Book Title: Sahitya Samrakshan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-સંરક્ષણ - પૂર્વકાલીન શૃંખલાબદ્ધ ઇતિહાસ જળવાઈ શકે તેમ પૂર્વપુરુષની અમૂલ્ય વાણી સંભાળવામાં જૈન સમાજે વાપરેલી દીર્ઘદર્શિતા માટે પૂર્વ અને પશ્ચિમના સાક્ષર મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે; કેમ કે જૈન સાક્ષરોએ ઈતિહાસ-સંરક્ષણની શરૂઆત શીલાલેખ, તામ્રપત્રો અને સંજ્ઞાસુચક ચિત્રપટોથી સદીઓ પહેલાં કરી અને તે સાથે સાહિત્ય-સંરક્ષણ અર્થે તાડપત્રો તથા ભાજપત્રોનો ઉપ ગ શરૂ કરી દીધું અને શોધક દષ્ટિએ આગળ વધીને કાપડ તથા જાડા કાગળોમાં શાસ્ત્રગ્રંથને હાથે લખાવીને સેંકડો ગમે સાહિત્યનો વિકાસ કર્યો. તથા તે સાધનો યાવતચંદ્ર-દિવાકરૌ જળવાઈ રહે તે માટે તેને આગ, પાણી કે જીવજંતુ સ્પર્શ ન કરી શકે તેવી સલામત જનાથી ડાબડા તથા ભંડમાં સંરક્ષણ આયું : એ વાતની અગમ્ય ભંડારે, ભોંયરાઓ અને થાંભલાઓમાં છુપાયેલ ગ્રંથસંગ્રહ અત્યારે પણ ખાતરી આપે છે. ન મળેલાં સાધને ઉપરથી જાણી શકાય છે કે સૈકાઓ પહેલાંથી સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે દરેક ગચ્છના સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓ, મંત્રીઓ તેમ જ ધનાઢથે ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, જિનાગમિશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પોતાના પરલોકવાસી સ્વજનના કલ્યાણ અર્થે, સાહિત્ય પ્રત્યેની પોતાની અભિરુચિને કારણે અગર તેવા કઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદર્શો લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારે મેળવીને મેટા મેટા જ્ઞાનભંડારની સ્થાપના કરીને જ્ઞાનને પ્રચાર કર્યો છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે, સાધારણમાં સાધારણ વ્યક્તિઓએ પણ ઉપરોક્ત શુભ નિમિત્તોમાંનું કેઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં પાછી પાની નથી કરી. ૧. માત્ર યતિઓના જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી–ઓગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મંત્રે ભાજપત્ર પર જોવામાં આવે છે. ૨. પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલાં બે પુસ્તક છે, જેમાનું એક સંવત ૧૪૧૮ માં લખેલું ૨૫૪પ ઈચના કદવાળાં ૯૨ પાનાંનું છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચાખાની લહીથી ચેડી તેની બન્ને બાજુએ લહી પડી અકીકના અગર તેવા કઈ પણ ઘૂંટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય ચોમાસાની વિજ્ઞપ્તિ, સાંવત્સરિક ક્ષમાપના, કર્મગ્રંથનાં યંત્ર, અનાનુપૂર્વી આદિ પણ એકવડા કપડા ઉપર લખાયેલ મળે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પટ સાહિત્ય-સંરક્ષણ પૂજ્યપાદ શ્રીમાન દેવર્ધિગણી ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યો ત્યારે અને તે પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યક્તિઓએ વિશાળ જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે. એનું સંપૂર્ણ સંશોધન કરવું અશક્ય છે. પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાનો તથા આચાર્ય હેમચંદ્રકૃત સવાલાખ શ્લોપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને દેશપરદેશમાં ભેટ મોકલાવ્યાનો ઉલ્લેખ “પ્રભાવક ચરિત્ર ” તથા “ કુમારપાલપ્રબંધ ”માં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમારપાલપ્રબંધાદિમાં એકવીશ જ્ઞાનભંડાર સ્થાપ્યાને તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો અને આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત યોગશાસ્ત્ર, વીતરાગસ્તવની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની બેંધ છે. મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગૅદ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિનહર્ષગણિત “વસ્તુપાલચરિત્ર', “ઉપદેશ તરંગિણી” આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મંત્રી પેથડ શાહે તપગછીય આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે આગમ શ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત સ્થાનોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થોમાં, ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણું શાહ, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રગણીના ઉપદેશથી નંદુરબારનિવાસી સં. ભીમના પૌત્ર કાલુએ, આગમગછીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકરનસૂરિના ઉપદેશથી પેથડશાહ, મંડલીક તથા પર્વત-કાન્હાએ નવીન ગ્રંથે લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડે જ્ઞાનભંડારો ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણું શીર્ણ–વિશીર્ણ થઈ ગયા. અને ઘણું માલિકીના મોહમાં કે અજ્ઞાનતાથી ઉધેઈના મુખમાં અદશ્ય થયા કે જીર્ણ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઈને ચેટી જવાથી અથવા તો બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલપાથલના સમયમાં એકબીજા પુસ્તકનાં પાનાંઓથી ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા જાના કવાઓમાં પધરાવીને સેંકડે ગ્રંથ ગુમાવી દેવાયા તેની તો બહુ થોડાઓને જ ખબર હશે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અમૃતપૂર્વ, અલભ્ય તેમ જ મહત્ત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢ્યા છે, એ વાત જે ધ્યાનમાં રહે તો એવા નષ્ટ થતા અનેક કીમતી ગ્રંથ હજુ પણ મળી શકે. જેમ જૈન સંઘે મોગલોની ચડાઈને જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે મંદિરની અંદર ગુપ્ત અગમ્ય ભાર્ગવાળાં તેમ જ અકય ડાઈવાળાં ભૂમિગૃહો-ભોંયરાની સંકલના વિચારી હતી, તેમ જ્ઞાનભંડારની રક્ષા માટે જેસલમેરને કિલ્લે જોવાથી ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉધાડી તેમાંથી મંત્રાનાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયો. આવાં ( તિલસ્માતી) ગુપ્ત સ્તંભે કે મકાનમાં કેટલુંય મંત્રસાહિત્ય સદાને માટે અદશ્ય પડયું હશે, તે કલ્પના બહાર રહે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ 60 ] જ્ઞાનાંજલિ આ પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મંજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન મેજરહિત તેમ જ ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે. જૈન હસ્તલિખિત ભંડારના કાર્યવાહક ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી તેનું કારણ પણ પુસ્તકને હવા ન લાગે એ છે. આટલી સંભાળ છતાં જે કઈ પાનાં શાહીના દેષથી ચૂંટીને રોટલા જેવાં થઈ ગયાં હોય, તે તેવાં પુસ્તકને ઉખાડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવા અને તે હવાની અસર થવા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે ચુંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. ચોમાસામાં પુષ્કળ વરસાદના ભેજની અસર પણ એ કામ કરે છે. આવાં પાનાં ફરીથી ચૂંટી ન જાય માટે તેવા દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે. - જે તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું અને જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરે ભૂંસાવાને કે ખરાબ થવાનો ભય રાખવો નહિ. વર્ષાઋતુમાં જ્ઞાનભંડારમાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા ઉરાડવાને કાર્તિક માસમાં શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યનો પ્રખર તાપ અનુકૂળ છે. તેથી કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી) માટે જ્ઞાનભક્તિનું માહાત્મ્ય જણાવ્યું છે. પરંતુ અત્યારે આ પર્વના હેતુને સમજીને પુસ્તક-ભંડારો તપાસવા, ત્યાંને કચરે સાફ કરો, પુસ્તકોને તડકે દેખાડે, બગડી ગયેલ પુસ્તકે સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડાવજના ભૂકાની પોટલીઓ બદલાવવી, આદિ કશું જ ન કરતા માત્ર જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાં-મોટાં નગરોમાં થોડાંઘણાં, જે હાથમાં આવ્યાં તે, પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે. તો આશા છે કે જ્ઞાનના ઉપાસકે અને જ્ઞાનભંડારના સંરક્ષક જ્ઞાનભક્તિનો મર્મ સમજી યથાવિધિ જ્ઞાનોપાસનાને અપૂર્વ લાભ લેશે. [ જન’ સાપ્તાહિક, રજત મહોત્સવ ગ્રંથ, વસંતપંચમી, સં. 1986].