Book Title: Sankheshwarna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249662/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ સખેશ્વર તીર્થના લેખ. (૭-). આ નવ લેખે સંખેશ્વર તીર્થમાંથી મળી આવ્યા છે. એમને પ્રથમ લેબ, સંખેશ્વર પાર્શ્વનાથની જે મુખ્ય મૂર્તિ છે તેની આજુબાજુ બે કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ (કાઉસગિઆઓ) છે તેમના નીચે કોતરેલે છે. અમદાવાદ નિવાસી, સા. જાનમાલના પુત્ર પુણ્યપાલે સં. ૧૬૬૬ માં, આ પરિકર કરાવી વિજ્યદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પછીના ત્રણ લેખો, આજુબાજુની દેવકુલિકાઓમાં આવેલી પ્રતિમાઓ ઉપરથી મળી આવ્યા છે. હકીકત સ્પષ્ટ જ છે. નં. ૫૦૧ થી ૪ સુધીના લેખો, એ જ સંખેશ્વર ગામમાં જૂના મંદિરનાં જે ખંડેરો છે તેમાંથી મળી આવ્યા છે. હાલમાં જે મંદિર છે તે ૧૮ મા કે ૧૯ મા ७४४ Page #2 -------------------------------------------------------------------------- ________________ સધર તીર્થના લેખો નં. ૪,પ૦પ ( ૩ ૩૫ ) અવેલેકન. ચિંકામાં બંધાવેલું છે. એની પહેલાં, આ લેખોવાળું જ જુનું મંદિર હતું. આ જુનું મંદિર પણ આ લેખે ઉપરથી જણાય છે તેમ ૧૭ મા સિકામાં અંધાવવામાં આવ્યું હતું. વિનચકરીતિ શાઠ્ય માં જણાવેલું છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી સંખેશ્રવર પાર્શ્વનાથનું નવું મંદિર બંધાવવામાં આવ્યું હતું. તે નવું મંદિર આજ ખંડેરેવાળું છે. આ મંદિર અવરંગજેબના જુલ્મી રાજ્યમાં નષ્ટ કરવામાં આવ્યું હોય તેમ જણાય છે અને પછીથી ફરી અત્યારે જે વિદ્યમાન છે તે મંદિર બંધાવવામાં આવ્યું છે. જે ખંડેરોમાંથી આ જ લેખો લેવામાં આવ્યા છે તે ખડે માં મૂલમંદિરનું તે અસ્તિત્વ જ નથી. તે તે જડા મૂળથી ઉખેડી નાંખવામાં આવ્યું હોય તેમ જણાય છે. પરંતુ તેની આજુબાજુની દેવકુલિકાઓ વિગેરેના ખંડેરો હજી જેવી તેવી હાલતમાં ઉભાં છે. એ દેવકુલિકાઓના દરેક દ્વાર ઉપર તેના બંધાવનારનાં નામે કોતરેલાં છે અને તેમાંના જ આ જ લેખો મુખ્ય છે. વિજ્યસેનસૂરિના ઉપદેશથી જ્યારે આ મંદિર નવીનજ તૈયાર કરવામાં આવ્યું હતું તે તે પહેલાં એ મંદિર કે તીર્થની સ્થાપના ક્યાં હતી તે કાંઈ જણાયું નથી. કેટલાક લેકે, સંખેશ્વર ગામની બહાર ટેક છેટે એક દટાઈ ગએલા મકાન જે જણાને માટીને ઢગ જણાય છે, તેને જ અસલનું મૂલ મંદિર બતાવે છે. કદાચિત એ હકીકત સાચી પણ હેઈ શકે. કારણ કે મુસલમાન સમયમાં આવી રીતે વારંવાર મંદિરની ભાંગફેડ થતી હતી અને તેના લીધે વારંવાર જગ્યાઓમાં ફેરફાર થતો હતો. એ કારણને લઈને ગામમાં જે જૂના મંદિરનાં ખંડેરે ઉભાં છે તેની પહેલાંનું જૂનું મંદિર જે લકેના કહેવા પ્રમાણે ગામ બહાર હોય તો તેમાં અસંભવ જેવું નથી. ૫૦પ નંબરને લેખ મારવાડી ભાષામાં લખાએલે છે. સંવત્ ૧૮૬૮ માં જયપુર (મારવાડ)ના સહ ઉત્તમચંદ વાલ: પ હજાર રૂપીઆ એ મંદિરનો જીર્ણો દ્વાર અર્થે રાધનપુરવાળા જીવણદાસ ગોડદાસની મારફત આપ્યા હતા. તે રૂપીઆમાંથી જે જે સમાર કામ વિગેરે કરાવવામાં આવ્યું હતું તેની નોંધ આ લેખમાં આપેલી છે. ૭૪૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (36) ( પાટણના લેખે નં. 502-533 આ લેખ, સંખેશ્વરના મંદિરના દરવાજાના ડાબી બાજુ ઉપર એક પથ્થરમાં કોતરેલ છે.