Book Title: Siddhartha Patnino Punya Prakop
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249232/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ પત્નીના પુણ્યપ્રકાર [ ] ભાવિ યુદ્ધ થનાર સિદ્ધાર્થે તરુણ્વયે લગ્ન કર્યું. એની પત્નીનુ નામ ગાપા. બન્ને શાકયવશનાં હતાં અને નેપાલમાં આવેલ કપિલવસ્તુનાં રહેવાસી. નેપાલ એ પર્વતીય પ્રદેશ છે. સામાન્ય રીતે પર્વતીય જાતિમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીશક્તિ પ્રધાનપદ ભાગવતી જ હોય છે. તેમાંય આજથી હજારો વર્ષ પહેલાંના સ્વાતંત્ર્યની તો વાત જ શી ? વળી કુમાર સિદ્ધાર્થ અને ગોપા જે શાકયવશનાં હતાં તે વંશ પ્રરાક્રમી અને વિશેષે સ્વતંત્રતાપ્રિય હતા; નહિં કે અત્યારે એના વશજો જે સાક્રિયા કહેવાય છે અને ગુલામી મને દશા ભાગવે છે તેના જેવા. ' ' કરવા એવી સ્વતંત્ર હવામાં અને સ્વતંત્ર ખાનદાનીમાં ઊછરેલી ગાપા લગ્ન પછી શ્વસુર પક્ષમાં જાય છે ત્યારે કેટલાંક રૂઢિબળો એના ઘૂંઘટ નહિ કાઢવાના, લાજનું વર્ચુન નહિ રાખવાના સ્વસ્થ વલણ સામે કાંઈક અખડાટ માંડે છે. ગેાપાએ જોયું કે આા જવાન સાધારણ સ્ત્રીની જેમ રિસાઈને કે વાંધાવચકા પાડીને કે ગૃહકલહ જન્માવીને ન આપવા, પણ એ વિશેની પોતાની સમજણ અને દૃઢ માન્યતા નિર્ભયપણે રજૂ કરવી. ગેાષાએ તેમ કર્યું અને તે પણ પોતાના સુર શુદ્દોધન આદિવડીલો સમક્ષ પોતાનું વક્તવ્ય વિનમ્રપણે પણ અત્યંત સક્કમપણે રજૂ કરીને. ગાપાની એ ઉક્તિએ અતિહાસિક અવશેષ હાય કે કવિ-લેખક દ્વારા કપાયેલી હાય, તે ગમે તે હા, પણ એ સૂક્તિસંગ્રહ આજની સ્થિતિમાં જ્યાં જ્યાં ઘૂટને લીધે અનેક જાતની ગૂંગળામણુ સ્ત્રીઓને સહેવી પડે છે ત્યાં સર્વત્ર અને પુરુષોને દીવાદાંડીરૂપ થઈ પડે તેમ છે. તેથી અત્રે એ મૂળ સૂક્તિઓના ભાવ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. લલિતવિસ્તર અધ્યાય ૧૨ પૃ. ૧૦૯-૧૮૨ ઉપર આવેલ એ સૂક્તિઓને કાઈ શક્તિશાળી વિલિંગની ગૂજરાતીમાં છન્દોબદ્ધ કરશે તે તે એક ગેય કાવ્ય બની રહેશે અને જો કાઈ યાગ્ય વ્યક્તિ એને સવાદશૈલીએ ગેય નાટથનું રૂપ આપશે તે તે એ ચમત્કારી અસર ઉપજાવશે. એ ઉક્તિ આ રહી : આજન કપડાનું આવરણ ન હોય તેય જતાં-આવતાં, ઊઠતાંએસતાં બધે જ શેલ્બી નીકળે છે. ૪૪ <6 Page #2 -------------------------------------------------------------------------- ________________ 690 ] દર્શન અને ચિંતન જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે તેવી રીતે આર્ય. જન પડદા વિના પણ, બેલે કે મૌન રહે તેય, શોભે છે. આર્ય હોય તે નિર્વસ્ત્ર હોય કે કુશ-ચીવરધારી હોય, અગર છણ વસ્ત્રધારી કે દુર્બળ શરીરધારી હેય, છતાં તે ગુણવાન હોવાથી પિતાના તેજથી જ શોભી ઊઠે છે. જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું મલિનવૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણે ધરાવતું હોય તોય નથી શોભત. જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ પણ ઝેરથી ભરેલ ઘડાની પેઠે બધાને માટે હંમેશાં અદર્શનીય છે. જે આ દરેકને પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે. જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે તેવાનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે. જેઓ શરીર, વચન અને ઈન્દ્રિમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવા માટે મેટું ઢાંકવું કે પડદો કરે નકામો છે. જેઓનું મન નિરંકુશ કે સ્વછંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણે કે સત્યભાષિતા નથી તેવાઓ જે ઢગલા બંધ વસ્ત્રોથી પિતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પિતાના દેશોને જ ઢાંકે છે. અર્થાત તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરેમણિનાગડાઓના જેવા જ વિચારે છે. જે આર્યનારી ઇન્દ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે. વળી, બીજાનું મન સમજી શકનાર રષિ—મહાત્માઓ અને દેવગણે મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તે પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિએ અને દેવોની નજરમાં દેખાઉં જ છું -પછી મુખાવગું ન હોય કે ન હેય.” –ગૃહમાધુરી, જુલાઈ 1954.