંઘા (નીચલી જાંઘી), ઊર્ધ્વ જંઘા (ઉપલી જાંઘી), છાઘ (છજું), તે પર પ્રહાર (પાલ) અને ત્યાંથી શિખરનો ઉપાડ શરૂ થાય છે. મંદિરના તળચ્છન્દમાં કર્ણ (મૂળખૂણો), પ્રતિરથ (પઢરો), નન્દિકા (નંદી), એ ત્રણે અંગોની વચ્ચે કોણિકા (ખૂણી) અને પછી સુભદ્રયુકત વિસ્તીર્ણ ભદ્ર (ભદર) કાઢેલાં છે (ચિત્ર ૧૨). આમ મોટા કિંવા મેરુ પ્રાસાદના તળમાં જે અંગો હોવાં ઘટે તે કરેલાં છે.
પરંતુ પીઠમાં પ્રાસાદમાનને યોગ્ય ત્રણને બદલે કેવળ બે ભિટ્ટ, અને હોવાં ઘટે તેનાથી ઓછી ઊંચાઈના જાયાકુમ્ભ (જાડંબો), કર્ણક (કણી), અંતરપટ્ટ, છજિકા (છજજી), અને ગ્રાસ પટ્ટી (મઘડીયાની પટ્ટી) જ કરેલાં છે (ચિત્ર ૭). આવડા મોટા માનના, અને સમ્રાટકારિત પ્રાસાદમાં પીઠબન્ધમાં સામાન્ય પીઠને ઉપરના ભાગમાં ગજપીઠ, અશ્વપીઠ, અને નરપીઠ લઈ
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
મહાપીઠ કરવી જોઈએ તે વસ્તુ નથી. બન્ને ભિટ્ટ અલબત્ત અલંકૃત છે; તેમાં નીચલા પર કંકણપત્ર અને ઉપલા પર કંકણકમલની પંક્તિ કોરેલી છે.
૫
પીઠ પર વેદિબન્ધમાં જોઈએ તો ખુરકના ઉપલા ભાગમાં વસન્તપટ્ટીમાં ફીંડલાવાળી વેલ, અને ઉપર કુમ્ભના વચલા કિંવા ભદ્રના મોવાડ પર રથિકાઓમાં યક્ષ-યક્ષી, વિદ્યાદેવીઓ આદિની મૂર્તિઓ કરેલી છે (ચિત્ર ૧૧); અને પડખાની નાસિકાઓમાં અર્ધરત્નો કોરેલાં છે; જ્યારે રથિકાઓ ઉપર રત્નપટ્ટી કરી છે (ચિત્ર ૧૧). કુમ્ભ પછી આવતો કળશ સાદો કર્યો છે. તે પછી અંતરપટ્ટમાં હંમેશ મુજબની કુંજરાક્ષ(હાથીઓની આંખો)ની ભાત કોરેલી છે. ત્યારબાદ ઉપર ગગારક(ગગારા)વાળી કપોતપાલી (કેવાળ), આછેરી મંચિકા, અને તે પર શત્રુંજયના આદિનાથના મંદિરમાં છે તે પ્રમાણે રત્નપટ્ટનો થર લીધો છે (ચિત્ર ૧૦). તે પછી જંઘામાં દેવથર આવે છે, જેમાં નીચે રૂપધારા કરેલી છે. દેવથરની મૂર્તિઓ આ યુગના નિયમ અનુસાર પરિકર્મયુકત છે (ચિત્ર ૧૧). તેમાં કર્ણે દિક્પાલો અને પ્રતિરથોમાં યક્ષીઓ, વિદ્યાદેવીઓ આદિની મૂર્તિઓ દર્શાવી છે; અને પડખાઓમાં બન્ને બાજુ નૃત્યાંગનાઓ આવી રહેલી છે (ચિત્ર ૧૦). મધ્યભાગે મૂર્તિ-પરિકરની છાજલી ઉપર ઉદ્ગમ અને બન્ને બાજુ નાનેરાં તિલકો કરેલાં છે. આ ભાગની ખામી એ છે કે, મંચિકાનું કદ નાનું છે અને તેનું પરિકર્મની થાંભલીઓમાં તળિયે લુમ્બિઓ સમેત જોડાણ થવું ઘટે તે, રત્નપટ્ટ અને રૂપધારાની ઉપસ્થિતિથી થતા અવરોધથી, થઈ શકયું નથી. (આથી પ્રભાસના કુમારપાળ કારિત ઈ સ ૧૧૬૯ના સોમનાથના મંદિર જેવી શોભા બની શકી નથી અને દેવથર પણ ટૂંકો બની ગયો છે.) આ પછી અંતરપટ્ટ આવે છે, પણ તે ઉપર વાસ્તુના નિયમ પ્રમાણે ભરણી અને કેવાળ લેવાં ઘટે તે લીધાં નથી અને સીધી જ ઉપલી જંઘા લઈ લીધી છે. આ ઉપલી જંઘામાં વચ્ચે યક્ષ, યક્ષી, વિદ્યાદેવ્યાદિની પ્રતિમાઓ કંડારી છે, જ્યારે પડખલામાં ઊભાં ચીરેલાં સરસ રત્નો કોર્યાં છે (ચિત્ર ૧૦, ૧૫, ૧૬,). ત્યારબાદ અંતરપટ્ટ, તમાલપત્રની પટ્ટીવાળી ભરણી, કેવાળ, અંતરપટ્ટમાં રત્નપટ્ટી, તે પછી ગ્રાસપટ્ટીને બદલે વસંતપટ્ટિકા, ફરીને ઝીણું અંતરપટ્ટ અને તેમાં સૂક્ષ્મ રત્નપટ્ટી, અને ત્યારબાદ છાદ્ય લીધું છે. આ છાશ્વને ખૂણે ખૂણે ઘૂંટણ વાળેલા (ખડ્વયુકત કે અન્યથા) આકાશચારી વિદ્યાધરોની છૂટી મૂર્તિઓ ગોઠવી છે. તે પછી ફરીને કપોતપાલી અને વસંતપટ્ટિકાના થરો લઈ શિખરનો પ્રહાર ભાગ શરૂ કર્યો છે, જેની છાજલીના સંધાન ભાગોમાં ફરીને વિદ્યાધરોની મૂર્તિઓ મૂકી છે.
શિખરની વિગતો જોતાં પહેલાં પ્રાસાદના ભદ્રભાગની પીઠ ઉપરથી જુદી પડી જતી રચના વિષે જોઈ લઈએ. સાન્ધાર જાતિના પ્રાસાદોમાં હોય છે તેમ અહીં ત્રણ બાજુએ ભદ્રાવલોકનો (બેઠા ઝરૂખા) કર્યાં છે (ચિત્ર ૫), પણ તેમાં ઉપભદ્રો પણ કાઢ્યાં છે જે ઘટના વિરલ છે, અને
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
૬
એથી ભદ્રભાગ સમગ્ર રીતે જોતાં હોવો ઘટે તેનાથી વિશેષ પહોળો બન્યો છે અને એ કારણસર કર્ણ-પ્રતિરથાદિ અન્ય અંગોની પહોળાઈ હોવી જોઈએ તેના કરતાં ઓછી કરવી પડી હોય તેમ લાગે છે, અને એથી જ તો દેવથર પણ નાનો થઈ ગયો જણાય છે.
તારંગાતીર્થ
પ્રત્યેક ભદ્રાવલોકનનો ઉદય સમાનરૂપે છે. તેમાં પીઠ પર પહેલાં મોટો રત્નપટ્ટ કર્યો છે, જે આ મંદિરની વિશેષતા છે (ચિત્ર ૭, ૮). તે પર સાંકડું રાજસેનક, જાલરૂપાડ્યા વેદિકા, આસનપટ્ટ, અને કક્ષાસન લીધાં છે. વેદિકામાં યક્ષીઓ, વિદ્યાદેવીઓનાં રૂપ કર્યાં છે; જ્યારે કક્ષાસનમાં છેડે અને વચલા ભાગે સંગીત અને નૃત્યકારી સમૂહોનાં રૂપ કાઢ્યાં છે (ચિત્ર ૮). આસનપટ્ટ પર મિશ્રક જાતિના સ્તમ્ભો મૂકયા છે (ચિત્ર ૯). તેમાં ઉપરના વૃત્ત ભાગમાં કંકણપત્ર, રત્નપટ્ટી, અને ગ્રાસપટ્ટી કરી છે. અહીં કંકણપત્રમાં એક કાળે વચ્ચારે, સુભદ્ર ભાગે, મધ્યમાં ૧૩ ખંડની અને બાજુઓમાં એટલે કે ઉપભદ્રોમાં ચચ્ચાર ખંડની ભૌમિતિક સુશોભન ધરાવતી, સરસ જાળીઓ ભરી છે (ચિત્ર ૮, ૯). આ જાળીઓ મૂળે કુમારપાળના સમયની હશે કે પછી ગોવિંદ શ્રેષ્ઠીએં કરાવેલા જીર્ણોદ્વાર સમયે દાખલ કરી હશે તેનો નિર્ણય કરવો એકદમ સરળ નથી. સ્તમ્ભોનાં શરાં પર વલ્લીપટ્ટિકા કરી તેની ઉપર છાજલી કાઢી છે, જેમાં ખૂણાઓ પર હાથીનાં રૂપો ગોઠવ્યાં છે. ભદ્રભાગે ઉપલા માળનું જાળી સહિતનું ભદ્રાવલોકન કર્યું છે, જેની છાજલીઓ પર પણ છેડે ફરીને હાથીઓ જોવા મળે છે. આ ભદ્ર ભાગની ઉપર સંવરણા કરી છે.
પ્રાસાદનું શિખર જેટલું ભવ્ય, સપ્રમાણ, અને ઉન્નત છે એટલું જ સોહામણું પણ છે. (ચિત્ર ૧૩, ૧૮, ૨૦). ભદ્રમાં ઉપર ખૂણે કાઢેલાં ૮ શ્રૃંગ (સખીડાં) બાદ કરતાં કર્ણો અને પ્રતિરથો પર વિશેષ અંડકોવાળાં વાસ્તુની પરિભાષામાં જેને ‘કર્મો’ કહ્યાં છે, તે ચઢાવ્યાં છે. પ્રત્યેક દિશાના ચચ્ચાર ઉર:શ્રૃંગો, આઠ પ્રત્યંગો અને વચ્ચેની મૂલમંજરી કિંવા મૂલશ્રૃંગ વા મૂલશિખરની સંખ્યા મેળવતાં સમગ્ર શિખરના કુલ મળી ૪૦૩ અંડક થાય છે (ચિત્ર ૬, ૧૮, ૨૦) : જ્યારે નન્દિકાઓ અને ભદ્રનાં શ્રૃંગો ઉપરના કૂટ-કક્ષકટકો મળીને શિખરમાં કુલ ૮૦ તિલકો પણ કર્યાં છે. આમ આ નખશિખ જાલાભૂષિત શિખર, મેરુ પ્રાસાદને બરોબર અનુરૂપ બનાવ્યું છે. એનાં તમામ શ્રૃંગો, કર્મો, અને મૂલમંજરી સહિતનાં અંગ પ્રત્યંગોની રેખા અતિ સુંદર છે (ચિત્ર ૧૮, ૧૯, ૨૨). કુમારપાળ યુગમાં શિખરની રેખાની નમણાશ અને લાલિત્ય એની ચરમ સીમાએ પહોંચી ગયેલાં. શિખરની ગ્રીવામાં કર્ણ અને પ્રતિરથે જૈનમુનિઓની મૂર્તિઓ મૂકી છે. (સંભવ છે કે, આવાં મોટાં શિવાલયોમાં તે સ્થળે પાશુપતાદિ શૈવાચાર્યોની મૂર્તિઓ મૂકવાની પ્રથા હશે, જે અન્વયે અહીં શ્વેતામ્બર મુનિઓની મૂર્તિઓ મૂકી હશે.) પશ્ચિમે શિખરમાં ધ્વજાધરની મૂર્તિકરેલી છે. પ્રાસાદ અને ગૂઢમંડપને સંધાન કરનાર ઉત્તર-દક્ષિણના કપિલી(કોળી)ભાગના ઉદયના
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
થરો પ્રાસાદના થરો અને રૂપકામાદિ જેવાં છે (ચિત્ર ૧૪, ૧૭). તેમાં ઉપર આવતાં કર્મો વચ્ચે તિલકો પર ક્રમશ: ત્રણ ત્રણ બેઠેલી મુનિમૂર્તિઓ મૂકેલી છે (ચિત્ર ૨૧).
કપિલી પર ત્રણ તબકકામાં ઊતરતી એવી, પડખા અને સન્મુખમાં મોટી પ્રતિમાઓ યુકત, અને તે પ્રત્યેક ભાગની ઉપર ગજાક્રાન્ત સિંહો મૂકી એક બૃહદ્, સિંહારૂઢ શુકનાસ કાઢેલી છે. (ચિત્ર ર૧), જેનું સન્મખદર્શન ચિત્ર ૨૩માં રજૂ કર્યું છે. પ્રાસાદ મેરુમાનનો હોઈ તેની શુકનાસ પણ સહેજે વિસ્તારવાળી બનાવવી પડી છે.
કપિલી પછી આવે છે ગૂઢમંડપ. ગૂઢમંડપ સાધારણ નિયમથી પ્રાસાદની પહોળાઈના સાતમા કે આઠમા ભાગે વિશેષ પહોળો થતો હોય છે, પણ અહીં તો પ્રાસાદથી જરાક સાંકડો કર્યો છે, જે વસ્તુ દોષપૂર્ણ ગણાય. તેની ઉત્તર-દક્ષિણમાં મિશ્રક સ્તબ્લોવાળાં ચોકીઆળાં કર્યા છે (ચિત્ર ૨૫), જ્યારે પૂર્વ દિશાએ મોઢા આગળ એવા જ થાંભલાઓવાળી છચોકી કરેલી છે (ચિત્ર ૨૫). અહીં સ્તબ્બો છચોકીમાં હોવા ઘટે તેના કરતાં સાદા રાખી દીધા છે, જેના દેખાવ અને અલ્પ કંડારકામ પ્રાસાદનાં ભદ્રાવલોકનોના વામન સ્તબ્બો જેવું જ છે. આ ચોકીની છતો પણ આબૂ કે કુંભારિઆનાં મંદિરો જેવી ખાસ ધ્યાન ખેંચે તેવી નથી. તેમાંની એક ૯ ખંડોમાં કમલો કોરેલ ચોરસ છત, અને એક એવી જ પણ ૧૨ ખંડોવાળી લંબચોરસ છત (ચિત્ર ૨૬, ૨૭), તેમ જ એક વિકણમાં પક્ષીઓ વાળી અને એક બીજી તે સ્થળે કમળોવાળી નાભિપદ્મક જાતિની, અન્યથા સમાન ભાસતી છતનાં દશ્ય ચિત્ર ૨૮ અને ૨૯માં પ્રસ્તુત કર્યા છે. છેલ્લી કહી તે બન્નેમાં વચ્ચેના ભાગમાં સરસ ચંપક પુષ્પો લગાવ્યાં છે. કચોકીમાંથી ગૂઢમંડપના પ્રવેશદ્વારની અડખે-પડખે વસ્તુપાલ મંત્રીએ ઊભા કરાવેલ સાધારણ ઘાટવાળાં બે દેવકુલિકા ખત્તકો છે.
ગૂઢમંડપની ઉપર ૩ર ઉર ઘંટા, ૧ મૂલઘંટા અને અનેક ઘંટિકાઓવાળી જાજવલ્યમાન સંવરણા કરેલી છે (ચિત્ર ૪, ૨૪). ગૂઢમંડપના ઉત્તર પ્રવેશદ્વારના પ્રતિહારરૂપે ઊભેલા ઈન્દ્રો (ચિત્ર ૩૦, ૩૧માં) રજૂ કર્યા છે. અંદર જતાં ઊંચા અને ધીંગા પણ ચોકીઆળામાં અને પ્રાસાદના ભદ્રોમાં છે તેવા એકસરખા મિશ્રક જાતિના સ્તબ્બો કરેલા છે (ચિત્ર ૩ર), વચ્ચે અઢાંશના આઠ સ્તબ્બો, અને તેને ફરતા બહારના સ્તબ્બો. બહારના સ્તભોના ભારપટ્ટ પર કંકણપત્રનો કંડાર અને તેના ઉપર તંત્રકમાં વેલ કોતરેલી છે. તેની ઉપરના ભાગે કિન્નરયુગ્મોની શોભનલીલા અને પછી વલ્લી દર્શાવતો પટ્ટ, તે પછી કર્ણદર્દરિકા (કણદાદરી), રત્નપટ્ટી અને ત્રણ કોલના થરો લીધા છે : અને અહીં આ વળી જતા થરો અંતરાલની જગ્યા સંક્રમી વચ્ચેના અઠશનાં ઉચ્ચાલકો ઠંકીઓ) દ્વારા ઊંચેરા (૧૭ '/૨) કરેલા સ્તભ્યોને આંબી રહે છે (ચિત્ર ૩૩). આ ઉચ્ચાલકો વચ્ચે, મોટે ભાગે તો ૧૭મા સૈકાના જીર્ણોદ્ધારમાં, મકર ઉપર મદલ(ઘોડા)ની ટકણી કાઢેલી છે (ચિત્ર ૩૩).
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
મંડપની વચ્ચે ઊભા રહી ઉપર જોતાં તેનો મોટો કરાટક-વિતાન કિંવા સભા-પદ્મ-મંદારક જાતિની વિશાળ છત નજરે પડે છે (ચિત્ર ૩૪). તેમાં કર્ણદર્દરિકા ઉપરના કંઠમાં ચોકઠાંઓના સમૂહથી રચાતી ભાત અને વચ્ચે વચ્ચે ૧૬ વિદ્યાધરો કર્યા છે, જેના પર ૧૬ નૃત્યમગ્ન સુરસુંદરીઓની પૂતળીઓ ગોઠવી છે. વિદ્યાધરો પર ત્રણ ગજતાળુ અને ત્રણચતુર્ખાડી કોલના થર, પછી ૧૬ લૂમાઓનું વર્તુળ, અને છેવટે બે મુખ્ય કોલવાળું લંબન આવે છે. લગભગ ૨૫ ફીટના વ્યાસવાળા વિશાળ વિતાનનું લંબન કંઈ નહીં તોયે સાત કોલનું હોવું જોઈતું હતું, પણ તે ઓછા કોલનું હોઈ છીછરું અને પ્રમાણમાં નાનું દેખાય છે. તેના કોલ જાળીદાર હોઈ (ચિત્ર ૩૫) ૧રમાની નહીં પણ ૧૫મા સૈકાની પ્રથાનું સ્મરણ કરાવી જાય છે. ગૂઢમંડપની પશ્ચિમી ભીંતમાં ૧૩મા શતકના ગોખલો કરેલો છે (ચિત્ર ૩૨).
ગર્ભગૃહની દ્વારશાખામાં ખાસ નવીન કંઈ નથી. અંદર ૧૫મા શતકની (ઈ. સ. ૧૪૨૩). ગોવિંદ શ્રેષ્ઠીએ બિરાજમાન કરાવેલી ભૂલનાયક અજિતનાથ જિનની વિશાળકાય બેઠેલી મૂર્તિ છે. નીચે બાજુમાં બીજી કેટલીક ૧૩મા શતકની, પણ બહારથી લાવેલ આરસની ખગાસન મૂર્તિઓ છે.
પ્રાસાદનું મૂળ ગર્ભગૃહ તો બહારથી અંગઉપાંગવાળું હશે પણ જીર્ણોદ્ધારમાં તેનો સીધો ચોરસ કરી નાખ્યો છે; તેમાં નથી જંઘા, કે નથી ભદ્રના ગોખલા રહેવા દીધા : પણ કયાંક કયાંક ઉત્તરે આવી રહેલા, ખંડિયેર બની ગયેલા શિવાલયમાંથી આણેલી અગ્નિ આદિ દિકપાલોની, ૧૧મા શતકના પૂર્વાર્ધની, નાની મૂર્તિઓ ચોડી દીધી છે. (પ્રાકારના ઉત્તર તરફના પશ્ચાત્કાલીન દરવાજાના આગળ પાછળના મોવાડોમાં પણ આ જ શિવમંદિરના ભદ્રોની હોવી ઘટે તે ગણેશાદિ મૂર્તિઓ લગાવી દીધી છે.)
પ્રદક્ષિણામાં ભદ્રભાગની બે છતો ચિત્ર ૩૬ અને ૩૭માં રજૂ કરી છે. બન્ને સામાન્ય કોટીની છે.
મંડપના ઉપલા માળમાં, ભદ્રના ત્રણે ચોકીઆળાની અંદર, જીર્ણોદ્ધારકોએ જે મુગલાઈ કમાનો ઘુસાડી દીધેલી તે કાઢીને હાલના સુધારકામમાં ખંડવાળી જાળીઓ ભરી દેવામાં આવી છે. અંદર કરોટકની ઉપર અને સંવરણાના તળિયા ભાગે જીર્ણોદ્ધારમાંટેકણોરૂપી કદલિકાઓ(કેળો)ના ઊભા, પગથિયાંવાળાં, પટ્ટાઓ કર્યા છે (ચિત્ર ૩૮). અહીં થયેલો, આડસરાદિમાં કેગર લાકડાનો પ્રયોગ જૂના કાળનો મનાય છે.
હવે નીચે ઊતરીને, ફરીને ચોકીમાં પ્રવેશી, છેલ્લે જોઈએ મૂળે મંત્રીશ્વરની વસ્તુપાલની બે ગોખલા-દેરીઓમાં પછીના કાળે મૂકેલી, પણ અન્યથા કુમારપાળના સમયની બે મૂર્તિઓ.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
આમાં એક છે આરસની દેવી મૂર્તિ (ચિત્ર ૩૯), જેની પિછાન શ્રીમદ્ રમણલાલ મહેતાએ બૌદ્ધ દૈવી ધનદ-તારા તરીકે કરી છે. લેખ વિનાની પ્રતિમાની શૈલી ૧૨મા શતકના ત્રીજા ચરણની હોઈ તે મૂળે અહીંના બૌદ્ધ સ્થાનમાંથી લાવવામાં આવી હોય તેવો સંભવ છે. (પરંતુ તે યક્ષી નિર્વાણીની પણ હોઈ શકે છે. અને મહેતા જેને પુસ્તક માને છે તે કદાચ કુણ્ડિકા હોઈ શકે છે.)
e
બીજી આરસની, છત્રધારી પુરુષ સહિતની, અશ્વારૂઢ પુરુષમૂર્તિ કોઈ રાજપુરુષની, સંભવતયા ગુર્જરેશ્વર કુમારપાળની જ, હોવાનું જણાય છે (ચિત્ર ૪૦). કેમ કે મંત્રી કે દણ્ડનાયક સાથે ન હોય તેવી એક અન્ય રાજવિભૂતિ, ચામરધારિણી વિલાસિનીની મૂર્તિ, પણ અહીં મોજૂદ છે. તમામ આકૃતિઓની નાસિકાઓ ખંડિત કરવામાં આવી છે. તો પણ પ્રતિમા મહત્ત્વની એટલા માટે છે કે તે કુમારપાળની, અને તેની સમકાલીન છે અને મંદિરના કર્તા કુમારપાળ હતા તેવી જે મધ્યકાલીન સાહિત્યની નોંધો છે તેને આ પ્રતિમાથી વિશેષ સમર્થન મળી રહે છે.
તારંગાનું અજિતનાથ જિનાલય પશ્ચિમ ભારતના અસ્તિત્વમાન મારુગૂર્જર મંદિરોમાં સૌથી વિશાળ છે. તે રાજકારિત હોઈ તેનું ઐતિહાસિક મૂલ્ય પણ ઘણું મોટું છે. શિખર-નિર્માણ કલાની દૃષ્ટિએ, તેમ જ જૈન પ્રતિમાવિધાનના અભ્યાસની દષ્ટિએ પણ, આ મંદિરનું સારું એવું મહત્ત્વ છે. સોલંકી યુગના તમામ મોટાં મેરુ પ્રાસાદો—પાટણનો કર્ણમેરુ (ઈસ્વી ૧૦૭૦-૮૦), સિદ્ધપુરનો રુદ્રમહાલય (ઈ. સ. ૧૧૯૦), પાટણનો સિદ્ધમેરુ (ઈ સ૰ ૧૧૨૦-૩૦), અને પ્રભાસનો કૈલાસ મેરુ (ઈ સ ૧૧૬૯)- —નષ્ટ થઈ ચૂકયા છે, ત્યારે એવડું જબ્બર મંદિર અહીં તારંગામાં આજે પણ અડીખમ ઊભું છે, તે ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહે છે.
કેટલીક ભ્રાન્ત ધારણાઓ
તારંગા તીર્થની પ્રાચીનતા વિષે, અને અજિતનાથના ચૈત્ય સંબંધમાં, કેટલીક ભ્રમમૂલક માન્યતાઓ પ્રચારમાં છે, જે હવે દૂર થવી ઘટે.
(૧ ) સોમપ્રભાચાર્યે લખ્યું છે કે, ત્યાં (તારાપુરમાં) તારા દેવીની સ્થાપના રાજા વેણી-વત્સરાજે કરાવ્યા બાદ અહીં તેણે (જૈનયક્ષી) સિદ્ધાયિકાનું મંદિર કરાવેલું; પણ પછીથી આ તીર્થ દિગમ્બરોના કબજામાં ચાલ્યું ગયેલું. આ વાતમાં કોઈ તથ્ય જણાતું નથી. પહેલી વાત તો એ છે કે અર્હત્ વર્ધમાનની પછીથી શાસનદેવી મનાતી સિદ્ધાયિકાનો કોઈ ખાસ મહિમા શ્વેતામ્બર સંપ્રદાયમાં હતો નહીં, અને છે પણ નહીં. પ્રાચીન કાળે તો યક્ષી અંબિકાનાં જ સ્થાપના તથા કુલિકારૂપી મંદિરો થતાં હતાં. અને ૨૪ તીર્થંકરોની યક્ષીઓનો વિભાવ પણ ઈસ્વી નવમ શતકના અંતિમ ચરણ પૂર્વેનો નથી. સાહિત્યમાં તેનો વર્ણન સહિત પ્રથમ ઉલ્લેખ તૃતીય
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
પાદલિપ્તસૂરિની નિર્વાણકલિકા(પ્રાય: ઈસ્વી ૯૫૦)માં મળે છે અને શિલ્પમાં તે મધ્યપ્રદેશના દેવગઢના એક પુરાણા, ઈસ્વી ૮૭૩–૭૫ના અરસાના જિનમંદિરમાં પ્રાપ્ત થાય છે. (આ મંદિર સંભવતયા અચેલ-ક્ષપણક કિંવા બૉટિક સંપ્રદાયનું હશે તેવો સંભવ છે; વર્તમાને તે દિગમ્બરોના અધિકારમાં છે.) બીજી વાત એ છે કે, તારાદેવીની મૂર્તિ કરાવનાર રાજા પ્રતીહાર વત્સરાજ નહોતા, જેમ (સ્વ૰) ડૉ. ઉમાકાન્ત શાહે અન્યત્ર સૂચન કર્યું છે તેમ, કોઈએ નામધારી નાનો સ્થાનિક રાજા હશે. જે હોય તે, તેનો સમય ઈસ્વી નવમી શતાબ્દીનો પૂર્વાર્ધ હોવાનું જણાય છે, કે જે સમયે સિદ્ધાયિકા દેવીની કલ્પના પણ સાહિત્ય કે શિલ્પમાં આવી નહોતી.
તારંગાતીર્થ
( ૨ ) દિગમ્બર વિદ્વાન્ બલભદ્ર જૈનના કથન અનુસાર દિગમ્બરોએ કાઢી આપેલી જમીન પર આ અજિતનાથનું શ્વેતામ્બર ચૈત્ય બનેલું; પરંતુ આ સંબંધી સાહિત્ય કે અભિલેખનું કોઈ જ પ્રમાણ ઉપલબ્ધ નથી, ન તેમણે તે પેશ કર્યું છે; એમની પોતાની એ કલ્પના માત્ર છે. પડતર જમીનો રાજ માલિકીની ગણાય છે, જેવી ત્યાંની પણ હશે અને તે પર રાજા કુમારપાળે મંદિર બંધાવેલું. દિગમ્બર કબજા હેઠળનું મંદિર ઘણું નાનું છે અને તેનો અસલી પરિસર પણ ઘણો જ નાનો હતો. આજે પણ તેમાં બહુ વધારો નથી થયો. તેમની પાસે આટલી વિશાળ ફાજલ ભૂમિ હોવાનું વ્યવહારમાં સંભવિત પણ નથી.
( ૩ ) અજિતનાથનું મંદિર મૂળે બત્રીસ માળનું હતું તેવું શ્વેતામ્બર મુનિજન અને શ્રાવક લેખકો વાસ્તુશાસ્ત્રની અને બાંધકામોની મર્યાદાઓ ધ્યાનમાં લીધા સિવાય, અને લાંબો વિચાર કર્યા વિના લગ્યે જ જાય છે. અત્યારે જે મંદિર છે તે પ્રાય: કુમારપાળે બંધાવેલું તે મૂળરૂપે કાયમ છે; અને તેમાં શિખરમાં બે પ્રકટ મજલાઓ છે, અને તેની ઉપર કદાચ એકાદ બે બીજા, ‘કુહર’ રૂપે, અને એથી પ્રચ્છન્ન રૂપે હોય. મંદિરનો પ્રાસાદ તળભાગે ૭૪ ફીટની પહોળાઈનો છે. જો તે બત્રીસ માળનો કરેલો હોય તો પ્રાસાદ તળભાગે લગભગ ૨૫૦ ફીટ પહોળો કરવો પડે, અને શિખરની ઊંચાઈ ૪૫૦ ફીટ જેટલી થાય, જે વ્યવહારમાં (કમાન રહિતના બાંધકામમાં) સંભવિત નથી. પ્રાસાદની અત્યારે જે ૧૨૬-૧૩૦ ફીટ જેટલી ઊંચાઈ છે તે અસલથી જ છે; અને પ્રાસાદ પણ કુમારપાળના સમયનો હતો તે અસલી જ છે. તેમાં કંઈ પડી ગયું નથી. આ તળ પર ૩૨ માળ હોવાનું શકય જ નથી. અને કોઈ જ મધ્યકાલીન લેખકે તેને ૩૨ માળ હોવાનું લખ્યું નથી. (એક ઉત્તર મધ્યકાલીન કર્તા અનુસાર મંદિર સાત માળનું હતું : પણ તે વાત પણ તથ્યપૂર્ણ જણાતી નથી.)
( ૪ ) આ મંદિર જેટલી ઊંચાઈ ધરાવતું ભારતમાં ભાગ્યે જ કોઈ મંદિર હશે તેવી શ્વેતામ્બર લેખકોની એક બીજી માન્યતા પણ બરોબર નથી. સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ કૃષ્ણના મંદિરની વર્તમાન
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
ઊંચાઈ ૧૫૦-૧૬૦ ફીટની જણાય છે. કલિંગદેશમાં ભુવનેશ્વરમાં લિંગરાજ સમૂહના મુખ્ય મંદિર(આ૦ ઈ. સ. ૧૦૭૫)ની ઊંચાઈનો અંદાજ ૧૪૦-૧૬૦ ફીટ વચ્ચેનો મુકાય છે. જગન્નાથપુરીના પુરુષોત્તમ મંદિરની ઊંચાઈ લગભગ ૧૬૯ ફીટ છે; જ્યારે કોણાર્કના સૂર્યમંદિરના (આ૦ ઈસ૧૨૫૦) પડી ગયેલા શિખરની ઊંચાઈ ૨૪૦ ફીટની હતી. એના અસ્તિત્વમાન મંડપની જ ઊંચાઈ ૧૫૦ ફીટ લગોલગ છે.)
બીજી બાજુ જોઈએ તો દક્ષિણમાં તમિલ્નાડુના તંજાવૂરના, સમ્રાટ રાજારાજ ચોળ્યું નિર્માણ કરાવેલા, બૃહદીશ્વર અપરના રાજરાજેશ્વર(ઈ. સ. ૧૦૧૪)ના વિમાનની પહોળાઈ ૯૬ ફીટ અને ઊંચાઈ ૨૦૦ ફીટની છે; અને તેના પુત્ર રાજેન્દ્ર ચોબ્લના ગંગાઈકોર્ડીંચોળ્યપુરમના મંદિરની ઊંચાઈ ૧૫૦ ફીટ જેટલી છે.
( ૫ ) અજિતનાથનું મંદિર રાજા કુમારપાળે નહીં પણ તેના દંડનાયક અભયે રાજાની અનુજ્ઞાથી બંધાવેલું એવી એક વાત તાજેતરમાં વહેતી મૂકવામાં આવી છે. મંદિરનું નિર્માણ રાજા કુમારપાળના આદેશથી જ થયેલું તે સંબંધમાં સમીપકાલીન તથા ઉત્તરકાલીન પૂરતાં સાહિત્યિક પ્રમાણ અને અન્ય પ્રમાણો પણ તે વાતની જ તરફદારી કરે છે. (આ વિષે સામ્પ્રત લેખકે નિર્ચન્ય સામયિકના બીજા અંક [અમદાવાદ ૧૯૯૭]માં સવિસ્તર ઊહાપોહ કરેલો છે.)
ચિત્રસૂચિ:૧. અજિતનાથના મહાપ્રાસાદનું નૈઋત્ય કોણથી થતું વિહંગદર્શન. ૨. અજિતનાથ મહાચૈત્યનું દક્ષિણ દિશાથી થતું સમગ્રદર્શન. ૩. અજિતનાથના મહામંદિરનું ઈશાન ખૂણાથી દેખાતું પૂર્ણ દશ્ય. ૪. અજિતનાથના ગૂઢમંડપની સંવરણા તથા શિખરનું પૂર્વ તરફથી થતું દર્શન. ૫. અર્જિતનાથના માન પ્રાસાદનું વાયવ્યકોણથી થતું દર્શન. ૬. પ્રાસાદના શિખરના વાયવ્ય ભાગનું સમીપદર્શન. ૭. પ્રાસાદ તથા કપિલીનું ઉત્તર તરફનું દર્શન. ૮. ભૂલ પ્રાસાદના ઉત્તર તરફના પીઠ, પ્રણાલ, રાજસેન, વેદિ-કક્ષાસનાદિનું દશ્ય. ૯. પ્રાસાદનું ઉત્તર તરફનું જાળીયુકત ભદ્રાવલોકન. ૧૦. પ્રાસાદનો પશ્ચિમ બાજનો નીચલો ભાગ. ૧૧. પ્રાસાદનાં પશ્ચિમ દિશાના ડાબી બાજુથી દેખાતા કોરણીયુકત પીઠ અને મંડોવર.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૨. પ્રાસાદના શિલ્પમંડિત મંડોવરનું નૈઋત્ય ખૂણાથી થતું દર્શન. ૧૩. પ્રાસાદનું ઉત્તર તરફથી દેખાતું દૃશ્ય.
૧૪. પ્રાસાદ અને ગૂઢમંડપ વચ્ચેની ઉત્તર તરફની કપિલીનું દૃશ્ય.
૧૫. પ્રાસાદ તથા ઉત્તર તરફ્ની કપિલીની જંઘાની દેવમૂર્તિઓ.
૧૬. ગૂઢમંડપ તથા ઉત્તર તરફની કપિલીની જંઘાની દેવમૂર્તિઓ. ૧૭. દક્ષિણ તરફ્ની કપિલીનું દર્શન.
૧૮. પ્રાસાદના શિખરનું પશ્ચિમ તરફનું દર્શન.
૧૯. પ્રાસાદ-શિખર, પશ્ચિમ બાજુ.
૨૦. પ્રાસાદના મંડોવર સહિતના શિખરનું દક્ષિણ તરફનું દર્શન.
૨૧. પ્રાસાદના શિખર-શુકનાસ તથા ગૂઢમંડપની સંવરણાના સંધાનનું દક્ષિણ તરફનું દર્શન.
૨૨. પ્રાસાદ-શિખરની પૂર્વ દિશાનું જમણી બાજુથી થતું વિગત-દર્શન.
૨૩. પ્રાસાદ-શિખરની શુકનાસ, પૂર્વ તરફથી સન્મુખ દર્શન.
૨૪. પ્રાસાદના ગૂઢમંડપની સંવરણાના દક્ષિણ મથાળાનું પશ્ચિમ બાજુથી થતું દર્શન.
૨૫. પ્રાસાદની છચોકી અને ગૂઢમંડપનો પૂર્વદિશાનો જમણી તરફના ઉદયનું ઉત્તર તરફના ચોકીઆળા સમેતનું
દશ્ય.
૨૬. છચોકીની ઉત્તર-પૂર્વની સમતલ ચોરસાસ્કૃતિ છત.
૨૭. છચોકીના મધ્ય ભાગની પૂર્વ તરફની સમતલ લંબચોરસ છત.
૨૮. છચોકી ઉત્તર-પશ્ચિમનો નાભિમંદારક વિતાન.
૨૯. છચોકીના મધ્ય ભાગનો પશ્ચિમ તરફ દ્વાર ઉપરનો નાભિમંદારક વિતાન.
૩૦. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકી અંતર્ગત પ્રવેશદ્વારનો જમણી તરફનો ઇન્દ્ર-પ્રતિહાર. ૩૧. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકીના અંદરના પ્રદેશદ્વારનો ડાબી બાજુનો ઇન્દ્ર-પ્રતિહાર. ૩૨. ગૂઢમંડપની અંદરના મિશ્રક જાતિના સ્તમ્ભો.
૩૩. ગૂઢમંડપના અલિંદો ઉપરની છતના સ્તરો.
૩૪. ગૂઢમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
૩૫. ગૂઢમંડપના મહાવિતાનનો મધ્ય ભાગ.
૩૬. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ પરની એક છત. ૩૭. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથની ઉત્તર તરફની છત.
તારંગાતીર્થ
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
તારંગાતીર્થ
૧૩
૩૮. ગૂઢમંડપના ઉપલા માળમાં સંવરણા નીચેની કદલિકા(કોર્બલ)માં કેગરના લાકડાની ટેકણો. ૩૯. બૌદ્ધદેવી ધનદ-તારા (કે જૈન યક્ષી નિવણી ?). ૪૦. અશ્વારૂઢ રાજા કુમારપાળની પ્રતિમા.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
RANTI
ET
'
Raaમા
ઝા
૧. અજિતનાથના મહાપ્રસાદનું નૈઋત્ય કોણથી થતું વિહંગદર્શન.
Jamedication International
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
一些
。
管
翻部
,
૨. અજિતનાથ મહાચૈત્યનું દક્ષિણ દિશાથી થતું સમગ્રદર્શન.
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૩. અજિતનાથના મહામંદિરનું ઈશાન ખૂણાથી દેખાતું પૂર્ણ દશ્ય.
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧
imali
Li
૪, અજિતનાથના ગૂઢમંડપની સંવરણા તથા શિખરનું પૂર્વ તરફથી થતું દર્શન.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
૫. અજિતનાથના મહાન પ્રાસાદનું વાયવ્યકોણથી થતું દર્શન.
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Prit/unt
૬. પ્રાસાદના શિખરના વાયવ્ય ભાગનું સમીપદર્શન.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
A346
NE
NANANANDO
Se
SED
that als
BE
GLOSSA
VIET
5959
SO
MALAALAAA
33
1. M
EN
US
AAAAA
B5
3 BED
mg
BEL
7 777 7A
ou ARMER
VNIM
Polos
me
MAGKIKI ET EKKI TYTT UKUM IKKIAMA FETETE E 2018 ESTE DEERE SETETE DE QUELLE
299.9
RETRO 6.2009 29
૭. પ્રાસાદ તથા કપિલીનું ઉત્તર તરફનું દર્શન.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
હતા ,
Sી || ક ||||||||
દેવી
|
||
II Hi'?' '
''''''''''ર ૨૧૧૪૨૪૪૩ દી'3'511''''''''''''''૬૬
RE)
Ra
|
?
૮. મૂલપ્રાસાદના ઉત્તર તરફના પીઠ, પ્રણાલ, રાજસેન, વેદિકક્ષાસનાદિનું દરશ્ય.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
AAA 171
૯. પ્રાસાદનું ઉત્તર તરફનું જાળીયુકત ભદ્રાવલોકન.
UKHTM --
For Personal & Private Use Only
। । । ।
ધ
Page #29
--------------------------------------------------------------------------
________________
T sી
RON
ATION
FORE
STER
-
TET
/ / / 11/
પણ .
૧ / ૧
/
2
છે
.
IિT LISTER
ITTA
જી
ET ELECTION TITLE
in :
1'IT'
T
૧૦. પ્રાસાદનો પશ્ચિમ બાજુનો નીચલો ભાગ.
૧૧. પ્રાસાદનાં પશ્ચિમ દિશાના ડાબી બાજુથી દેખાતા કોરણીયુકત પીઠ અને મંડોવર. )
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
22
AAA
000W
BV
TTAA
A
AX
Tel
VAAAAAAA
VIVIM
DE CULO
Vet
DETAYYY
TESTEU09
LAALAAAAAAAAA
2.2.22.22.22013
besar hath
CEREREZTE: ZEMEIEZE
DEKID 0
SERIE
2925.9093
e e3 TURVAL
ODOOOOO BEZ UGGHERREPRENERI
O
WAACSES
For Personal & Private Use Only
www.jainelibrar brg
Page #31
--------------------------------------------------------------------------
________________
et 1300T
BES
www
OFN
A
In an anon
30 121 12
AA
ens gonn
ye
૧૨. પ્રાસાદના શિલ્પમંડિત મંડોવરનું નૈઋત્ય ખૂણાથી થતું દર્શન.
For Personal & Private Use Only
Dog
SAVORS DE ARRIA
SXEMEN
Page #32
--------------------------------------------------------------------------
________________
=
"
store : 11TIL|| HD || હા
||
PPT
છે
?
રી'
કો//I1ી
MPTI Test
T
ET
1}, કે
૧૩. પ્રાસાદનું ઉત્તર તરફથી દેખાતું દશ્ય.
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪. પ્રાસાદ અને ગૂઢમંડપ વચ્ચેની ઉત્તર તરફની કપિલીનું દશ્ય.
P 1039 RUE
XOG
DODDE
Discogs
2
20
B
ISNES
EK
MMMMMM
MAMAMAA ALAVAMAA
OLEDO 03 BE SURE
900g te
00 0099009GGODOOTS30922
OK ang
CASAS
THEMES2927
B
ALSAS
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
5.skie.iqujeurel www
Aug asn evenue stepis2 |-17:/9 1Pb]e | Atp ePguthspesaltoinsiter c d - tốt để có thể đi tà tà tà do
h đã thu t
WFPyrsery
பந்தக் கல்விப்
adiba
Ambashi batamobal
S GKUS
1100
இங்
பேயAAAAAAAAAA VAAVANEKI
SAVNG
KADU
SIYOTIRL
HTTS
கம்
-
உலகம்
ETTHTHANAI
CHANNIRNETRIHHHNIN
KOாவே
oppeos
ONExam
Page #35
--------------------------------------------------------------------------
________________
SYSTEM
ROSEN
2101 A
NIO
veus 9900
0
powy
Sen
e
ste boere
Bie
SC
wanan
Baitadio Aoteados
AUTORIK
WW
NO
Jain Education Paris Hadel Our desul
doll veul
e
A
Use Only tle Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
SHA
STONE
ESLO
WWW
wwwww
w
wwwww
4.AAAAAAAA
CARA
18
VAN
ZA
PA
OSS
574 SICH
NWT
TEEMUESTRES
E
AAN AAF
AA MAALA
SENTER
ols
Zona de derde FFFFFFFFFF
peabe opowe. Ce
US915283333
by
E
30
૧૭. દક્ષિણ તરફની કપિલીનું દર્શન.
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Personal & Private Use Only
શિખરનું પશ્ચિમ તરફનું દર્શન.
1+31*16 2
Page #38
--------------------------------------------------------------------------
________________
UNEN
AAAA
避難雜
難看
一
(4
| |
-
二三:
All ally.
16. LALE-gluR,
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
บเร็วไพรสด ผ่อง 2.
- จ
LI
AD
INESE
આ કોમ મીનીટરિના
LA
T
ax ETIESAS
TORO
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
છે કે. રાકે
iiiiiiiiiiiiiiiii
(iiiiiiiii
પણ
કાકરાપાઓ એ
- જી
E
,
કોટિ
TO
1
RT
GS, 1/
2.
REN
હોય છે તેમાંથી
THE
E RE ;
આહિર
FE 10
faulu vs
૨૧. પ્રાસાદના શિખર-શુકનાસ તથા ગૂઢમંડપની સંવરણાના સંધાનનું દક્ષિણ તરફનું દર્શન.
( ૨૦. પ્રાસાદના મંડોવર સહિતના શિખરનું દક્ષિણ તરફનું દર્શન.
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Pow
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
છે.
૨૩. પ્રાસાદ-શિખરની શુક્લાસ, પૂર્વ તરફથી સન્મુખ દર્શન.
( ૨૨. પ્રાસાદ-શિખરની પૂર્વ દિશાનું જમણી બાજુથી થતું વિગત-દર્શન.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
(ાં
૨
વા
છે
રાકે
૨૪. પ્રાસાદના ગૂઢમંડપની સંવરણાના દક્ષિણ મથાળાનું પશ્ચિમ બાજુથી થતું દર્શન.
૨૫. પ્રાસાદની છચોકી અને ગૂઢમંડપનો પૂર્વદિશાનો જમણી તરફ્તા ઉદયનું ઉત્તર તરફના ચોકીઆળા સમેતનું )
દશ્ય.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
D
KO
PA
1
COLOR
2
AAAMASSA
HET KOOSSEIN ONE
AVAALAAAAAA REZRUNT
08 SAAAAAAAA
NASVET
REF
BORATORIO
OCESSORIES
PONOSA 0.9
100% ett
TOFTENEDODDOSSOLUT
REJSESSEN
MAZOEZI
2
.
WWW
For Personal & Private Use Only
www.jainelibrary
Page #45
--------------------------------------------------------------------------
________________
voiainelli rary.org
૨૬. છચોકીની ઉત્તર-પૂર્વની સમતલ
ચોરસાકૃતિ છત.
૨૭. છચોકીના મધ્ય ભાગની પૂર્વ તરફની
સમતલ લંબચોરસ છત.
'''''''''''
'' TV |
!
PPT
MAA
=
=
=
===
=
==
13123にはこんにちは
D) (DIDNTS ©©©©
For Personel Private Use
ન
કરે
છે.
આ
રીત
:
-
=
= == :
////
/////
//
/////
/
© હજી
Page #46
--------------------------------------------------------------------------
________________
- = મોઢ : મા
= = H = = =
પાડી પA' ( ' ' ' '
નવ
=
=
=
=
=
. * - sms
* * * * * * = =
આમ
મા રે
/ TT TT Trainaar 7 Tre
=
૨૮. ચોકી ઉત્તર-પશ્ચિમનો નાભિમંદારક
વિતાન.
૨૯. છચોકીના મધ્ય ભાગનો પશ્ચિમ તરફ
દ્વાર ઉપરનો નાભિમંદારક વિતાન.
brary.org
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકી અંતર્ગત પ્રવેશદ્વારનો
જમણી તરફનો ઈન્દ્ર-પ્રતિહાર.
Eવા
૩૧. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકીના અંદરના
પ્રદેશદ્વારનો ડાબી બાજુનો ઈન્દ્ર-પ્રતિહાર.
For Personal &
SE
iww.janelfbray
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૨. ગૂઢમંડપની અંદરના મિશ્રક જાતિના સ્તભો.
IIIIIIIIIIII
છે. આ
૩૩. ગૂઢમંડપના અલિંદો ઉપરની છતના સ્તરો. |
IIIIII
પS 31 SECS SSSSSSSSSSSSSSS WISHED AT
XEROGENAAMS
Page #49
--------------------------------------------------------------------------
________________
Ger
raccon
MOOLEY
ARMANN
MAXSARA
1213141
338
13/3113
BADIRGANA 7021
wwwwww
MANAZION
૩૪. ગૂઢમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
For Personal & Private Use Only
THE
ARROTTARSTAT
WEED refres
Page #50
--------------------------------------------------------------------------
________________
,ירוק
דיון
4/
(\\\\\\\\\\
היווני
יווק
4
/וי
מי
..
.
היי
אש שקט
יין
/7/1/
יוווווו חיזוי
זהה
מזון
ווייי
מים
והו ובווווווווווודי
י .
רווירוויו
יוווווווווווווווו
אה
יוווווווווווייי
૩૫. ગૂઢમંડપના મહાવિનાનનો મધ્ય ભાગ.
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Jain Edca on International
w.jainelibrary.org
Page #52
--------------------------------------------------------------------------
________________
(
૩૬, ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ પરની એક છત.
૩૮. ગૂઢમંડપના ઉપલા માળમાં સંવરણા નીચેની કદલિકા(કોર્બલ)માં કેગરના લાકડાની ટેકણો.
( ૩૭. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથની ઉત્તર તરફની છત.
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
आ श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र कोवा ( गाधीनगर) पि ३८२००९
उ. जौद्धद्देवी धन-तारा (3 जैन यक्षी निर्वाशी ? ).
४०. अश्वा३७ रान्त डुंभारपाजनी प्रतिमा.
For Personal & Private Use Only
praty.ord
Page #54
--------------------------------------------------------------------------
________________ For Personal & Private Use Only