Page #1
--------------------------------------------------------------------------
________________
૭.૩ જૈન યોગની આઠ દ્રષ્ટિઓ
સંસારી આત્માને મોક્ષ (કર્મમુક્ત અવસ્થા) સાથે જોડી આપે તે યોગ, આત્માની ઉર્ધ્વરોહણની સાધના પ્રક્રિયા પણ યોગ જ કહેવાય છે. સંસારોભુખ બનેલો, સંયમ-વૈરાગ્ય-તપ-ઈત્યાદિ દ્વારા આત્મ સન્મુખ બનવા જૈન આચાર્યોએ યોગ ઉપર ઊંડુ વિશદ ચિંતન-સાધનાથી પ્રકાર ભેદ કરેલું છે. પૂ. હરિભદ્રસૂરિજી મ.સા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને ઉપા યશોવિજય મ.સા. આદિએ યોગસાધકો માટે વિશિષ્ટ વર્ણન કર્યા છે.
યોગદષ્ટિઓ સામાન્યતઃ આઠ છે. જે નીચે પ્રમાણે છે.
૧. મિશ્રાદષ્ટિ :
આ દષ્ટિ પ્રાપ્ત થવાથી સાધક સત શ્રદ્ધાની તરફ સન્મુખ થાય છે. તેને જે પદાર્થનો બોધ થાય છે, તે મંદતા વાળો રહે છે મિત્રાદષ્ટિવાળો સાધક યોગનું પ્રથમ અંગ યમના વિવિધ રૂપોનો પ્રારંભિક અભ્યાસ કરી લે છે. વ્યક્તિ આત્મોન્નતિના હેતુભૂત અન્ય યોગ બીજોનો સ્વીમર કરે છે. આ દષ્ટિમાં દર્શન મોહનીય મિથ્યાત્વ કે અવિદ્યાના વિપર્યાસમાં આત્મગુણોનું ફુરણ તથા અન્તર્વિકાસની દિશામાં પ્રારંભ થાય છે. આ આધ્યાત્મયોગની પહેલી દશા છે. જેમાં દષ્ટિ પૂર્ણતઃ સમ્યક થઈ શકતી નથી, પરંતુ અહિંથી અન્તર્જાગરણ અને ગુણાત્મક પ્રગતિની પાત્રાનો શુભારંભ થાય છે. આ દષ્ટિમાં ગુણીજનોના તરફ આદર, અનુકરણ, દુ:ખીઓના તરફ કરૂણા અને સત્કાર્યો તરફ આદરભાવ ઉત્પન્ન થાય છે.
છે.
તારાદષ્ટિ
આ દષ્ટિ યોગનું બીજું અંગ “નિયમ' સાધે છે. શૌચ, સન્તોલ, તપ, સ્વાધ્યાય અને આત્મચિંતના જીવનમાં પ્રગટવા લાગે છે. આત્મહિતની પ્રવૃત્તિમાં ઉત્સાહ અને તત્ત્વોન્મુખી જિજ્ઞાસા ઉપ્તન્ન થાય છે. તથા સાધક યોગચર્ચામાં અભિરૂચિ ધરાવે છે તારા દષ્ટિનાં સાધકને જન્મ, મરણ રૂપ આવાગમન ક્રિયાનો અત્યંત ભય નથી હોતો. અજાણતા પણ તેનાથી કોઈ અનુચિત ક્રિયા નથી થઈને તેની જાગૃતિ છે. તે મનમાં કોઈ પ્રત્યે દ્વેષ ભાવ લાવતો નથી તે સાત્વિક ચિંતનની દિશામાં ક્રમશઃ આગળ વધે છે. બલાદષ્ટિ : આ યોગનું ત્રીજું અંગ ‘આસન' સાધે છે. આમાં સુખાસન યુક્ત દઢ દર્શન પ્રાપ્ત થાય છે. તત્ત્વ શ્રવણની તીવ્ર ઈચ્છા જાગે છે. અને સાધનામાં અક્ષે-ક્ષેપ નામનો દોષ આવતો નથી. આ દષ્ટિના વિકાસથી અસત પદાર્થો તરફ તૃષણાની સહજ પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. સાધક સર્વત્ર સુખમવતાનો અનુભવ કરવા લાગે છે. સાધકના જીવનમાં સ્થિરતાનો સુખદ સમાવેશ થાય છે. તેની સમસ્ત ક્રિયાઓ નિબંધ (બાધારહિત) થવા લાગે છે. બલા દષ્ટિના વિકાસથી યોગીના ધ્યાન, ચિન્તન, મનન આદિ શુભ કમોંમાં વિજ્ઞપ આવતો નથી તે શુભ સમારમ્ભમય ઉપકમમાં કુશળતા પ્રાપ્ત કરતો જાય છે. તે સાધ્ય પ્રાપ્તિના લક્ષ્યની તરફ સદૈવ પ્રયાસરત રહે છે. પાપપૂર્ણ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરી દે છે. ઉત્કૃષ્ટ-આત્મ-અભ્યદય સધાય છે.
Lib topic 7.3 # 1
www.jainuniversity.org
Page #2
--------------------------------------------------------------------------
________________
૪. દીપ્રાદષ્ટિ:
આનાથી યોગનું ચોથું અંગ “પ્રાણાયામ’ સધાય છે. ચિત્ત, યોગથી વિરત થતુ નથી. આનાથી તત્ત્વ-શ્રવણ સધાય છે. માત્ર શ્રવણથી જ નહીં, પરંતુ અન્તઃ કરણથી આ રૂચિ થાય છે. આમાં અન્નગ્રહિતાના ભાવો ઉદિત થાય છે. દિપ્રા દષ્ટિના સાધકને માનસિક અને બૌધિક સ્તર એટલું ઊંચુ થઈ જાય છે કે તે ધર્મને નિશ્ચિત રૂપથી પ્રાણોથી પણ અધિક સમજે છે. પ્રાણઘાતક સંકટ આવવા છતાં પણ તે ધર્મને છોડતો નથી આ સાધક સાત્તવિક ભાવોથી આચ્છાદિત થઈ જાય છે તે તત્ત્વ-શ્રવણના માધ્યમથી પોતાના કલ્યાણ તરફ સજાગ રહે છે. આનાથી ગુરુભત્તિ રૂપ સુખ પ્રાપ્ત થાય છે અને લૌકિક અને પારલૌકિક બન્ને હિત સધાય છે.
૫. થિરાદેષ્ટિ :
આ દૃષ્ટિથી યોગનું પ્રત્યાહાર' અંગ સધાય છે. શ્રત, તર્ક અને આત્માનુભવથી શ્રદ્ધા દેઢ થાય છે. પ્રત્યાહારથી સ્વ-સ્વ વિષયોના સમ્બન્ધથી વિરત થઈને ઈન્દ્રિયો અને ચિત્ત સ્વરૂપાનુ સાર પ્રતીત થવા લાગે છે, તથા સાધક દ્વારા કરવામાં આવતા કૃત્યો, નિભત્તિ, નિર્દોષ તથા સુક્ષ્મ બોધ યુક્ત થાય છે. આ દષ્ટિમાં ‘વેધ-સંબંધ-પદ’ની પ્રધાનતા આવી જાય છે. આ દષ્ટિના બે પ્રકાર માનવામાં આવ્યા છે. નિરતિચાર અને સાતિચાર નિરતિચાર દષ્ટિમાં અતિચાર કે વિપ્ન આવતા નથી. આમા શ્રદ્ધા પ્રતિપાતરહિત અને અવસ્થિત રહે છે. સાતિચાર દૃષ્ટિમાં દર્શન અનિત્ય તથા અનવસ્થિત રહે છે. સ્થિરા દષ્ટિના સાધક સમ્યક્ર-દષ્ટિ પુરુષના અજ્ઞાનાન્ધકારની ગ્રંથિનું વિભેદન થઈ જાય છે. આ દષ્ટિવાળા યોગીમાં શાસન-પ્રસૂત વિવેક જાગૃત થાય છે. તે દેહ, ઘર, પરિવાર, વૈભવ આદિ બાહ્ય ભાવોને મૃગતૃષ્ણા, ગન્ધર્વ નગર કે કલ્પનાના રૂપમાં માને છે. તેને સાંસારિક ભાવોની વાસ્તવિકતાનું તથ્ય (સત્ય)પૂર્ણ દર્શન થઈ જાય છે. આ દષ્ટિમાં સ્વ-પર-ભેદ-વિજ્ઞાન પ્રાપ્ત વિવેકી અને પ્રત્યાહાર પરાયણ હોય છે અને ધર્મારાધનમાં આવવાવાળી બાધાઓના પરિવારમાં પ્રયત્નશીલ રહે છે.
કાdદષ્ટિ
આ દૃષ્ટિમાં સમ્યક દર્શન, અવિચ્છન્ન થઈ જાય છે. આ દષ્ટિમાં સ્થિત યોગી ધર્મનો મહિમાં તથા સમ્યક આચારની વિશુદ્ધિના કારણે બધાને પ્રિય થાય છે. તેને યોગનું છઠ્ઠું અંગ ધારણ થઈ જાય છે. આ દષ્ટિના યોગીની આત્મધર્મ ભાવના એટલી દઢ હોય છે કે તે શરીરથી બીજા કાર્યોમાં લાગ્યા રહેવા છતાં પણ મનથી સહૈવ સગુરુ પ્રવીણ આગમમાં તલ્લીન રહે છે. આત્મભાવની તરફ આકૃષ્ટ રહે છે. તે અનાસક્ત થઈ જાય છે. આનાથી સાંસારિક ભોગ તેને જન્મ-મરણ ચક્રમાં ભટકાવવાવાળા નથી બનતાં. આ દષ્ટિમાં સ્થિત સાધક સદૈવ તત્વચિંતન તથા તત્વમીમાંસામાં લાગ્યો રહે છે. આથી તેને મોહ વ્યાપ્ત નથી થતો. તેને યથાર્થ બોધ પ્રાપ્ત થઈ જવાથી ઉત્તરોત્તર આભારહિત સધાય છે.
Lib topic 7.3 # 2
www.jainuniversity.org
Page #3
--------------------------------------------------------------------------
________________ 7. પ્રભાષ્ટિ : પ્રભાષ્ટિ પ્રત્યજ્ઞ ધ્યાનપ્રિય છે. આમાં યોગી ધ્યાનરત રહે છે. યોગનું સાતમું અંગ “ધ્યાન' સધાય છે. રાગ, દ્વેષ, મોહ, ત્રિદોષ રૂપ ભાવ રોગ અહિં વિપ્ન આવતા નથી. આ દષ્ટિમાં ધ્યાન જન્ય સુખનો અનુભવ થાય છે. આ રૂપ, શબ્દ, સ્પર્શ આદિ કામ-વિષયોને જીતવાવાળી છે. આ ધ્યાન-સુખ વિવેક આરિબળની તીવ્રતાથી ઉત્પન્ન થાય છે. આમાં પ્રશાંત ભાવની પ્રધાનતા રહે છે. આની સાત પ્રવૃત્તિની સંજ્ઞા અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે.પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ, સમગ્ર પ્રકારના સંગ, આસક્તિ કે સંસ્પર્શથી રહિત આત્માનું ચરણ અસંગાનુડાન છે. એને અનાલમ્બન યોગ પણ કહેવામાં આવે છે. આનાથી શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. આ મહાગ્રંથ પ્રયાણનું અંતિમ પૂર્વબિન્દુ છે. પર દષ્ટિ : આનાથી યોગનું આઠમું અંગ સમાધિ’ સધાય છે. આમાં અ-સંગતા પૂર્ણ થાય છે. આમાં આત્મતત્વની સહજ અનુભૂતિ થાય છે તેને અનુરૂપ જ સહજ પ્રવૃત્તિ અને આચરણ થાય છે. આમાં ચિત્ત પ્રવૃત્તિ સ્થિર થઈ જાય છે. અને એમાં કોઈ વાસના નથી રહેતી આ દષ્ટિમાં યોગી નિરતિચાર હોય છે તે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. તે સર્વજ્ઞ, સર્વદર્શી, અને અયોગી થઈ જાય છે. આ દષ્ટિમાં તારતમ્યમાં હરિભદ્દે યોગિયોને ચાર કોટિયોમાં વર્ગીકૃત કર્યા છે. ગોત્ર યોગી, કુલ યોગી, પ્રવૃત્તચક યોગી અને નિષ્પન્ન યોગી પ્રથમ શ્રેણીના યોગી કયારેય પૂર્ણ આત્મલાભ કરી શકતા નથી અને ચતુર્થ શ્રેણીના યોગી આત્મલાભ પ્રાપ્ત કરે છે. ફલત: યોગ વિદ્યા માત્ર દ્વિતીય અને તૃતીય શ્રેણીના માટે જ માનવામાં આવે છે. Lib topic 7.3 # 3 www.jainuniversity.org