Book Title: Sambhav Prapta Jivni Dasha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૮૧ સમભાવપ્રાપ્ત જીવની દશા પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલો છે એમ જાણવું. કેઈ પોતાના હાથવતી શીર્ષચન્દનનું વિલેપન કરે કે કઈ વાંસલાથી છેદન કરે, તે પણ બન્નેમાં સમાનવૃત્તિ હોય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાપ્ત હોય છે. કેઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે કઈ ગુસ્સે થઈને અપમાન કરે, તો પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું વતે છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને ક્લેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી? તેને બદલે વગર પ્રયત્ન મળી શકે એવા અનેક ખાવાગ્ય, ચાટવાયેગ્ય, ચૂસવાયોગ્ય અને પીવાયેગ્ય-એમ ચાર પ્રકારના સુખ આપનારા મનહર પદાર્થોમાં સમભાવને આશ્રય કરે રોગ્ય છે. ખાવાગ્ય, ચાટવાયોગ્ય અને ચૂસવાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ગીઓ પણ સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કાંઈ ગુપ્ત નથી તેમ કઈ ગુપ્ત રહસ્ય નથી, પરંતુ અન્ન અને બુદ્ધિમાનેને માટે એક જ ભવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવને પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું (ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી) સર્વ શાસ્ત્રના રહસ્યને Page #2 -------------------------------------------------------------------------- ________________ 182] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા જાણી પિકાર કરીને કહું છું કે-આ લોક અને પરલોકમાં સમભાવથી બીજી કેઈ સુખની ખાણ નથી. જ્યારે ઉપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઊભું હોય છે, ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કાંઈ પણ ઉપયોગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓનો નાશ કરનાર સમભાવરૂપ સામ્રાજ્યની લક્ષમી ભેગવીને પ્રાણીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે, તેથી જે આ મનુષ્યજન્મ સફળ કર હોય તે અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવામાં જરા પણ પ્રમાદન કરવો જોઈએ. દેવ અને પુરૂષાર્થની સાપેક્ષતા એકલા દૈવથી જ કે એકલા પુરૂષાકારથી થતાં કાર્યનું નિષ્પન્ન થવું અશક્ય છે. જે એકલું કર્મ જ પુરૂષાકારથી સાધ્ય કાર્યની પણ નિષ્પત્તિ કરી શકતું હોય, તે દાનાદિમાં ભાવ માત્રના ભેદે કરીને જ ફલને ભેદ પ્રાપ્ત થાય છે તે સિદ્ધ થાય નહિ. માટે કર્મથી પુરૂષાકાર અને પુરુષાકારથી કર્મ–બન્ને અન્ય આશ્રિત છે. એકની પ્રબળતા વખતે બીજાની ગૌણુતા અને બીજાની પ્રબળતા વખતે પહેલાની ગૌણતા થાય છે. ચરમ-છેલ્લા પુદ્ગલપરાવર્ત કાળને વિષે પુરૂષાકારની પ્રબળતા અને કર્મની નિર્બળતા હોય છે, જ્યારે એ સિવાયના-અચરમાવર્તિમાં કર્મની પ્રબળતા અને પુરૂષાકારની નિર્બળતા હોય છે.