Book Title: Radhanpurno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249657/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) રાધનપુરને શિલાલેખ આ લેખ રાધનપુર શહેરમાં આવેલા શાંતિનાથના (પાંજરાપોળ વાળા) મંદિરને ભૂમિગૃહ ( ર) માં ઉતરવાના પગથિઆઓ ઉપર એક હેટી શિલામાં કરેલું છે. એમાં એકંદર ૪૧ પદ્ય છે અને તે દરેકનો સાર આ પ્રમાણે છે --- પ્રથમના પદ્યમાં શાંતિનાથની તવના કર્વામાં આવી છે. ૩ જ કલેકમાં જગમાં પ્રસિદ્ધ એવા તપગચ્છ ઉલ્લેખ કરે છે. એ ગમાં અકબર બાદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાર્ય હીરવિજયસૂરિ અને તેમની પાટે વિજ્યોનસૂરિ થયા. ( - ) વિજ્યસેનસૂરિની ગાદીએ જસાગરસૂરિ થયા કે જેઓ સાગરના નાયક-ચલાવનાર હતા. (૭૮) તેમની પાટે વૃદ્ધિસાગરસૂરિ થયા. ७४१ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩ર) [ રાધનપુરનો શિલાલેખ ન. ૪૬૦ (૯) અને તેમની પાટે લમીસાગરસૂરિ થયા. (૧૦-૧૧) લમીસાગરસૂરિની પાટે કલ્યાણસાગર થયા (૧૨) અને તેમની પાટે પુણ્યસાગરસૂરિ. (૧૩) એ પુણ્યસાગરસૂરિના સદુપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને માઘ માસના શુકલપક્ષની તૃતીયા અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. (૧૪-૧૫) - આ પછી, આ મંદિર બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે. તે આ પ્રમાણે– પૂર્વે શ્રીમાલવંશમાં, જૈન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાનું એ સૂરા નામે પ્રસિદ્ધ પુરૂષ B. (૧૬) તેના વંશને વિસ્તારનાર એ હેમા નામે તેને પુત્ર હતે. (૧૭) તેના કુલમાં મુકુટ સમાન એ જ્યના નામે પુત્ર થયે જેણે રાજસાગરસૂરિ પાસેથી ધર્મબોધ ગ્રહણ કર્યો હતો. (૧૮) તેને પુત્ર અભયચંદ્ર થશે અને તેને ૧ જૂઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ન થયાં. (૧૯) તેમાં જૂઠાના પુત્ર જીવને પોતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે ૪૨ જિન પ્રતિમાઓ કરાવી હતી. (૨૦) બીજા ભાઈ કપૂરનો સિયવંત નામે પુત્ર હતો અને તેણે પણ કર પ્રતિમાઓ બનાવરાવી હતી. ૨૧-૨૨) ત્રીજા ભાઈ જસરાજને દેવજી નામે પુત્ર હતો અને તેને પુત્ર મૂળજી હતા. એ મૂલજીએ પણ દેવ અને ગુરૂની ૨૨ ચરણ પાદુકાઓ કરાવી હતી તથા કેટલીક જિનમૂતિઓ પણ ભરાવી હતી. (૨૩-૨૬) એ ભાઈ જે મેઘજી હતો તેને મોતીચંદ્ર, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રે હતા. એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમાઓ કરાવી હતી. (૨૭–૩૧) તેમણે, પછી ઘણું આડંબર પૂર્વક પ્રતિષ્ઠા મહેસવ કર્યો અને તેમાં સઘળા દેશના માણસને આદરપૂર્વક આમંત્રણ કરી બોલાવ્યા હતા. તેમને ભોજન, પાન, વસ્ત્ર વિગેરે આપી ખૂબ સર્યા હતા. અનેક શાસ્ત્રના જ્ઞાતા અને પ્રતિષ્ઠા કાર્યમાં કુશળ એવા કેટલાએ શ્રીપૂજને પણ બોલાવ્યા હતા. (૨૮-૩૪ એ બધા શ્રી પૂ સાથે આચાર્ય પુણ્યસાગરસૂરિએ, સંવત ૧૮૩૮ ના ફાળુણ શુકલ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં ૭૪૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ སྙན་འཀ ན ་ན་ ག ག འགན་འངཤ རང ན - མཱན રોજ ગામના લેખો ન. 4' 1-468 ] ( 333 ) અવેલેકન. સ્થિત હતું, તે વખતે, આ બધી મૂતિઓની, ન્યાસ અને ધ્યાનની મુદ્રાપૂર્વક શુભ પ્રતિષ્ઠા કરી. (35-37) આ બધી મૂર્તિઓ શ્રી શાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે, (38) છેવટના બે પદ્યમાં આશીર્વાદ આપવામાં આવ્યું છે. (39-40) અંતે આ પ્રશસ્તિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી, (4) એમ જણાવી લેખ સમાપ્ત કરવામાં આવ્યું છે. રાંતેજ ગામના લેખ. (421-468) વડોદરા રાજ્યને કડી પ્રાંતમાં રાતેજ કરીને એક ન્હાનું સરખું ગામ છે. એ ગામમાં એક જૂનું જૈન મંદિર છે ત્યાંથી આ આઠ લેખ. મળી આવ્યા છે. તેમાં પ્રથમના બે લેખ તો, મુખ્ય મંદિરની આજુ બાજુ ફરતી જે દેવકુલિકાઓ છે તેમાંની એકમાં, ગૃહસ્થની–શ્રાવક શ્રાવિકાઓની–મૂતિઓ નીચે કતરેલા છે. આ મતિઓ કઈ મહં. વિજય નામના પુરૂષે પિતાના કુટુંબીઓની મૂર્તિઓ સાથે સં. 1309 માં બનાવરાવી હતી. મૂર્તિઓના નામને પરસ્પર સંબંધ આ પ્રમાણે જણાય છે - . અજયસિંહ એમ (તેની સ્ત્રી ) (તેની સ્ત્રી) મહે. રાગિદેવ સંગ્રહસિંહ (સ્ત્રીરણદેવી) (તેની સ્ત્રી) મદન - સલખણુસંહ. મહં. વિજય. દેવસિંહ (સ્ત્રી સાથે) (સ્ત્રી સાથે) (સ્ત્રી સુહડાદેવી) (સ્ત્રી સાથે) ચાણક્ય. બાકીના 6 લેખ, એક ન્હાનું રાખું ભોયરૂં છે તેમાં જે ઘણાક જાના પરિકરે અને કાઉસગિઆઓ ભરી રાખેલા છે તેમના ઉપરના છે. એ ઠેકાણે આવા બીજા પણ ઘણા લે છે અને કેટલાક તે બહુ જૂના પણ છે. પરંતુ તે બધાને લેવાની તે વખતે બરાબર સવડ ન હોવાથી હું તે લઈ શક નથી. લેખોમાંની હકીકત સ્પષ્ટજ છે. 743