Book Title: Nyayavijayjimuni
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૦૭ સસ્મરણા યુગે! સુધી યાદ કરશે એમાં કોઈ શકાને સ્થાન નથી. એવા એ અપ્રતિમ શાસનપ્રભાવકને કટિ કેટિ વંદના ( સંકલન : મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ. સંદર્ભગ્રંથે : શ્રી આલાભાઈ દેસાઈ સ’પાદિત ‘શ્રી ચારિત્રવિજય ગ્રંથ ' તથા શ્રી મહુવાકર લિખિત ‘ ગુરુકુળની ગૌરવગાથા’ ) ન્યાયતી: ન્યાવિશારદ પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ પતિરાજ અશ્વઘોષ અને કવિરાજ કાલિદાસ સમી પ્રશસ્તિ પામનારા આ સરળતા અને સમાનતાના સાધક સાધુવરને જન્મ સ. ૧૯૪૬ના કારતક સુદ ૩ ને શુભ દિને માંડલમાં થયે હતા. પિતા છગનલાલ અને માતા દિવાળીબેનનું એક માત્ર લાડકવાયું. સ ંતાન નરિસંહ નાનપણથી જ સરળ સ્વભાવી, સસ્કારી અને ધર્મપ્રેમી હતું. નરસિંહ ગામઠી શાળામાં ચાર ધારણને અભ્યાસ પૂરો કરીને પ્રસિદ્ધ જૈનાચાય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માંડલમાં સ્થપાયેલી શ્રી યશેવિજય જૈન પાઠશાળામાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. બીજે વર્ષે આ પાઠશાળા બનારસ ખસેડવામાં આવી. ત્યાં બે વર્ષ અભ્યાસ કરીને વતન પાછા આવ્યા. દરમિયાન માતા અને પિતાનું અવસાન થતાં ખૂબ આઘાત અનુભળ્યા. ત્યાર બાદ, કાકાની રજા લીધા વગર, પાલીતાણા જવાનું બહાનુ કાઢી બનારસ પહેાંચ્યા. ત્યાંથી ગુરુદેવ ૩૦ વિદ્યાર્થી એ સાથે કલકત્તા તરફ વિહાર કરતા હતા તેમાં જોડાઇ ગયા. અનેક મુસીબતે વચ્ચે કલકત્તા પહેાંચીને, અન્ય ચાર મિત્રા સાથે નરસિંહે પણ દીક્ષા ગ્રહણ કરી. પહેલેથી જ તેએ · ન્યાય 'માં વિશેષ રુચિ ધરાવતા હતા તેથી પૂ. ગુરુદેવે નામ આપ્યુ મુનિ શ્રી ન્યાયવિજયજી. * I પૂજ્યશ્રીએ પણ યક્ષનામ ન્યાયશાસ્ત્રોનુ ગહન અધ્યયન કરી, તેમાં ઊંચી ઊંચી પરીક્ષા પસાર કરી ન્યાયતી ' અને • ન્યાયવિશારદ ’ની પઢવીએ પ્રાપ્ત કરી. ઊગતી જુવાનીમાં શાસ્ત્રોમાં પરમ પારગામિતા પ્રાપ્ત કરી ‘ અધ્યાત્મતત્ત્વાલેક ’ અને ‘ ન્યાયકુસુમાંજલિ ’ જેવા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથો લખ્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી કાવ્યરચનાઓ કરી. યુવાન સાધુની આવી ઊંચી પ્રતિભા અને જ્ઞાનવૈભવ જોઈ ને નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ તેમને ‘સિમથયોષઃ મ્ ાહિદાસ; । ' એવાં પ્રશસ્તિવનેા સાથે માનપત્ર અપણુ કર્યું. ઊંડાં ચિંતનને પરામર્શ પામેલા પૂજ્યશ્રીને જૈનદર્શન' નામના મહાગ્રંથ અજોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવષ માં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લેાકાદર પામેલા આ ગ્રંથની ૧૦-૧૦ આવૃત્તિએ થઈ છે. હિંદી અને અ ંગ્રેજીમાં તેના અનુવાદ થયા છે. આ ઉપરાંત, તેએશ્રીએ નાનામેટા પચાસેક ગ્રંથે લખ્યા છે. પૂ. વિનેમાજી જેવા સ ંતાએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીના સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતા. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં * 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક વ્યાખ્યાન આપી. મુંબઈ કેંગ્રેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીના તૈયાર કપડાંની લ્હાણું કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણ માટે રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખોલ્યાં હતાં. સર્વધર્મસમભાવ એ તેમને મહાન ગુણ હતું. તેથી જ તે હરિજનના મંદિર પ્રવેશ બાબત પૂજ્યશ્રીનું વલણ વિધાયક હતું. પ્રકાંડ પંડિત હોવા છતાં નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ ધરાવતા હતા. સાગર જેવી સમતા અને ઉદારતા ધરાવતા હતા; બાળક જેવી સરળતા અને મસ્તી ધરાવતા હતા. પરિણામે, પૂજ્યશ્રીએ જીવનનાં છેલ્લા 15-20 વર્ષો શાંત-એકાંતવાસમાં ગાળ્યાં હતાં. ધર્મશાસ્ત્રોના વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. એવા એ પ્રખર વિદ્વત્ન મુનિવરને હદયપૂર્વક વંદના ! ( શ્રી રતિભાઈ મફાભાઈ શાહના જેન ' પત્રના તા. ૭-૩-૭૦ના અંકના લેખના આધારે ) પ્રકાંડ દાર્શનિક : પ્રખર શાસનપ્રભાવક : જેને પરંપરાને ઇતિહાસ” ગ્રંથના સર્જક પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજ શ્રી દર્શનવિજ્યજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી - આ ત્રણ જૈન મુનિવરેનાં નામ અને કામથી ભાગ્યે જ કેઈ સાધુ, કેઈ શ્રાવક કે કઈ સંઘ અણજાણ હશે ! ત્રિપુટી–મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે સકલ સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પછી શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજયજી મહારાજ અગાઉ કાળધર્મને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ૨૦૨હ્ના મહા વદ અમાવાસ્યાને દિવસે પાલીતાણામાં, શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં, શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. જગતમાં જમે છે તે મૃત્યુવશ થાય છે એ અટલ નિયમ છે; પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કોઈ જીવતે જીવત મરેલાં જેવું જીવન જીવે છે, તે કે મૃત્યુ પછી સૈકાઓ સુધી નામ ન વિસરાય એવું ધર્મમય અને સેવામય જીવન જીવી પોતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. ત્રિપુટમહારાજ આવા ઉચ્ચ કેટિના મુનિવરો હતા. એમાં યે શ્રી દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમેર હતા. પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર શ્રી ચારિત્રવિજયજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘેષિત થયા. છપન વર્ષ દીક્ષા ભેગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ છપ્પન વર્ષના 2010_04